Amitabh Bachchanએ પૂછ્યો KBC 13ના રજિસ્ટ્રેશન માટે 8મો પ્રશ્ન, ફિલ્મોના શોખીન છો તો જરુર જાણતા હશો જવાબ

ઘણા લોકોના કરોડપતિ બનવાના સપનાને પરિપૂર્ણ કરનાર રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) ફરી એકવાર પાછો ફર્યો છે. તેથી જો તમે પણ કરોડપતિ બનવા માંગતા હો તો પછી તમે પણ શો માટે નોંધણી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો.

Amitabh Bachchanએ પૂછ્યો KBC 13ના રજિસ્ટ્રેશન માટે 8મો પ્રશ્ન, ફિલ્મોના શોખીન છો તો જરુર જાણતા હશો જવાબ
Amitabh Bachchan (KBC 13)
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 18, 2021 | 5:03 PM

ઘણા લોકોના કરોડપતિ બનવાના સપનાને પરિપૂર્ણ કરનાર રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) ફરી એકવાર પાછો ફર્યો છે. તેથી જો તમે પણ કરોડપતિ બનવા માંગતા હો તો પછી તમે પણ શો માટે નોંધણી પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ક્વિઝ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દરરોજ ચાહકોને રજિસ્ટ્રેશન માટે એક સવાલ પૂછે છે અને જો તમે પણ આ સવાલોના જવાબ યોગ્ય રીતે આપો તો તમે સરળતાથી હોટસીટમાં પહોંચી શકો છો. હવે બિગ બીએ કૌન બનેગા કરોડપતિ સીઝન 13ના રજિસ્ટ્રેશન માટે 8 મો પ્રશ્ન પૂછ્યો છે.

જેનો સાચો જવાબ આપીને તમે પણ બિગ બીને મળવાનું અને કરોડપતિ બનવાના તમારા સપનાને પૂરા કરી શકો છો. બિગ બી દ્વારા પૂછાતો આ સવાલ Sony TVએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સોની ટીવી દ્વારા ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કૌન બનેગા કરોડપતિ 13માં રજિસ્ટ્રેશન માટે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન પ્રેક્ષકોને આઠમો પ્રશ્ન પૂછતા નજરે પડે છે.

બિગ બી કહે છે- ‘નમસ્કાર દેવિયો અને સજ્જનો. શું તમે ક્યારેય નોંધ્યું છે કે, માર્ગમાં ભલે લાખો પથ્થરો આવે પરંતુ પાણી જે છે તે પોતાનો માર્ગ બનાવી લે છે. આવું જ કંઈક આપણી સાથે પણ થાય છે. આપણા સપના પણ પાણી જેવા હોય છે. લાખો પડકારો માર્ગમાં આવે પ્રયત્નોથી સપનાનું લક્ષ્ય મળીને રહે છે. તમારી કોશિશોને તમારી મંજિલ પ્રાપ્ત કરવા માટે હવે વાર નથી. કોશિશ કરીને તો જુઓ કદાચ આજનો પ્રશ્ન તમને તમારી મંજિલથી મેળવી દે.

શું છે KBC-13 માટે આઠમો પ્રશ્ન?

2021માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સમ્માનિત કરવામાં આવ્યા હતા?

વિકલ્પો

A. કમલ હાસન B. ધર્મેન્દ્ર C. જીતેન્દ્ર D. રજનીકાંત

આ સવાલનો સાચો જવાબ છે- રજનીકાંત

કેબીસી 13માં નસીબ અજમાવતા લોકો સોની લિવ એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી શકે છે. તેઓએ KBC Register Now લિંકને ખોલવી પડશે. બધી વિગતો ભર્યા પછી તેઓએ પૂછેલા સવાલનો સાચો જવાબ સબમિટ કરવો પડશે. જ્યારે તમે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો છો, ત્યારે એક મેસેજ તમારી પાસે આવશે, જેના પર લખ્યું હશે – રજીસ્ટર કરવા બદલ આભાર. આ મેસેજ સ્ક્રીન પર દેખાશે.

તે જ સમયે કેબીસી 13 માટે પૂછાયેલ 8માં પ્રશ્નોની વાત કરીએ તો રજનીકાંતને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. જો કે આ અંગે ઘણા વિવાદ થયા હતા, કારણ કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી, જ્યારે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી.

કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓએ રજનીકાંતના ચાહકોના મત મેળવવા માટે આ રાજનીતિ કરી હતી. જો કે સરકારે આ આરોપ એકદમ નકારી દીધો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">