આમિર ખાને કોરોના સમયગાળા દરમિયાન છોડી દીધી હતી એક્ટિંગ, સુપરસ્ટારે કર્યો આ ખુલાસો

આમિર ખાને જાહેર કર્યું (Aamir Khan Decided to Quit From Film Line) કે તેણે કોવિડ 19 (Covid 19) રોગચાળા દરમિયાન ફિલ્મો અને અભિનય બંને છોડવાનું મન બનાવી લીધું હતું.

આમિર ખાને કોરોના સમયગાળા દરમિયાન છોડી દીધી હતી એક્ટિંગ, સુપરસ્ટારે કર્યો આ ખુલાસો
Aamir Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 2:45 PM

આમિર ખાને (Aamir Khan) પોતાના પ્રોડક્શન બેનર હેઠળ એકથી વધુ ફિલ્મો બનાવી છે. તેના અભિનય ઉપરાંત, તેના ક્રિએટિવ માઇન્ડ માટે ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. તેથી જ તેને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આમિર ખાને ભૂતકાળમાં એક્ટિંગ છોડવાનું મન બનાવી લીધું હતું? હા, આમિર ખાને પોતે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત સ્વીકારી હતી. આમિર ખાને જાહેર કર્યું કે, તેણે કોવિડ 19 (Covid 19) રોગચાળા દરમિયાન ફિલ્મો અને અભિનય બંને છોડવાનું મન બનાવી લીધું હતું. તે આ અંગે જાહેરાત પણ કરવાના હતા, પરંતુ બાદમાં તેણે ફરી એકવાર પોતાના નિર્ણય પર વિચાર કર્યો. કારણ કે તેને લાગ્યું કે દર્શકો કદાચ નહીં સમજી શકે કે આમિર તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના (Laal Singh Chaddha) પ્રમોશન માટે આ બધું કરી રહ્યો છે.

અભિનેતાએ પોતે જ કર્યો ખુલાસો

મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેતાએ કહ્યું- ‘ના, હું છોડી રહ્યો છું, આ વિશે કોઈ જાણતું નથી. હું આ પહેલીવાર કહી રહ્યો છું. તમે બધા ચોંકી જશો. મેં મારા પરિવારને કહ્યું છે કે, આ પછી હું કોઈ ફિલ્મ કરવાનો નથી. હું ન તો અભિનય કરીશ અને ન તો ફિલ્મો બનાવીશ. હવે મારે આ બધું નથી કરવું. હવે હું તમારા બધા સાથે સમય પસાર કરવા માંગુ છું. કિરણ અને તેના માતા-પિતા, રીના અને તેના માતા-પિતા મારા બાળકો મારો પરિવાર. આ બધા સાથે. મેં વિચાર્યું કે આ કરવું જોઈએ. મને લાગે છે કે તે ગુસ્સમાં આપેલો જવાબ હતો. મારો પરિવાર પણ આઘાતમાં હતો, કારણ કે મેં કંઈક આવું કહ્યું હતું. મારી સાથે દલીલ કરવાનું કોઈએ યોગ્ય ન માન્યું. પછી મેં વિચાર્યું કે લોકોને કહેવામાં આવે કે હું હવે અભિનય નહીં કરું. ત્યારે મને લાગ્યું કે જો હું હવે લોકોને કહું તો તેઓ સમજી જશે કે, લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ નજીક છે. તેથી હું આ કરી રહ્યો છું. આ માર્કેટિંગ સ્કીમ હોઈ શકે છે. રિલીઝ પહેલા નિવૃત્તિની જાહેરાત.

આમિરના પરિવારજનોને લાગ્યો હતો આઘાત

આમિરે કહ્યું કે, તેનો પરિવાર તેના નિર્ણયથી ખૂબ જ ચોંકી ગયો છે. આમિરે કહ્યું- ‘મેં આ વિશે ઘણું વિચાર્યું અને પછી નક્કી કર્યું કે આ વિશે અત્યારે કહેવું યોગ્ય નથી. મારી ફિલ્મ હવે 3-4 વર્ષ પછી આવી રહી છે. એકવાર લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થઈ જશે પછી કોઈની નોંધ નહીં આવે કે હું હવે ફિલ્મો નથી કરી રહ્યો. પછી હું ઈન્ડસ્ટ્રી છોડી દઈશ, તેના વિશે કોઈ પૂછશે નહીં. પછી મેં નક્કી કર્યું કે હવે હું આ વિશે કંઈ કહીશ નહીં. આ વિચારમાં ઘણા મહિનાઓ વીતી ગયા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આમિરે આગળ કહ્યું- ‘એક દિવસ મારા બાળકોએ મને કહ્યું કે તમે એક્સ્ટ્રીમ વ્યક્તિ છે. તમે એવું ન કરો. તમારા જીવનમાં સંતુલન લાવવું તમારા માટે સારું રહેશે. મેં ફિલ્મો છોડી દીધી હતી, દિલથી ફિલ્મો છોડી દીધી હતી. મારા બાળકો અને કિરણે મને સમજાવ્યું કે હું ખોટું કરી રહ્યો છું. કિરણ રડવા લાગી અને કહ્યું કે, જ્યારે પણ તને જોઉં છું ત્યારે મને લાગે છે કે તારી અંદર સિનેમા વસી ગયું છે. તમે જે કહો છો તે મારી સમજની બહાર છે. આ બે વર્ષમાં ઘણું બધું થયું. મેં ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને હવે ફરી પાછો આવ્યો છું.

આ પણ વાંચો: Aamir Khan Net Worth : સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એક છે આમિર ખાન, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

આ પણ વાંચો: Aamir Khan Birthday: કિરણ રાવથી છૂટાછેડા લેવા પાછળનું કારણ શું હતું ? આમિર ખાને કર્યો મોટો ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">