AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya Roy Kapur Birthday special : શ્રદ્ધા કપૂરને ડેટ કરી ચુક્યો છે આદિત્ય રોય કપૂર, માતાના કારણે થયું હતું બ્રેકઅપ

આશિકી 2 એક્ટર આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) 16 નવેમ્બરના રોજ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા આદિત્ય કપૂર લોકપ્રિય વીજે હતા. જાણો આદિત્યના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...

Aditya Roy Kapur Birthday special : શ્રદ્ધા કપૂરને ડેટ કરી ચુક્યો છે આદિત્ય રોય કપૂર, માતાના કારણે થયું હતું બ્રેકઅપ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:46 AM
Share

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) આજે એટલે કે 16 નવેમ્બર પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આશિકી 2 એક્ટર આદિત્ય રોય કપૂર 16 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આદિત્ય રોય કપૂર ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરના ભાઈ છે.

 વર્ષ 2009માં તેણે લંડન ડ્રીમ્સ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સલમાન અને અજય દેવગન જેવા મોટા કલાકારો હતા. અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘એક્શન રિપ્લે’ પછી રિતિક રોશનની ફિલ્મ ‘ગુઝારીશ’માં પણ સપોર્ટિંગ રોલ કર્યો હતો.

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂરનો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. પિતાનું નામ કુમુદ રોય કપૂર અને માતાનું નામ શાલોમી એરોન છે. તેમના દાદા રઘુપત રોય કપૂર 1940ના દાયકામાં ફિલ્મ નિર્માતા હતા. તેમનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં જ થયું હતું. તે અભ્યાસમાં બહુ સારો નહોતો પરંતુ આદિત્યને શરૂઆતથી જ એક્ટિંગનો શોખ હતો.

બહુ ઓછા લોકોને ખબર હશે કે, આદિત્ય એક્ટર નહીં પણ ક્રિકેટર બનવા માંગતો હતો. તેને 2013માં આવેલી ફિલ્મ આશિકી 2 થી ઓળખ મળી હતી. આ ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આશિકી 2માં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાદ આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરના અફેરની પણ ચર્ચા થઈ હતી.

રિપોર્ટ્સ અનુસાર બંને ડેટિંગ પણ કરી રહ્યાં હતાં. ત્યારબાદ બંનેએ ફિલ્મ ઓકે જાનુમાં સાથે કામ કર્યું હતું. આદિત્ય અને શ્રદ્ધા વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આદિત્ય રોય કપૂરને શ્રદ્ધા કપૂરના પરિવારે ક્યારેય સ્વીકાર્યો ન હતો. શ્રદ્ધાની માતાને લાગ્યું કે આ સંબંધ તેની કારકિર્દી માટે બોજ બની રહ્યો છે.

આદિત્ય રોય કપૂરે શ્રદ્ધા કપૂર પછી દિવા ધવનને ડેટ કરી હતી. જોકે, બંનેએ તેની પુષ્ટિ કરી નથી. એક ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આદિત્ય રોય કપૂરે કહ્યું હતું કે તે અને દિવા ઘણા વર્ષોથી સારા મિત્રો છે અને તેમની વચ્ચે કંઈ જ નથી.

આદિત્ય રોય કપૂરે કહ્યું, ‘તેણે કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી. મેં પણ તેનું પુનરાવર્તન કર્યું છે. મને લાગે છે કે તે એ હકીકતથી તેને વેગ મળે છે કે અમે તેને ઘણીવાર ડિનરમાં જોતા હોઈએ છીએ. અમે ઘણા વર્ષોથી મિત્રો છીએ અને થોડા સમય માટે મળ્યા પણ નથી. મારા માટે લગ્ન બહુ દૂરની વાત છે.

આ પણ વાંચો : Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય

આ પણ વાંચો  : તણાવ વચ્ચે શી જિનપિંગે બાઈડન સાથે કરી વાતચીત, કહ્યું- ચીન બંને દેશોના સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા છે તૈયાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">