Janhvi Kapoorએ કર્યો તેના ડ્રીમ મેરેજનો ખૂલાસો, આવા ધામધૂમથી અભિનેત્રીને કરવા છે લગ્ન
જ્હાનવી કપૂર ભલે તેમના પ્રોફેશનલ જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, પરંતુ તે જ સમયે તે તેમના લગ્ન માટેની યોજનાઓ પણ બનાવી રહી છે.
જ્હાનવી કપૂર (Janhvi Kapoor) હાલમાં બોલીવુડમાં પોતાની કારકિર્દી ઘડવામાં વ્યસ્ત છે. જ્હાનવીએ અત્યાર સુધીમાં 4 ફિલ્મો કરી છે અને તે દરેક ફિલ્મ સાથે એક બહેતરીન અભિનેત્રી બની રહી છે. પરંતુ આ સાથે જ્હાનવીએ તેમના લગ્ન માટે પ્લાન પણ તૈયાર કર્યો છે. હા, તાજેતરમાં જ જ્હાનવીએ તેમના લગ્નનો પ્લાન જણાવ્યો છે. જ્હાનવીનું કહેવું છે કે તે એક સિંપલ અને સુંદર લગ્ન ઈચ્છે છે જે 2 દિવસમાં થઈ જાય.
જ્હાનવીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઈચ્છે છે કે તેની બેચલરેટ પાર્ટી કેપ્રી મૈ યાચમાં થાય અને લગ્ન તિરુપતિમાં. તેમની મહેંદી અને સંગીત સમારોહ મયલાપુરમાં થાય. જ્હાનવીએ એમ પણ કહ્યું કે તેમને રિસેપ્શન વિશે કોઈ એક્સાઈટમેન્ટ નથી. જ્હાનવીએ કહ્યું, ‘શું રિસેપ્શન જરૂરી હોય છે ખરુ? નહીં તો છોડો રિસેપ્શન.
લગ્નની સજાવટ અંગે જાહ્નવીએ કહ્યું, ‘લગ્નનું ડેકોરેશન પરંપરાગત પરંતુ સિંપલ રહેશે. મોગરા અને મીણબત્તીઓથી ડેકોરેશન થવું જોઈએ. જ્યારે જ્હાનવીને પૂછવામાં આવ્યું કે તેમની બ્રાઈડમેડ્સ કોણ હશે, ત્યારે તેમણે ખુશી કપૂર (Khushi Kapoor) અને અંશુલા કપૂર (Anshula Kapoor)ના નામ લીધા. આ સાથે તેમણે તેમની મિત્ર તનિષાનું નામ પણ લીધું. જ્હાનવીએ કહ્યું, ‘ મારા લગ્નમાં ખુશી અને પિતા ભાવુક થઈ જાય તો અંશુલા દીદી બધું સંભાળી શકે છે.’
પોતાના ભાવિ પતિ વિશે શું કહ્યું જ્હાનવીએ
જ્હાન્વીએ કહ્યું ‘મારો પતિ સમજદાર હોવો જોઈએ કારણ કે હું હજી સુધી આવી કોઈ વ્યક્તિને મળી નથી, તેથી જ્હાનવીની આ વાતો સાંભળ્યા પછી લાગે છે કે તેણે તેમના લગ્નની તૈયારીઓ કરી લીધી છે અને હવે બસ છોકરો મળવાની રાહ છે.
જ્હાનવીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમણે વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કર્યું અને તે પછી તેણે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’, ‘ગુંજન સક્સેના’ અને ‘રૂહી’માં કામ કર્યું. હવે જ્હાનવી ‘ગુડ લક જેરી’ અને ‘દોસ્તાના 2’ ફિલ્મોમાં જોવા મળશે.
આ પણ વાંચો :- Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર
આ પણ વાંચો :- Happy Friendship Day: અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં પણ દરેક પર ભારે છે આ સ્ટાર્સ, મિત્રતામાં એકબીજા પર આપે છે જાન