AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryanએ ઠુકરાવી પાન મસાલાની જાહેરાત, 9 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી ઓફર

Kartik Aaryanની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં, કાર્તિકે ફરી એકવાર તેના ચાહકોને પ્રભાવિત કર્યા જ્યારે તેણે તમાકુ બ્રાન્ડની પ્રોડક્ટની જાહેરાત કરવાની ના પાડી.

Kartik Aaryanએ ઠુકરાવી પાન મસાલાની જાહેરાત, 9 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી ઓફર
kartik aaryan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 7:09 AM
Share

Kartik Aaryan એ હાલમાં જ કંઈક એવું કામ કર્યું છે. જેના કારણે લોકો ફરી એકવાર તેના વખાણ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર્તિકે લગભગ 9 કરોડ રૂપિયાની જાહેરાતની ડીલ ઠુકરાવી દીધી છે, જે એક અભિનેતા દ્વારા તમાકુ બ્રાન્ડની પાન મસાલાની જાહેરાત હતી. કાર્તિકે આ ઉમેરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એક મોટી ઓફરને ઠુકરાવીને, કાર્તિક આર્યેને તેની પેઢીના તમામ કલાકારો માટે એક દાખલો બેસાડ્યો છે. જ્યાં બોલિવૂડના ઘણા મોટા સુપરસ્ટાર્સ (Bollywood Actor) પાન મસાલા અને તમાકુની જાહેરાત કરવાનું ચૂકતા નથી, આવી સ્થિતિમાં કાર્તિક આર્યનનું આ પગલું ખૂબ જ પ્રશંસનીય માનવામાં આવે છે.

એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે અભિનેતાના વખાણ કરતા લખ્યું કે, ‘કાર્તિકે પાન મસાલા ઉમેરવાનો ઇનકાર કર્યો હતો, જો કે આ જાહેરાત કરવાથી કાર્તિક આર્યનને લગભગ 8થી 10 કરોડનો ફાયદો થયો હોત. પરંતુ તે ખરેખર યુવા આઇકોન છે અને પોતાની જવાબદારી પ્રત્યે ખૂબ જ જાગૃત છે. તેણે સાચો નિર્ણય લીધો, તે જેટલી પ્રશંસાને પાત્ર છે તેટલી ઓછી છે.

સોશિયલ મીડિયા કાર્તિકના બની ગયા ફેન

સોશિયલ મીડિયા યુઝર્સ પણ કાર્તિકના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘તે એવા એક્ટર છે કે જે ક્યારેય પોતાના નૈતિકતા સાથે સમાધાન કરતા નથી, આટલી મોટી રકમને લાત મારીને તેણે એક બેન્ચમાર્ક સેટ કરી દીધો છે કે પૈસા જ સર્વસ્વ નથી.’ તો બીજા યુઝરે લખ્યું કે “તમે ખરેખર હીરો છો. જવાબદાર અને સમજદાર અભિનેતા.”

ફિલ્મ ટૂંક સમયમાં થવાની છે રિલીઝ

કાર્તિક આર્યનના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં કૃતિ સેનન સાથે રોહિત ધવનની શહજાદામાં જોવા મળશે, અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્માતા સમીર વંશમાન દ્વારા નિર્દેશિત ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ પણ શરૂ કરશે.

આ વર્ષની સુપરહિટ ફિલ્મ કાર્તિકને નામ

પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મોથી પ્રસિદ્ધિ મેળવનારા બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન એવા કેટલાક કલાકારોમાંથી એક છે, જેમણે કોઈ પણ ફિલ્મની પૃષ્ઠભૂમિ વિના ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની ઓળખ બનાવી છે. તેણે પોતાની મહેનતથી સાબિત કર્યું છે કે બોલિવૂડમાં ઓળખાયા વિના પણ નામ કમાઈ શકાય છે. વર્ષ 2022માં સમગ્ર બોલિવૂડ ઉદ્યોગને એક હિટ ફિલ્મ આપવાનો શ્રેય કાર્તિક આર્યનને જાય છે, તેણે અને કિયારા અડવાણીએ ફિલ્મ ભૂલ ભૂલૈયા 2માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">