TKSS : અક્ષય કુમારે ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં જવાની ના પાડી, આ બાબતથી છે નારાજ

અક્ષય કુમારે થોડા વર્ષો પહેલા વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો, તે ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી. કપિલે આ ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. આ વીડિયો સામે આવતા અક્ષય ઘણા નારાજ છે.

TKSS : અક્ષય કુમારે 'બચ્ચન પાંડે'ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં જવાની ના પાડી, આ બાબતથી છે નારાજ
Akshay Kumar and Kapil Sharma (Photo- Social Media)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:41 PM

અક્ષય કુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ની રિલીઝની જાહેરાત થઈ છે, ત્યારથી આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. બધા રાહ જોઈ રહ્યા છે કે અક્ષય કુમાર આ ફિલ્મના પ્રમોશનની તૈયારી ક્યારે શરૂ કરશે? હવે રિલીઝ ડેટ નજીક આવી રહી છે અને ‘બચ્ચન પાંડે’ (Bachchan Pandey) ટીમ પ્રમોશનની તૈયારી કરી રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર કપિલ શર્માના શોમાં ક્યારે જશે, આ પણ દર્શકોના મનમાં એક સવાલ હતો. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર મોટાભાગે કપિલના શોમાં ગયા છે. પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમાર આ શોમાં ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે નહીં જાય. તેનું મોટું કારણ છેલ્લા શો દરમિયાન બનેલી એક ઘટના છે, જેના પર અક્ષય કુમારે ખુલાસો માંગ્યો છે.

છેલ્લી વિઝીટમાં બનેલી એક ઘટનાથી છે અક્ષય કુમાર નારાજ

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે જવાની ના પાડી દીધી છે. છેલ્લા એપિસોડમાં આપેલું વચન તૂટવાથી તે નારાજ છે. કપિલ શર્મા અને અક્ષય શર્મા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે પરંતુ છેલ્લા એપિસોડમાં બનેલી એક ઘટના બાદ બંને વચ્ચે બધુ સારું નથી દેખાઈ રહ્યું.

એક સૂત્રએ જણાવ્યું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે અક્ષય છેલ્લી વખત તેના શોમાં ગયા હતા. ત્યારબાદ કપિલે એક ફેમસ પોલિટિશિયનનું અક્ષય કુમારે જે ઈન્ટરવ્યુ લીધુ હતું, જેના પર કપિલે મજાક ઉડાવી હતી. ત્યારે અક્ષયે તેને ચેલેન્જ આપી હતી કે તે પ્રખ્યાત પર્સનાલીટીનું નામ લઈને બતાવે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અક્ષય કુમારે વચન તોડવા અંગે સ્પષ્ટતા માંગી છે

અક્ષય કુમારે થોડા વર્ષો પહેલા વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો, તે ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી. કપિલે આ ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના સૂત્ર અનુસાર, અક્ષયે તે શોમાં આ સીન પ્રસારિત ન કરવાનું કહ્યું હતું. જેના પર કપિલ અને ચેનલની ટીમે તે સમયે તેને વચન આપ્યું હતું પરંતુ બાદમાં આ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ગયો હતો. આનાથી અક્ષય કુમાર ખૂબ નારાજ છે. અક્ષય આને કપિલ અને તેની ટીમ વતી વિશ્વાસનો ભંગ માને છે અને ફરીથી શોમાં જતા પહેલા તેનો ખુલાસો પણ માંગ્યો છે.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે તૈયારીઓ શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ કામ કરી રહી છે. આ ફિલ્મ 18 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઘણા સમયથી આ ફિલ્મની રીલીઝ ડેટ આગળ ધપી રહી હતી.

આ પણ વાંચો :  Viral video : સોશિયલ મીડિયા પર છવાયું “પુષ્પા”ના શ્રીવલ્લી ગીતનું ભોજપુરી વર્ઝન, લોકોએ કહ્યું- ખૂબ જ સુંદર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">