AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તણાવ વચ્ચે શી જિનપિંગે બાઈડન સાથે કરી વાતચીત, કહ્યું- ચીન બંને દેશોના સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા છે તૈયાર

બંને પક્ષોએ તે ક્ષેત્રોની રૂપરેખા સાથે વાટાઘાટો શરૂ કરી કે જેના વિશે બંને દેશોએ વાત કરવાની જરૂર છે. બાઈડને માનવાધિકાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર સંવાદને આગળ વધાર્યો.

તણાવ વચ્ચે શી જિનપિંગે બાઈડન સાથે કરી વાતચીત, કહ્યું- ચીન બંને દેશોના સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા છે તૈયાર
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 7:36 AM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (joe biden) ચીનના સમકક્ષ શી જિનપિંગ(Xi Jinping)  સાથે વાતચીત કરી છે. આખી દુનિયા બંને વચ્ચેની આ વાતચીતની રાહ જોઈ રહી હતી. આ બેઠકમાં શી જિનપિંગે કહ્યું કે ચીન ‘અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો’ને સકારાત્મક દિશામાં લઈ જવા માટે તૈયાર છે. બાઇડને માનવાધિકાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર સંવાદને આગળ વધાર્યો હતો.

રાષ્ટ્રપતિ જો બાઇડને મીટિંગની શરૂઆત એમ કહીને કરી હતી કે તેમનો ધ્યેય સ્પર્ધાને સુનિશ્ચિત કરવાનો છે અને સંઘર્ષમાં જોડાવાનો નથી. યુએસ-ચીન સંબંધોમાં વધી રહેલા તણાવ વચ્ચે બંને નેતાઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળ્યા હતા. મીટિંગ દરમિયાન બાઇડને ઉત્તર-પશ્ચિમ ચીનમાં ઉઇગુર વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘન, હોંગકોંગમાં લોકશાહી વિરોધ, તાઇવાનના સ્વ-શાસિત ટાપુ સામે લશ્કરી આક્રમણ સહિતના મુદ્દાઓ પર ચીનની ટીકા કરી હતી.

બંને પક્ષોએ તે ક્ષેત્રોની રૂપરેખા સાથે વાટાઘાટો શરૂ કરી કે જેના વિશે બંને દેશોએ વાત કરવાની જરૂર છે. બાઈડને માનવાધિકાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર સંવાદને આગળ વધાર્યો. આ દરમિયાન શી જિનપિંગે કહ્યું કે બંને દેશો વચ્ચે સ્થિર સંબંધોની જરૂર છે અને તેના માટે બંને દેશો એકબીજાનું સન્માન કરે તે મહત્વનું રહેશે. તેણે કહ્યું કે તે તેના “જૂના મિત્ર” બાઇડનને જોઈને ખુશ છે. બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત છે.

શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, “શી બિડેનને આ મીટિંગમાં તાઇવાન કાર્ડ સાથે આગળ ન વધવા માટે કહેશે કારણ કે બેઇજિંગ હવે મુખ્ય ભૂમિ સાથે ફરીથી એકીકૃત થવા માટે અલગ સ્વ-સંચાલિત ટાપુ માટે દબાણ કરવાનું ચાલુ રાખે છે.” ચીની રાષ્ટ્રપતિનો મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે.

મીટિંગમાં શી જિનપિંગે જણાવ્યું હતું કે તાઇવાન અને અન્ય ફ્લેશપોઇન્ટ મુદ્દાઓ પર વધતા તણાવ વચ્ચે બંને દેશોએ સંદેશાવ્યવહારમાં સુધારો કરવાની અને સાથે મળીને પડકારોનો સામનો કરવાની જરૂર છે.

બાઇડને શી સાથે રૂબરૂ મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીનના નેતાએ કોરોનાવાયરસ રોગચાળાની શરૂઆતથી પોતાનો દેશ છોડ્યો નથી. આ જ કારણ છે કે વ્હાઇટ હાઉસે વર્ચ્યુઅલ મીટિંગનો વિચાર આગળ ધપાવ્યો જેથી બંને દેશોના વડા વર્તમાન તણાવ પર ખુલીને વાત કરી શકે.

આ પણ વાંચો : ભારતે 99 દેશોના વિદેશી પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન ફ્રી મુસાફરીની આપી મંજૂરી, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન

આ પણ વાંચો : Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">