AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે લીધો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

કોરોનાને નાથવા હાલ એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે. ત્યારે તાજેતરમાં અભિનેતા શક્તિ કપૂરે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો છે.

Video : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે લીધો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
Actor shakti kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 3:38 PM
Share

Viral : સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) સાથે જોડાયેલા લોકો સતત કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ટાળવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. સાથે જ કોરોનાના વધતા જતા પ્રકોપને રોકવા માટે કોવિડ-19નો બૂસ્ટર શોટ (Booster Dose)પણ આપવામાં આવે છે. ત્યારે અભિનેતા શક્તિ કપૂરે(Shakti Kapoor) પણ કોવિડ-19નો બૂસ્ટર શોટ લીધો છે. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે.

શક્તિ કપૂરે પણ કોવિડ-19નો બૂસ્ટર શોટ લીધો

69 વર્ષીય અભિનેતાએ તેનો બૂસ્ટર શોટ લગાવતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં આલિયા ભટ્ટ, શાહરૂખ ખાનની ફિલ્મ ડિયર જિંદગીની ‘લવ યુ ઝિંદગી’ સોંગ વાગી રહ્યુ છે. આ પછી અભિનેતા તેના મિત્રો સાથે ગિટારની ધૂન પર ‘ચાંદ છુપા બાદલ’ ટ્યુન કરતા જોવા મળે છે.

જુઓ વીડિયો

અભિનેતા ધર્મેન્દ્રએ પણ બૂસ્ટર શોટ લેવાનો વીડિયો શેર કર્યો

અભિનેતા ધર્મેન્દ્રએ(  Dharmendra Deol)શક્તિ કપૂર પહેલા બૂસ્ટર શોટ લીધો હતો. આ માહિતી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. વીડિયો શેર કરતાં 86 વર્ષીય અભિનેતાએ લખ્યું, “હું બૂસ્ટર લઈ રહ્યો છું, કંઈ થયું નથી. આ સાથે ધર્મેન્દ્રએ તેના તમામ ચાહકોને રસી લેવાની પણ અપીલ કરી હતી.

કોરોનાને નાથવા વેક્સિન રામબાણ ઈલાજ

તમને જણાવી દઈએ કે, આ બૂસ્ટર ડોઝ આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 2,68,833 લાખ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 402 લોકોના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 4,85,752 પર પહોંચી ગયો છે. જ્યારે પોઝિટિવિટિ દર 14.7% થી વધીને 16.66% થયો. બીજી તરફ ઓમિક્રોનનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Aamir Khan પૂર્વ પત્ની કિરણની ફિલ્મને પ્રોડ્યૂસ કરશે , ધોબીઘાટ પછી ફરી એકવાર નિર્દેશનમાં વાપસી કરશે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">