આમિર ખાનના દીકરાની ડેબ્યૂ ફિલ્મના રિલીઝ પર ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ, જાણો કેમ વિવાદમાં આવી ફિલ્મ

મળતી માહિતી મુજબ આમીર ખાનના પુત્રની ફિલ્મ પર ગુજરાતમાં હંગામી ધોરણે સ્ટે મુકવામાં આવ્યો છે. મહારાજ ફિલ્મ આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે. આ સમગ્ર મામલે ‘લાયબેલ કેસ 1862’ પર આધારિત ફિલ્મ છે. ત્યારે આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ છે.

આમિર ખાનના દીકરાની ડેબ્યૂ ફિલ્મના રિલીઝ પર ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ, જાણો કેમ વિવાદમાં આવી ફિલ્મ
Junaid Khan film Maharaj
Follow Us:
| Updated on: Jun 14, 2024 | 1:04 PM

બોલીવુડ સ્ટાર આમીરખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ મહારાજને ગુજરાતમાં હંગામી ધોરણે સ્ટે મુકવામાં આવ્યો છે. OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ થનાર ફિલ્મનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

વૈષ્ણવ સંપ્રદાયને લઇ વિવાદીત ટિપ્પણીઓ અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો વર્ણાયેલી હોવાનો દાવા સાથે આ ફિલ્મ પર સ્ટે મુકી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગુજરાતમાં કૃષ્ણ ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ગુજરાતમાં આમીરના દીકરાની ફિલ્મ પર મુકાયો સ્ટે

મળતી માહિતી મુજબ આમીર ખાનના પુત્રની ફિલ્મ પર ગુજરાતમાં હંગામી ધોરણે સ્ટે મુકવામાં આવ્યો છે. મહારાજ ફિલ્મ આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે. આ સમગ્ર મામલે ‘લાયબેલ કેસ 1862’ પર આધારિત ફિલ્મ છે.

15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા

આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી પરતું એક્શન ન લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટે ફિલ્મ પક્ષકારોને નોટીસ ફટકારી

મહારાજ ફિલ્મ પર ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટીસ પાઠવી છે. 18 જૂન સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. મહારાજા ફિલ્મ પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ હતુ કે “ફિલ્મમાં દેવી દેવતાનું અપમાન સહન નહીં થાય”, મહરાજા ફિલ્મમાં અશોભનિય અભિનય કરવામાં આવ્યો છે આ સાથે અભિનય બતાવીને દેવી-દેવતાઓનું કોઈ અપમાન કરી શકે નહી.એક્ટર અને ડિરેક્ટર હંમેશા આ વાતનું ધ્યાન રાખે”

શું છે સમગ્ર મામલો?

જસ્ટિસ સંગીતા વિષેને ચુકાદો આપતાં કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કેટલાક અરજદારોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે નોટિસ પાઠવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આની સુનાવણી 18 જૂને થશે.

ગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના ભક્તોએ આ અંગે અરજી દાખલ કરી છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે આ ફિલ્મ મહારાજ 1862ના લાયબલ કેસ પર આધારિત છે જેની જાહેર વ્યવસ્થા પર નકારાત્મક અસર પડે છે. તે એમ પણ કહે છે કે આ ફિલ્મ હિંદુ ધર્મને પણ ઠેસ પહોંચાડે છે.

આ સાથે, ન તો ફિલ્મનું કોઈ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, ન તો કોઈ પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું .જેથી સ્ટોરીલાઈન વિશે માહિતી મેળવી શકાય. જો આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવે તો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

અરજદાર તરફથી એવી પણ દલીલ કરવામાં આવી છે કે તેણે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ફિલ્મની રિલીઝને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. જો કે હજુ સુધી તેમના તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">