AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: રાહુલ ગાંધીની મોટી જાહેરાત- ચરણજીત સિંહ ચન્ની હશે પંજાબમાં કોંગ્રેસના CMનો ચહેરો

સીએમ ઉમેદવારના નામની જાહેરાત પહેલા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે 13 વર્ષ સુધી ભાજપે મારો ઉપયોગ માત્ર પ્રચાર માટે કર્યો અને કોંગ્રેસે મને 4 વર્ષમાં પંજાબનો ચીફ બનાવી દીધો.

Punjab: રાહુલ ગાંધીની મોટી જાહેરાત- ચરણજીત સિંહ ચન્ની હશે પંજાબમાં કોંગ્રેસના CMનો ચહેરો
Charanjit Singh Channi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 5:45 PM
Share

કોંગ્રેસે (Congress) આખરે પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) માટે તેના સીએમ ઉમેદવારના નામની જાહેરાત કરી. રવિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લુધિયાણામાં વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરતી વખતે વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) પર વિશ્વાસ વ્યક્ત કરતા, મુખ્યપ્રધાન માટે તેમના નામની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ચન્ની મુખ્યમંત્રી બન્યા છે, તેમને અહંકાર નથી, તેઓ લોકોની વચ્ચે જાય છે. એ પણ પૂછ્યું કે, શું તમે ક્યારેય નરેન્દ્ર મોદીને જનતા વચ્ચે જતા, રસ્તામાં કોઈની મદદ કરતા જોયા છે ? કરશે પણ નહીં કારણ કે તેઓ રાજા છે, વડાપ્રધાન નથી.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે પંજાબના લોકોએ કહ્યું કે અમારે ગરીબ ઘરના મુખ્યમંત્રીની જરૂર છે, જે ગરીબીને સમજે છે, જે પંજાબને સમજે છે, કારણ કે પંજાબને તે વ્યક્તિની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ પંજાબની જનતા અને કાર્યકરોએ તેને સરળ બનાવી દીધો. આ સાથે જ નામની જાહેરાત બાદ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે તમામ કામ તમારી કૃપાથી થઈ રહ્યા છે, તમે કન્હૈયા કરો, મારું નામ થઈ રહ્યું છે.

ચન્નીએ કહ્યું કે મારે હિંમત જોઈએ છે, મને પંજાબના લોકો જોઈએ છે અને તમે બધા મારી સાથે હશો તો જ હું આ લડાઈ લડી શકીશ. સાથે જ ચન્નીએ એમ પણ કહ્યું કે હું ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરું. ખોટા પૈસા ઘરે નહીં આવવા દઈએ, માત્ર પારદર્શિતા રહેશે. હું પંજાબને સોનું બનાવીશ. પંજાબ નવજોત સિંહ સિદ્ધુનું મોડલ બનશે, સિદ્ધુ સાહેબ જે કરવા માંગશે તે કરશે. જાખડ સાહેબનું નેતૃત્વ પંજાબને આગળ લઈ જશે, હું એકમાત્ર માધ્યમ બનીશ.

નામની જાહેરાત પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે હું 40 વર્ષ પહેલા નવજોત સિંહ સિદ્ધુને મળ્યો હતો, પરંતુ તેમને ખબર નથી કે તેઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. હું દૂન સ્કૂલમાં હતો, જ્યાં તે ક્રિકેટ મેચ રમવા આવ્યા હતા. સીએમ ઉમેદવારના નામની જાહેરાત પહેલા, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે મેં રાહુલ ગાંધીના નિર્ણયને સ્વીકાર્યો છે. જો મને નિર્ણય લેવાની શક્તિ આપવામાં આવશે, તો હું માફિયાઓને ખતમ કરીશ. હું લોકોનું જીવન સુધારીશ. જો મને સત્તા નહીં મળે તો તમે જેને મુખ્યમંત્રી બનાવશો તેની સાથે હું હસીને ચાલીશ.

દલિત વ્યક્તિને સીએમ બનાવવાની વાત ઈતિહાસમાં લખાશે – સુનીલ જાખડ

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે ભાજપે મારો ઉપયોગ માત્ર 13 વર્ષ પ્રચાર માટે કર્યો અને કોંગ્રેસે મને 4 વર્ષમાં પંજાબનો વડા બનાવી દીધો. આભાર રાહુલ જી, મને બસ તમારો પ્રેમ અને કોંગ્રેસની તાકાત જોઈએ છે. સુનીલ જાખરે કહ્યું કે રાહુલ ગાંધીએ દલિત પરિવારના વ્યક્તિને સીએમ બનાવ્યા છે. આ વાત ઈતિહાસમાં યાદ કરવામાં આવશે. તમે જે પણ નિર્ણય લો, હું તમારી સાથે છું.

આ પણ વાંચોઃ

Punjab Assembly Election 2022: કોંગ્રેસ આજે પંજાબના મુખ્યમંત્રી ચહેરાની કરશે જાહેરાત, સિદ્ધુએ કહ્યું- એક પ્રામાણિક અને દૂરંદેશી નેતાને મુખ્યમંત્રી બનાવો

આ પણ વાંચોઃ

Punjab: ગુરદાસપુરમાં રાજનાથ સિંહ બોલ્યા- પંજાબની અર્થવ્યવસ્થા કથળી, છેલ્લા 5 વર્ષમાં યુપીની અર્થવ્યવસ્થા 21 લાખ કરોડ રૂપિયા પર પહોંચી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">