AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive : નીતિન દેસાઈ છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેક માટે સેટ બનાવવાના હતા, લાલબાગ ચા રાજાનો પંડાલ અધૂરો રહ્યો

Nitin Desai Suicide:નીતિન દેસાઈ (Nitin Desai) તેમના ભવ્ય મોટા બજેટ સેટ માટે જાણીતા હતા. છેલ્લા 14 વર્ષથી તે લાલબાગ ચા રાજાનો સેટ બનાવી રહ્યા હતા. આ વખતે કામ અધૂરું રહી ગયું.

Exclusive : નીતિન દેસાઈ છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેક માટે સેટ બનાવવાના હતા, લાલબાગ ચા રાજાનો પંડાલ અધૂરો રહ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 2:35 PM
Share

Nitin Desai Suicide: નેશનલ અવોર્ડ વિનિંગ મશહુર આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈ (Nitin Desai) મહારાષ્ટ્રના કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનડી સ્ટુડિયોમાં નીતિન દેસાઈનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. નીતિન દેસાઈ એક સમયે કરોડો રૂપિયાની મેગા બજેટ ફિલ્મો અને ટીવી સિરિયલો બનાવતા હતા. નીતિન દેસાઈ દર વર્ષે સેવા તરીકે મુંબઈના પ્રખ્યાત ગણપતિ પંડાલ ‘લાલબાગ ચા રાજા’નો સેટ બનાવતા હતા.

આ વર્ષે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક માટે એક સેટ બનાવવા માંગતા હતા.

આ પણ  વાંચો : Breaking news : દેવદાસ-જોધા અકબરના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી, સ્ટુડિયોમાંથી મૃતદેહ મળ્યો

ગત્ત વર્ષે રામ મંદિરનો સેટ બનાવનાર નિતિન દેસાઈએ એક મહિના પહેલા લાલબાગ ચા રાજાના પંડાલમાં સેટ બનાવવાનું શરુ કર્યું હતુ. આ વર્ષે તે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક માટે સેટ બનાવવા માંગતા હતા. આજથી અંદાજે 349 વર્ષ પહેલા શિવાજી મહારાજનો રાજ્યભિષેક થયો હતો અને આ જશ્નને નિતિન દેસાઈએ પોતાની કળાના માધ્યમથી ફરી એક વખત યાદ કરવા માંગતા હતા.

પંડાલનું કામ અધૂરું રહ્યું

સૂત્રોનું માનીએ તો તેમના મૃત્યુ બાદ સેટનું કામ અધૂરું રહી ગયું છે અને ગણપતિના આગમનને માત્ર 45 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં આ વર્ષે પંડાલનું કામ કેવી રીતે પૂર્ણ થશે, આ સવાલ લાલબાગ ચા રાજાની ટીમ સામે છે.

આ પણ વાંચો : Vijay Sethupathi Family Tree: ફિલ્મ ‘જવાનનો’ સ્ટાર વિજય સેતુપતિ એક સમયે સેલ્સમેન તરીકે કામ કરતો હતો, આજે બોલિવુડમાં આપી રહ્યો છે હિટ ફિલ્મો

લાલબાગ ચા રાજાના સેટ વિશે વાત કરતા નિતિન દેસાઈએ કહ્યું હતું કે, જ્યારે પણ હું બાપ્પાની સેવા કરું છું. હું એક વર્ષ પહેલા વિચારવાનું શરુ કરી દેતો હોઉ છુ. મને અંદાજે 6 મહિના લાગે છે. લાલબાગના રાજા માધ્મથી હું પણ મારી કળાની નવેસરથી શરૂઆત કરું છું. તેથી જ મને 365 દિવસ સુધી તેનું ચિંતન કરવાનું ગમે છે. તમે દર વર્ષે જે ભવ્ય સેટ જુઓ છો તે અમારી મહેનતનું પરિણામ છે.

ચાર વખત નેશનલ એવોર્ડ જીત્યો

નીતિન દેસાઈને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશક તરીકે ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. બે દાયકાની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલિવૂડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારીકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">