30 Years Of Cinema: અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા, ફેન્સનો આભાર માન્યો, ‘પૃથ્વીરાજ’ની રિલીઝ ડેટ કરી જાહેર

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારનું સાચું નામ રાજીવ ભાટિયા છે. તેણે દિગ્દર્શક રાજ સિપ્પીની રોમેન્ટિક-એક્શન ફિલ્મ સૌગંધથી તેની ફિલ્મી શરૂઆત કરી હતી. સૌગંધ 25 જાન્યુઆરી 1991ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

30 Years Of Cinema: અક્ષય કુમારે ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા, ફેન્સનો આભાર માન્યો, 'પૃથ્વીરાજ'ની રિલીઝ ડેટ કરી જાહેર
Akshay Kumar Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 8:04 PM

અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રીસ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી અક્ષયે તેના ફેન્સનો વિશેષ આભાર વ્યક્ત કર્યો અને વર્ષોથી પ્રેમનો વરસાદ કરવા બદલ તેમનો આભાર પણ માન્યો. એટલું જ નહીં, આજે આ ખાસ અવસર પર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું (Prithviraj) નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજનું નવું પોસ્ટર રિલીઝ કરીને આ સિદ્ધિ બદલ અક્ષયને અભિનંદન પાઠવ્યા છે.

યશ રાજ ફિલ્મ્સે આ પ્રસંગે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરીને અક્ષયને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. વીડિયોમાં અક્ષય તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજના ખાસ પોસ્ટર પરથી પડદો ઉઠાવતો જોવા મળે છે. તેમની સાથે ફિલ્મના દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ હાજર હતા. આ વીડિયોમાં તમે અક્ષયને ખૂબ જ ખુશ જોઈ શકો છો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અક્ષય કુમારે આ વીડિયોમાં કહ્યું કે મને ખબર પણ ન હતી કે મેં સિનેમા ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કર્યા છે. મને આ ભેટ આપવા બદલ આદિત્ય ચોપરાનો આભાર. મને હજુ પણ યાદ છે કે મેં ઉટીમાં આપેલો પહેલો શોટ, તે બોબ ક્રિસ્ટો સાથેનો એક્શન શોટ હતો.

યશ રાજ ફિલ્મ્સનું ટ્વીટ અહીં જુઓ

અક્ષયે તેના ફેન્સને કહ્યું – આભાર

આ વીડિયોને ટ્વીટર પર શેયર કરતા અક્ષયે લખ્યું, “સિનેમા જગતમાં ત્રીસ વર્ષ, આ દરમિયાન તમારા બધાનો ઘણો પ્રેમ મળ્યો.” જીવનની આ અદ્ભુત સફર માટે તમારો આભાર અને 3 જૂને પૃથ્વીરાજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં માનુષી છિલ્લર પણ છે. તેની સાથે આટલી સુંદર રીતે એકસાથે મૂકવા બદલ યશરાજ ફિલ્મ્સનો વિશેષ આભાર.

અક્ષય કુમારનું ટ્વીટ અહીં વાંચો

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારનું સાચું નામ રાજીવ ભાટિયા છે. તેણે દિગ્દર્શક રાજ સિપ્પીની રોમેન્ટિક-એક્શન ફિલ્મ સૌગંધથી તેની ફિલ્મી શરૂઆત કરી હતી. સૌગંધ 25 જાન્યુઆરી 1991ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ પછી અક્ષયે જીવનમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. અક્ષય કુમારે એક્શન, કોમેડી સહિત ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય દ્વારા ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. ચાંદની ચોકથી લઈને મુંબઈ પહોંચવા સુધી અક્ષય કુમારે સખત મહેનત કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">