અભિનેત્રી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે, જાણો ક્યારે છે મતદાન
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મહારાષ્ટ્રની સૌથી પ્રતિષ્ઠિત ચૂંટણીઓમાંની એક છે અને ભાજપ હવે આ ચૂંટણી માટે કમર કસી ચૂક્યું છે. 66 ભાજપના ઉમેદવારોની પહેલી બિનસત્તાવાર યાદી બહાર પડી ગઈ છે. રવિવારે રાત્રે ભાજપે કેટલાક ઉમેદવારોને એબી ફોર્મ આપ્યા છે,

ભાજપે એક રાજનીતિક ચાલ રમી છે. ગઈકાલે મોડી રાત્રે 75 થી વધુ ઉમેદવારોને એબી ફોર્મ સબમિટ કર્યા. પાર્ટીનું પ્રાથમિક ધ્યાન બળવાખોરોને રોકવા અને યુવાનોને પ્રોત્સાહન આપવા પર છે.છેલ્લા કેટલાક દિવસોથી, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની ભાજપ અને શિવસેના વચ્ચે બેઠક વહેંચણીને લઈને ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. જોકે કેટલીક બેઠકો પર બંને પક્ષો વચ્ચે મૂંઝવણ છે, પરંતુ ભાજપે એવી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં કોઈ સમય બગાડ્યો નથી જ્યાં સર્વસંમતિ છે. ઉમેદવારોને દાદર સ્થિત પાર્ટી કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને એબી ફોર્મ સોંપવામાં આવ્યા હતા.
લિસ્ટમાં સૌથી વધુ ચર્ચિત નામ
66 સભ્યોની આ પહેલી ટુકડીમાં ઘણા અનુભવી ભૂતપૂર્વ કોર્પોરેટરો જ નહીં, પણ આ યાદીમાં મનોરંજન જગતની એક અભિનેત્રીનું નામ આવતા ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.આ લિસ્ટમાં સૌથી વધુ ચર્ચિત નામ છે નિશા પારુલેકર, જે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. જેમણે સ્ટેજ અને પડદા પર ચાહકોના દિલ જીતી લીધા છે, તે હવે રાજકારણના મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે.
અભિનેત્રીને ચૂંટણી મેદાનમાં ઉતરી
નિશા પારુલેકરે ભરત જાધવ સાથે ‘સહી રે સહી’ જેવા લોકપ્રિય નાટકોમાં કામ કર્યું છે. 2017 માં, તેમની બે ફિલ્મો ‘મહાનાયક’ અને ‘શિમાના’ એક જ દિવસે રિલીઝ થઈ હતી. કોઠારે વિઝન દ્વારા નિર્મિત સિરિયલ ‘દક્કણચા રાજા જ્યોતિબા’માં તેમણે મહાલક્ષ્મી અંબાબાઈનું પાત્ર ભજવ્યું હતું. ઘણા વર્ષો સુધી અભિનય ક્ષેત્રે કામ કર્યા પછી તે ભાજપની ઉમેદવાર બની છે. તેમના ચાહકો પહેલેથી જ તેમની પ્રિય અભિનેત્રીને ચૂંટણી મેદાનમાં જોવા માટે ઉત્સાહિત છે.
ઉદ્ધવ ઠાકરે-મનસે ગઠબંધન માટે પડકાર
મુંબઈમાં મ્યુનિસિપલ ચૂંટણીઓનો માહોલ છે.15 જાન્યુઆરીએ મતદાન થશે અને 16 જાન્યુઆરીએ મતગણતરી થશે. નામાંકન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.ઉમેદવારીનું લિસ્ટ પણ જાહેર થઈ ચૂક્યું છે.આ દરમિયાન, રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે.શિવસેના અને ભાજપના શિંદે જૂથે રાજ્યમાં અનેક મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠકો માટે ગઠબંધન છે. ભાજપ અને શિવસેનાના શિંદે જૂથે કલ્યાણ અને ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે પણ ગઠબંધન છે, જે ઉદ્ધવ ઠાકરે-મનસે ગઠબંધન માટે મોટો પડકાર સાબિત થવાની સંભાવના છે.
