AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh-Jaya 50th Anniversary : શ્વેતાએ જણાવ્યું તેના માતા-પિતાના સુખી લગ્નજીવનનું રહસ્ય, કહ્યું- પત્ની હંમેશા સાચી હોય છે

Amitabh-Jaya 50th Anniversary : બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નના 50 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર શ્વેતા બચ્ચને તેના માતા-પિતા માટે એક નોંધ શેર કરી છે.

Amitabh-Jaya 50th Anniversary : શ્વેતાએ જણાવ્યું તેના માતા-પિતાના સુખી લગ્નજીવનનું રહસ્ય, કહ્યું- પત્ની હંમેશા સાચી હોય છે
Amitabh Jaya 50th Anniversary
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 2:21 PM
Share

Amitabh-Jaya 50th Anniversary : હિન્દી સિનેમાના મહાન કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નના આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ અને જયાના લગ્ન અને અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતો છે જે તેમની લવ સ્ટોરીની સુંદરતા દર્શાવે છે. મેગાસ્ટાર ઘણીવાર તેના લગ્ન અને પત્ની જયા વિશે સાંભળેલી ન સાંભળેલી વાતો શેર કરતા જોવા મળે છે. બંનેના લગ્નજીવનમાં પ્રેમ આજે પણ અકબંધ છે.

આ પણ વાંચો : Navya Naveli Nanda Video: અમિતાભ બચ્ચનની પૌત્રી ટ્રેક્ટર ચલાવતી જોવા મળી, ગુજરાતના ગામની મહિલાઓ સાથે કરી મુલાકાત

શ્વેતાએ શેર કર્યો ફોટો

પોતાના માતા-પિતાની 50મી વેડિંગ એનિવર્સરી પર શ્વેતા બચ્ચને તેમના સુખી જીવનનું રહસ્ય જણાવ્યું છે. દીકરી શ્વેતાએ અમિતાભ અને જયાની જૂની તસવીર શેર કરી છે. આ ચિત્ર બ્લેક એન્ડ વ્હાઇટ છે. જેમાં બંને સ્ટાર્સ ખૂબ જ યુવાન દેખાઈ રહ્યા છે. સાડી પહેરીને જયા તેના પતિ સાથે વાત કરતી જોવા મળી રહી છે. તે જ સમયે બિગ બી પણ દિવાલનો સહારો લઈને તેમની વાત સાંભળતા જોવા મળે છે. શ્વેતાએ ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે.

View this post on Instagram

A post shared by S (@shwetabachchan)

બિગ બીના પિતાની ઈચ્છાથી બંનેએ કર્યા લગ્ન

શ્વેતાએ લખ્યું કે, હેપ્પી 50માં પેરેન્ટ્સ. તમે લોકો ગોલ્ડન બની ગયા છો. શ્વેતાએ કેપ્શનમાં એમ પણ કહ્યું કે એકવાર તેની માતાને લાંબા લગ્નજીવનનું રહસ્ય પૂછવામાં આવ્યું. જેના પર જયાનો જવાબ હતો પ્રેમ. તે જ સમયે તેના પિતા એટલે કે અમિતાભ બચ્ચન કહે છે કે, પત્ની સાચી હોય છે. આ લાંબા અને સારા લગ્નજીવનનું રહસ્ય છે. 3 જૂન, 1973ના રોજ બિગ બીએ બહુ ઓછા લોકો વચ્ચે જયા સાથે લગ્ન કર્યા અને તેમને પોતાની પત્ની બનાવી. બિગ બીના પિતાની ઈચ્છાથી બંનેએ લગ્ન કર્યા હતા.

View this post on Instagram

A post shared by S (@shwetabachchan)

લગ્નના દિવસથી લઈને આ કપલ સાથે છે

ઘણી વખત અમિતાભે પોતે પણ ઉલ્લેખ કર્યો છે કે, તેમને મિત્રો સાથે વિદેશ જવાનું થયું હતું. પરંતુ તેના પિતાએ તેની સામે એક શરત મૂકી હતી કે તે જયા સાથે લગ્ન કર્યા પછી જ ત્યાં જઈ શકશે. જેના કારણે અમિતાભે જયા સાથે ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા. તે દિવસથી આજ સુધી આ કપલ સાથે છે. બંનેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. પરંતુ બિગ બી અને જયાએ ક્યારેય એકબીજાનો સાથ નથી છોડ્યો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">