Birthday Special : કપિલ શર્મા શોના ‘દાદી’ અલી અસગર સારા રોલની જોઈ રહ્યા છે રાહ, એક સમયે ‘કમલ’ બનીને જીત્યું હતું દિલ

આજે અલી અસગરનો (Ali Asgar) જન્મદિવસ છે, જે ટૂંક સમયમાં જ 'ઝલક દિખલા જા'ની 10મી સીઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળશે. જો કે કોમેડિયન તરીકે ફેમસ થયેલા અલી હવે કેટલાક રસપ્રદ પાત્રો કરવા માંગે છે.

Birthday Special : કપિલ શર્મા શોના 'દાદી' અલી અસગર સારા રોલની જોઈ રહ્યા છે રાહ, એક સમયે 'કમલ' બનીને જીત્યું હતું દિલ
Ali Asgar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 1:09 PM

આજે ભારતીય ટીવી એક્ટર અને કોમેડિયન અલી અસગરનો (Ali Asgar Birthday) જન્મદિવસ છે. દર્શકોના ચહેરા પર સ્મિત લાવનારા અલી આજે 56 વર્ષનો થઈ ગયો. ‘ધ કપિલ શર્મા શો’માં અલી અસગરને દાદીના રૂપમાં લોકોએ પસંદ કર્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે અસગર, ઈન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે. કપ્પુની દાદીની ભૂમિકા ભજવતા પહેલા પણ તેણે ઘણી યાદગાર ભૂમિકાઓ કરી છે. કહાની ઘર ઘર કીમાં તેણે ભજવેલી કમલની ભૂમિકા આજે પણ બધાને યાદ છે. પરંતુ આજે જ્યાં તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ OTT તરફ વળ્યા છે, અલી અસગર પાસે ન તો કોઈ OTT પ્રોજેક્ટ છે અને ન તો તે આજકાલ ટીવી પર દેખાઈ રહ્યો છે.

અલી અસગર ટૂંક સમયમાં પાછા ફરી શકે છે

આ વિશે એક મીડિયા પોર્ટલ સાથે વાત કરતા અલી અસગરે કહ્યું કે, અત્યારે તે તેના પ્રોજેક્ટ વિશે વધુ વિગતો શેર કરી શકતો નથી અને ન તો લોકોને કહી શકે છે કે તે આ દિવસોમાં સ્ક્રીન પરથી કેમ ગાયબ છે. જો કે અમારા સૂત્રોનું માનીએ તો અલી ટૂંક સમયમાં જ ‘ઝલક દિખલા જા’ સાથે કમબેક કરશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે શા માટે પોતાને OTT પ્લેટફોર્મથી દૂર રાખે છે, તો તેણે કહ્યું કે, હું એક કોમેડિયન છું અને મારી ઈમેજ એવી બની ગઈ છે કે મેકર્સને લાગે છે કે હવે હું કોઈ અન્ય રોલમાં ફિટ નહીં થઉં.’

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

અલી અસગરના કેટલાક વીડિયો અહીં જુઓ…..

View this post on Instagram

A post shared by Ali Asgar (@kingaliasgar)

View this post on Instagram

A post shared by Ali Asgar (@kingaliasgar)

કોઈની પાસે જઈને સમજાવી શકતો નથી અલી

અલીએ વધુમાં કહ્યું કે, “મેં ટીવી પર ઘણા પાત્રો ભજવ્યા છે અને OTTમાં પાત્ર ભજવવા માટે વાસ્તવિક ઝોનની જરૂર છે. જો કે હું મારી ઈમેજથી બિલકુલ પરેશાન નથી, હું માત્ર પ્રવાહ સાથે જઈ રહ્યો છું, હું લોકોને સમજાવી શકતો નથી કે હું બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા છું, મને તમારા પ્રોજેક્ટનો એક ભાગ બનાવો. મેં જે પણ કામ કર્યું છે તેનાથી હું સંતુષ્ટ છું.” તમને જણાવી દઈએ કે, એકતા કપૂરની સિરિયલમાં અલીએ ભજવેલું ‘કમલ’નું પાત્ર આજે પણ દર્શકોને યાદ છે. આ પાત્રના અનેક રંગો અલીએ નાના પડદા પર રજૂ કર્યા હતા.

View this post on Instagram

A post shared by Ali Asgar (@kingaliasgar)

અલી અસગર ઓટીટી પર સારું કામ કરવા માંગે છે

OTTમાં કામ કરવા અંગે તે કહે છે કે OTT પર કામ કરતા અન્ય કલાકારોને જોઈને તેને પણ લાગે છે કે તેણે OTT પ્લેટફોર્મ પર કામ કરવું જોઈએ. તે ઘણીવાર વિચારે છે કે આ અભિનેતાએ કેવી ભૂમિકા ભજવી હશે. અલી પણ કેટલાક રસપ્રદ પ્રોજેક્ટની શોધમાં છે, તેને ઑફર્સ મળે છે પરંતુ જ્યારે તેને યોગ્ય લાગે ત્યારે જ તે રોલ કરવા માંગે છે. ટેલિવિઝન પર પાછા ફરવા પર, અભિનેતાએ કહ્યું કે તેને કંઈપણ કરવામાં રસ નથી, તેણે કહ્યું કે તેને કેટલીક કેમિયો ભૂમિકાઓ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેણે કેમિયો રોલ કરવાનો ઇનકાર કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">