AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir-Alia Wedding Confirmed : આ મહિને થશે રણબીર-આલિયાના લગ્ન, મુંબઈના RK હાઉસમાં લેશે સાત ફેરા ?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષથી જ આ બંનેના લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા છે.

Ranbir-Alia Wedding Confirmed : આ મહિને થશે રણબીર-આલિયાના લગ્ન, મુંબઈના RK હાઉસમાં લેશે સાત ફેરા ?
Alia Bhatt and Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:17 AM
Share

Ranbir-Alia Wedding Confirmed : બોલિવૂડના ‘લવબર્ડ્સ’ રણબીર કપૂર  (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ  (Alia Bhatt) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હંમેશા પોતાના સંબંધોને મીડિયાની નજરથી દૂર રાખવાની કોશિશ કરનારા આ કપલે આખરે સાત ફેરા લેવાનું નક્કી કર્યું છે. જી હા….ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આલિયા અને રણબીર એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં (Ranbir- Alia Wedding) બંધાશે. બંનેના લગ્ન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં થશે. છેલ્લા કેટલાક દિવસોથી આ લગ્નના ઘણા સમાચાર વાયરલ થઈ રહ્યા હતા. જો કે હજી સુધી આલિયા અને રણબીર દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

લગ્નની તૈયારીઓ શરૂ થઈ

અહેવાલોનુ માનીએ તો રણબીર અને આલિયાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. તાજેતરમાં રણબીરની માતા નીતુ કપૂર સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોર પર જોવા મળી હતી અને મનીષ મલ્હોત્રા પોતે પણ તેના ઘરે ગયા હતા. એટલું જ નહીં, આલિયા અને રણબીરને પરિવાર દ્વારા તેમની ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ચેમ્બુરના RK હાઉસમાં થશે લગ્ન ?

કહેવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીર મુંબઈના ચેમ્બુર સ્થિત RK હાઉસમાં લગ્ન કરી શકે છે.તમને જણાવી દઈએ કે, કપૂર પરિવારનું ચેમ્બુરમાં જૂનું ઘર છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે કપૂર પરિવાર મુંબઈમાં જ લગ્નના ફંક્શન રાખવા માગે છે.

નીતુ કપૂરે રણબીરના લગ્નના આ સવાલનો આપ્યો રસપ્રદ જવાબ

થોડા દિવસો પહેલા પાપારાઝીએ પણ નીતુ કપૂરને આલિયા અને રણબીરના લગ્નને લઈને સવાલો પૂછ્યા હતા. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં તે કલર્સ ટીવીના ‘ડાન્સ દીવાને જુનિયર’ના સેટ પર જોવા મળી હતી. જ્યારે પાપારાઝીએ ‘પુત્રવધૂ ઘરે ક્યારે આવશે ?’ એવો પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. આ સવાલનો જવાબ આપતા નીતુ કપૂરે આકાશ તરફ આંગળી ચીંધી હતી.

આ પણ વાંચો : આલિયા ભટ્ટે પોતાને ‘ધ ડોગ’ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરને ‘ધ કેટ’ ગણાવ્યો, જાણો કારણ

આ પણ વાંચો : અભિનેત્રી મલાઈકા અરોરાનો થયો કાર અકસ્માત, મનસેના કાર્યકરોએ હોસ્પિટલ પહોંચાડી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">