AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિપ્રેશનના કારણે આ સ્ટાર્સે કરી આત્મહત્યા, નીતિન દેસાઈ સહિત આ સ્ટાર્સે જાતે જ ટૂંકાવ્યુ જીવન

બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સ 'ડિપ્રેશન'નો શિકાર બન્યા છે. કેટલાક તેની સાથે લડ્યા અને જીવનમાં આગળ વધ્યા તો કેટલાક સ્ટાર્સે ડિપ્રેશનમાં પોતાનો જીવ લીધો. નીતિન દેસાઈ સહિત અનેક સ્ટાર્સે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું છે.

ડિપ્રેશનના કારણે આ સ્ટાર્સે કરી આત્મહત્યા, નીતિન દેસાઈ સહિત આ સ્ટાર્સે જાતે જ ટૂંકાવ્યુ જીવન
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 10:00 AM
Share

આજકાલ ‘ડિપ્રેશન’ શબ્દ સાંભળવો ખૂબ જ સામાન્ય બની ગયો છે. પણ ‘ડિપ્રેશન’ એ સામાન્ય રોગ નથી. જો તે વધે છે, તો તે વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે પણ મજબૂર કરી શકે છે. ચિંતા અને ટેન્શનમાં ડૂબેલી વ્યક્તિ તેનો શિકાર બને છે. ગતરોજ પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરીને સૌને ચોંકાવી દીધા હતા. એવું માનવામાં આવે છે કે તે ડિપ્રેશનનો શિકાર પણ હતા.

આ પણ વાંચો : Nitin Chandrakant Desai Family Tree : પ્રસિદ્ધ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના થોડા દિવસ પહેલા જ મોતને વ્હાલું કર્યું, જાણો તેના પરિવાર વિશે

સુશાંત સિંહ રાજપૂત

નીતિન દેસાઈ એકમાત્ર સેલિબ્રિટી નથી જેણે આવું પગલું ભર્યું હોય. આ પહેલા ઘણા મોટા સ્ટાર્સ ડિપ્રેશનમાં આવીને મોતને ભેટી ચૂક્યા છે. બોલિવૂડનો તેજસ્વી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરે લટકતો મળી આવ્યો હતો. જો કે તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ એવું માનવામાં આવતું હતું કે તે લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તેના ઘરેથી કેટલાક મેડિકલ પેપર્સ અને એન્ટીડિપ્રેસન્ટ ગોળીઓ પણ મળી આવી હતી.

દિશા સાલીયન

8 જૂનના રોજ સમાચાર સામે આવ્યા હતા કે, સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાન મલાડમાં તેના મંગેતરના ઘરના 14મા માળેથી કથિત રીતે કૂદકો મારવા અથવા અકસ્માતે પડી જવાથી મૃત્યુ પામી હતી. સલિયનના મૃત્યુના પાંચ દિવસ બાદ સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું હતું.

કુશાલ પંજાબી

કુશાલ પંજાબીનો જન્મ 1977માં થયો હતો અને તેણે ઘણા રિયાલિટી શો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું હતું. તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા. 26 ડિસેમ્બર 2019 ના રોજ, તે મુંબઈમાં તેના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માત્ર 42 વર્ષની ઉંમરે, અભિનેતાએ આત્મહત્યા કરી. કુશાલ પંજાબી પણ ડિપ્રેશનનો શિકાર હતો.

જિયા ખાન

જિયા ખાનનું સાચું નામ નફીસા રિઝવી ખાન હતું અને તેનો જન્મ 1988માં થયો હતો. તે બ્રિટિશ અમેરિકન અભિનેત્રી અને ગાયિકા હતી. 3 જૂન 2013 એ દિવસ હતો જ્યારે જિયા તેના ઘરે લટકતી મળી આવી હતી. મૃત્યુના થોડા દિવસો બાદ જિયાના ઘરેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. પત્રમાં તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીનું નામ હતું. એવું માનવામાં આવે છે કે, જિયા પણ લાંબા સમયથી ડિપ્રેશન સામે લડી રહી હતી.

પ્રત્યુષા બેનર્જી

નાના પડદાના પ્રખ્યાત શો બાલિકા વધૂમાં ‘આનંદી’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી પ્રત્યુષા 1 એપ્રિલ 2016ના રોજ મુંબઈના તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે બિગ બોસ સિઝન 7માં પણ જોવા મળી હતી. પ્રત્યુષા વિશે એવું પણ કહેવાય છે કે તે ડિપ્રેશનનો શિકાર હતી અને ઘણા સમયથી પરેશાન હતી.

તુનિષા શર્મા

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ પણ આત્મહત્યા કરીને બધાને હચમચાવી દીધા હતા. અભિનેત્રીએ પોતાની ટીવી સિરિયલના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. 21 વર્ષની તુનીશા ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે પોતાનો જીવ લીધો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">