AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર વખતે ઘણા સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. આ દરમિયાન, ઘણા ફોટોગ્રાફરોની ભીડ પણ તેમના ફોટા ક્લિક કરવા માટે ત્યાં હાજર હતી. આ બાબતે હવે ઝાકીર ખાન અને અનુષ્કાએ પોસ્ટ શેર કરી છે.

સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ
Anushka sharma shares zakir khan post says how celebrity death turned into drama
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 10:51 AM
Share

હાસ્ય કલાકાર ઝાકિર ખાને (Zakir Khan) એક સેલેબના મૃત્યુ પછી શું થાય છે તેના વિશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ ઝાકિરની આ પોસ્ટ સાથે ખૂબ સહમત છે. તેણે ઝાકીરની પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટ જણાવે છે કે કેવી રીતે સેલિબ્રિટીનું મૃત્યુ એક ભવ્યતા બની જાય છે. ઝાકીરની આ પોસ્ટ સિદ્ધાર્થ શુક્લના મૃત્યુ પછીની છે.

આ પોસ્ટમાં લખ્યું છે, ‘તેઓ તમને માણસ નથી માનતા. તેથી જ ત્યાં કોઈ લાઈન નથી, કોઈ સીમાઓ નથી. તમારા શબ તેમના માટે આત્મા વગરનું શરીર નહીં. માત્ર તસ્વીરો લેવાની એક વધુ તક છે. જેટલી શક્ય હોય તેટલી.

‘આ તોફાનોમાં સળગતા ઘરમાંથી વાસણો ચોરવાનો પ્રયાસ કરવા જેવું છે, કારણ કે તેના પછી તમે તેમના શું કામ આવશો? મહત્તમ 10 ફોટા, 5 સમાચાર, 3 વિડીયો, 2 સ્ટોરી અને 1 પોસ્ટ. બસ પછી સમાપ્ત. તમારું મૃત્યુ માત્ર તમાશો જ રહેશે.

રડતી માતા પણ એક તમાશો છે, દુ:ખથી તૂટેલો પિતા એક તમાશો છે, એક ઉદાસ બહેન, હિંમત હારેલા ભાઈ, દરેક વ્યક્તિ જે તમને પ્રેમ કરે છે તે તેમના માટે એક તમાશો છે. જો તમે જીવતા હોત, તો વસ્તુઓ અલગ હોત. તમે મૃત્યુ પામ્યા પછી, તમારા મોત પર રડતા તમારા પોતાના, હવે તેમની ભૂખ સંતોષશે.

અંતે, ઝાકિરે લખ્યું, ‘માત્ર એટલું જ કહેવું કે તમે અને મેં આ જીવન પસંદ કર્યું છે. જો તમે જીવતા હોવ ત્યારે આ બાબત જાણતા હોવ તો તમને કદાચ ઓછો અફસોસ થશે. છેલ્લી વખત તમારી આંખો બંધ કરતા પહેલા, ખુશ રહો, તમારા મિત્રોમાં, તમારા લોકોને પ્રેમ કરો, ઘણું શીખો, નવા સંબંધો બનાવો. ફક્ત તેમના માટે ના જીવતા, જેટલું જીવન બચ્યું છે. તમારા માટે જીવો કારણ કે તેમના મતે તમે માણસ નથી. ઝાકીરે આ પોસ્ટ સાથે અભિનેતાના મૃત્યુ બાદ વાયરલ થઇ રહેલી તસ્વીરો અને વાતો પર ગુસ્સો કાઢ્યો છે.

અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે. આ સાથે જ વિશાલ દદલાની, ગૌહર ખાન અને ઘણા સેલેબ્સે સિદ્ધાર્થના મૃત્યુ પર કેટલાક મીડિયા કવરેજ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતાના પરિવાર અને નજીકના લોકોના આવા ફોટા લેતા મીડિયા ફોટોગ્રાફરોથી તેઓ નારાજ છે. બધાએ તેનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: Beauty in black: શ્વેતા તિવારીનો ગ્લેમરસ અવતાર, નવી અભિનેત્રીઓને પણ શરમાવે એવી છે ફીટ શ્વેતા

આ પણ વાંચો: એસિડ એટેકની પીડિતા ફરી લડી રહી છે જીવન મરણની જંગ, દીપિકા પાદુકોણે કરી આ મદદ

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">