RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી, જાવેદ અખ્તરના આ નિવેદન બાદ વિવાદ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના બાદ ભારતીય મુસ્લિમોના એક વિભાગે તેના પર ખુશી વ્યક્ત કરી હતી. જેના પર જાવેદ અખ્તરે કહ્યું હતું કે, 'આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આ સિવાય જાવેદ અખ્તરે RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી કરી છે.

RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી, જાવેદ અખ્તરના આ નિવેદન બાદ વિવાદ
Javed Akhtar compares RSS VHP and Bajrang Dal with Taliban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 2:07 PM

પ્રખ્યાત કવિ અને ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની તુલના તાલિબાન સાથે કરી છે. તેમણે કહ્યું છે કે આરએસએસનું સમર્થન કરનારાઓની માનસિકતા તાલિબાન (Taliban) જેવી જ છે. તેમણે એમ પણ કહ્યું છે કે જેઓ આરએસએસનું સમર્થન કરે છે તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું કે RSS, VHP અને બજરંગ દળ જેવા સંગઠનો તાલિબાન જેવા છે. ભારતનું બંધારણ તેમના માર્ગમાં અવરોધ બની રહ્યું છે. જો થોડી તક આપવામાં આવે તો તેઓ હદ પાર કરવામાં અચકાશે નહીં. જાવેદ અખ્તરના આ નિવેદન પર હોબાળો મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય અતુલ ભટખાલકરે ચેતવણી સ્વરમાં કહ્યું કે તે અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાન જઈને તાલિબાન વિરુદ્ધ નિવેદન આપી બતાવે. તેમણે માંગ કરી છે કે જાવેદ અખ્તર પોતાનું નિવેદન પાછું ખેંચે નહીંતર કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.

મુસલમાનો સાથે મોબલીન્ચિંગ, ડ્રેસ રિહર્સલ

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું કે વિશ્વના તમામ જમણેરી લોકો એક જ પ્રકારના મિજાજના લોકો છે. ભારતમાં લઘુમતીઓની મોબ લિંચિંગની ઘટનાઓ પર બોલતા જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તે સંપૂર્ણપણે તાલિબાન જેવા બનતા પહેલાનું આ ડ્રેસ રિહર્સલ છે. આ બધા લોકો એક જ પ્રકારના છે. માત્ર તેમના નામ અલગ છે.

RSS, બજરંગ દળ, VHP ના સમર્થકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ

જાવેદ અખ્તરે કહ્યું, ‘મને લાગે છે કે જેઓ RSS, વીએચપી, બજરંગ દળ જેવી સંસ્થાઓને ટેકો આપે છે, તેઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન મધ્યયુગીન માનસિકતા ધરાવે છે. તેમાં કોઈ શંકા નથી. તેઓ બર્બર, તોફાની છે. પરંતુ તમે જેમને ટેકો આપી રહ્યા છો એમનામાં અને તાલિબાન વચ્ચે ક્યાં ફરક છે. ઉલટું, આમ કરીને તમે માત્ર તાલિબાની માનસિકતાને મજબૂત કરી રહ્યા છો. તમે પણ એ જ રસ્તે આગળ વધી રહ્યા છો. તેમની અને આમની માનસિકતા સમાન છે.

ભારતમાં મુઠ્ઠીભર મુસ્લિમો તાલિબાનના સમર્થક છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના બાદ ભારતીય મુસ્લિમોના એક વિભાગે ખુશી વ્યક્ત કરી અને તેનું સ્વાગત કર્યું. આ અંગે જાવેદ અખ્તરે કહ્યું કે, ‘આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આ લોકો ફ્રિન્જ તત્વ છે. મોટાભાગના મુસ્લિમો આવા લોકોના નિવેદનો સાંભળીને ચોંકી ગયા છે અને તેઓ આવા લોકોની વાતો સાથે સહમત નથી, માનતા નથી.

તફાવત એ છે કે તેઓ તાલિબાન છે, અને આ તાલિબાન બનવા જઈ રહ્યા છે.

જાવેદ અખ્તર કહે છે કે તાલિબાનીઓ અને આ સંગઠનોમાં માત્ર એક જ તફાવત છે. એ છે કે, તેઓ તાલિબાન છે અને આ સંગઠનો હજુ તાલિબાન બનવાના બાકી છે. એન્ટી રોમિયો બ્રિગેડ, મહિલાઓના હાથમાં મોબાઈલનો વિરોધ કરનારા લોકો આવા જ લોકો છે. જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ભલે તે મુસ્લિમ દક્ષિણપંથી હોય, ખ્રિસ્તી જમણેરી હોય કે હિન્દુ દક્ષિણપંથી, તેઓ બધાની સમગ્ર વિશ્વમાં સમાન વિચારસરણી છે. તેઓ ઈસ્લામિક રાજ્ય બનાવવા જઈ રહ્યા છે અને આ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ‘જાવેદ અખ્તર આગળ કહે છે કે’ આ લોકો પણ ઈચ્છે છે કે કોઈ છોકરો અને છોકરી એક સાથે પાર્કમાં ન જાય. ફરક માત્ર એટલો છે કે આ લોકો તાલિબાન જેવા શક્તિશાળી નથી બન્યા. પરંતુ તેમનો હેતુ તાલિબાનની જેમ જ છે.

જાવેદ અખ્તરના નિવેદનો સામે ભાજપની પ્રતિક્રિયા

જાવેદ અખ્તરના આ નિવેદનો પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ભાજપના ધારાસભ્ય અતુલ ભટખાલકરે એક વિડીયો જારી કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘જાવેદ અખ્તરે આરએસએસ, વીએચપીની તાલિબાન સાથે તુલના કરીને હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ભાજપના ધારાસભ્યએ જાવેદ અખ્તરને પડકાર ફેંક્યો અને તેમને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જઈને તાલિબાન વિરુદ્ધ નિવેદન આપી બતાવવા કહ્યું. તેમણે કહ્યું કે ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે, તેથી લોકશાહી અકબંધ છે. જાવેદ અખ્તરે હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ અને પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ. અન્યથા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહો.

આ પણ વાંચો: KBC 13: ફરાહ ખાને દીપિકાની સામે લીધું બિગ બીનું ઓડિશન, વિડીયો જોઈને તમે પણ હસી પડશો

આ પણ વાંચો: સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">