સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં 3ની અટકાયત, કેસ ક્રાઈમ બ્રાન્ચને કરાયો ટ્રાન્સફર, ફોટો આવ્યો સામે

|

Apr 15, 2024 | 8:30 AM

સલમાન ખાનના ઘર પર હુમલાનો મામલો હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ એ જ ત્રણ લોકો છે, જેમણે સ્થાનિક સ્તરે શૂટરોને મદદ કરી હતી. ઘટના બાદ સલમાનના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં 3ની અટકાયત, કેસ ક્રાઈમ બ્રાન્ચને કરાયો ટ્રાન્સફર, ફોટો આવ્યો સામે
Salman Khan house shooting case

Follow us on

મુંબઈ ક્રાઈમ બ્રાંચ હવે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગના કેસની તપાસ કરશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રવિવારે સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતાક્રુઝના વકોલા વિસ્તારમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ ત્રણેય શકમંદોની સઘન પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય લોકલ સપોર્ટર હતા અને તેમણે શૂટરોની મદદ કરી હતી.

બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી

સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી. જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે શૂટરોએ ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરોએ સલમાનના ઘરની બહાર બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી બે ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર વાગી હતી અને બાકીની ત્રણ ગોળી રોડ પર જ ફાયર કરવામાં આવી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ફાયરિંગ બાદ હુમલાખોરો ક્યાં ગયા?

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા પછી બંને આરોપીઓએ બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી સવારે 5.08 વાગ્યે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી. સાંજે 5.13 કલાકે તે સાંતાક્રુઝ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યો હતો. સાંતાક્રુઝ સ્ટેશનથી તે પૂર્વમાં વકોલા તરફ આવ્યો અને ત્યાંથી ઓટો પકડી છે. સાંતાક્રુઝ સ્ટેશન અને પછી ત્યાંથી બહાર આવીને ઓટો પકડતાના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે અને વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

શકમંદોની તસવીર આવી સામે

સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હોવાનું કહેવાય છે. તેને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી. રવિવારે સલમાનના ઘર પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેની સાથે વાત કરી હતી. આ સિવાય સીએમ શિંદેએ સલમાનની સુરક્ષા વધુ કડક કરવાની વાત પણ કરી હતી.

પોલીસ પણ આ મામલે એક્ટિવ દેખાઈ હતી અને અભિનેતાના ઘરની સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. ઝડપભેર તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે બંને શકમંદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને એક શકમંદની ઓળખ પણ થઈ હતી.

ઘણા લોકો સલમાનને મળ્યા

ફાયરિંગની ઘટના બાદ ઘણા લોકો સલમાન ખાનની ખબર પૂછવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. તેમાં રાજકારણી બાબા સિદ્દીકી, MNS ચીફ રાજ ઠાકરે, સલમાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન, તેનો ભત્રીજો અરહાન ખાન અને સલમાનના નજીકના મિત્ર રાહુલ કનાલનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા ટોપ અધિકારીઓ પણ સલમાનના ઘરે પહોંચ્યા હતા.

એક શંકાસ્પદની થઈ છે ઓળખ

સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાને બે હુમલાખોરોએ અંજામ આપ્યો હતો. હુમલાખોરો પૈકી એકની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ વિશાલ ઉર્ફે કાલુ જણાવવામાં આવી રહ્યું છે. વિશાલ ઉર્ફે કાલુ હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. થોડા મહિના પહેલા વિશાલે પોતે જ ગુરુગ્રામના ભંગારના વેપારી સચિનને ​​રોહતકના ઢાબા પર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કહેવાય છે કે વિશાલ વિદેશમાં બેસી ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે. તેણે રોહિતની સલાહ પર જ સચિનની હત્યા કરી હતી.

ઇનપુટ: જિતેન્દ્ર શર્મા

Next Article