Punjab Election Results: ”અરવિંદ કેજરીવાલ કરોડો લોકોની આશા છે, મોટી ભૂમિકા ભજવશે”, રાઘવ ચઢ્ઢાનું નિવેદન

Punjab Assembly Election Results: આમ આદમી પાર્ટીના નેતાઓ પંજાબ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અંગે ખૂબ જ ઉત્સાહિત છે અને AAPના પંજાબ ચૂંટણી 2022ના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને કોંગ્રેસના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ગણાવી છે.

Punjab Election Results: ''અરવિંદ કેજરીવાલ કરોડો લોકોની આશા છે, મોટી ભૂમિકા ભજવશે'', રાઘવ ચઢ્ઢાનું નિવેદન
Arvind kejriwal (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 9:41 AM

પંજાબ ચૂંટણી પરિણામો 2022 (Punjab Election Results 2022) ના એક્ઝિટ પોલ પછી, આમ આદમી પાર્ટી(Aam Adami Party)ના નેતાઓ અને કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને તેમણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનો ‘રાષ્ટ્રીય સ્તરનો’ વિકલ્પ કહેવાનું શરૂ કર્યું છે. પંજાબ ચૂંટણી 2022ના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ‘કરોડો લોકોની આશા’ છે. ANI અનુસાર, રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે સવારે કહ્યું, “આમ આદમી પાર્ટી પંજાબમાં જીત સાથે દિલ્હીની બહાર તેમની પ્રથમ ચૂંટણી જીત નોંધાવે તેવી અપેક્ષા છે. સત્તાધારી કોંગ્રેસને જંગી માર્જિનથી હરાવશે. લોકનીતિ-સીએસડીએસને સર્વેક્ષણ સાથે 40 ટકા વોટ શેર અને 117 સભ્યોની વિધાનસભામાં 111 બેઠકો મળવાનો અંદાજ છે.

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા રાઘવ ચઢ્ઢાએ એમ પણ કહ્યું કે જો કેજરીવાલને તક આપવામાં આવશે તો તેઓ 2024ની લોકસભા ચૂંટણી પછી ‘વડાપ્રધાનની મોટી ભૂમિકા’માં જોવા મળશે. ચઢ્ઢાએ કહ્યું, “અરવિંદ કેજરીવાલ કરોડો લોકોની આશા છે. જો ભગવાનની ઈચ્છા હોય અને લોકો તક આપે તો ચોક્કસપણે તેઓ મોટી (વડાપ્રધાનની) ભૂમિકામાં હશે. AAP એક મુખ્ય રાષ્ટ્રીય રાજકીય દળ તરીકે ઉભરી આવશે.”

એક્ઝિટ પોલમાં પંજાબમાં AAPની જીતનો દાવો

રાઘવ ચઢ્ઢાની ટિપ્પણી આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતી સાથે પંજાબ જીતશે તેવી આશા વચ્ચે આવી છે. AAPએ પંજાબમાં છેલ્લી ચૂંટણી લડી હતી અને સારું પ્રદર્શન કરીને 20 બેઠકો જીતી હતી અને આ વખતે એક્ઝિટ પોલના પરિણામોએ તેમનો ઉત્સાહ વધાર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આમ આદમી પાર્ટી કોંગ્રેસનો રાષ્ટ્રીય વિકલ્પ બનશે

રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “પંજાબની ચૂંટણી દર્શાવે છે કે AAP રાષ્ટ્રીય રાજકીય દળ તરીકે ઉભરી આવી છે. બીજેપીને રાજ્યમાં તેની પ્રથમ સરકાર બનાવવામાં દસ વર્ષ લાગ્યા. AAPને 10 વર્ષ પણ થયા નથી અને અમે બે રાજ્યોમાં સરકાર બનાવી રહ્યા છીએ. AAP કોંગ્રેસનો રાષ્ટ્રીય વિકલ્પ હશે. તમને જણાવી દઈએ કે, એક્ઝિટ પોલમાં પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસના નબળા પ્રદર્શનની આગાહી કરવામાં આવી છે. જ્યાં તેણે ગયા વર્ષે સૌથી વધુ વિવાદો કર્યા હતા. જેના કારણે અમરિન્દર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને તેમણે પાર્ટી છોડીને બીજેપીને પોતાનો સહયોગી બનાવી લીધો હતો. આ ચૂંટણીમાં બંનેમાંથી કોઈને મોટી લીડની આશા નથી. ભાજપના ભૂતપૂર્વ સાથી પક્ષો કોંગ્રેસ અને અકાલી દળ, જે ખેડૂતોના વિરોધને લઈને તણાવ પછી અલગ થઈ ગયા હતા, તેઓ બીજા સ્થાન માટે લડશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો-

Manipur Election Results 2022: મણિપુરમાં થશે ઉલટફેર, કોંગ્રેસની વાપસી કે પછી ભાજપ પાસે રહેશે સત્તા

આ પણ વાંચો-

UP Election Result 2022: યુપીમાં મત ગણતરી શરૂ, ચૂંટણી એજન્ટો મતગણતરી કેન્દ્ર પર હાજર, જુઓ તસવીરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">