AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Election Results 2022: મણિપુરમાં થશે ઉલટફેર, કોંગ્રેસની વાપસી કે પછી ભાજપ પાસે રહેશે સત્તા

28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને તેનો પ્રયાસ સત્તા પર પોતાની પકડ જાળવી રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ (Congress)ફરીથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે.

Manipur Election Results 2022: મણિપુરમાં થશે ઉલટફેર, કોંગ્રેસની વાપસી કે પછી ભાજપ પાસે રહેશે સત્તા
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:31 AM
Share

મણિપુર વિધાનસભા ચૂંટણી 2022(Manipur Assembly Election 2022) માં, 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને તેનો પ્રયાસ સત્તા પર પોતાની પકડ જાળવી રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ (Congress)ફરીથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો 31 સીટોનો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. ટૂંક સમયમાં મતગણતરી (Counting)શરૂ થશે. મતગણતરી પૂર્વે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગણતરીને લગતી દરેક નાની-મોટી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

બીરેન સિંહ મણિપુરમાં બીજેપીના પહેલા સીએમ છે

મણિપુરમાં 5 વર્ષ પહેલા 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવીને એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 2017માં તેઓ હિંગાંગ વિધાનસભા સીટ જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી છે.

આ છે મણિપુરની હોટ સીટ

મણિપુરની મુખ્ય બેઠકો અને ઉમેદવારોમાં હાલના સીએમ એન બિરેન સિંહની હિંગાંગ સીટ, કોંગ્રેસના ઓકરામ ઈબોબી સિંહની થોબલ સીટ, બીજેપીના થોંગમ બિસ્વજીત સિંહની થોંગજુ સીટ, બીજેપીના ઓકરામ હેનરીની વાંગખેઈ સીટ, કૉંગ્રેસની ગાઈખાંગમની નુંગબા સીટ, બીજેપી. K Konthoujam ગોવિંદદાસ સિંહની બિષ્ણુપુર બેઠક, કોંગ્રેસની ટી લોકેશ્વર સિંહની ખુન્દ્રકપમ બેઠક અને NPPની Y જયકુમાર સિંહની Uripok બેઠકનો સમાવેશ થાય છે.

મણિપુરમાં બે તબક્કામાં મતદાન થયું હતું

પ્રથમ તબક્કામાં, મણિપુરમાં 38 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું, જેમાંથી 29 ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાં છે. બાકીની નવ બેઠકો ચુરાચંદપુર, કાંગપોકપી અને ફરજલ જિલ્લાની છે. પ્રથમ તબક્કામાં 173 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

જ્યારે બીજા અને અંતિમ તબક્કામાં મણિપુરની 22 બેઠકો માટે કુલ 92 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણી લડી હતી. તેમાં ભાજપના 12, કોંગ્રેસના 18, નેશનલ પીપલ્સ પાર્ટીના 11, જનતા દળ યુનાઈટેડ અને નાગા પીપલ્સ ફ્રન્ટના 10-10 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

શું ફરી ભાજપની સરકાર બનશે?

મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો 31 સીટોનો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. હવે ભાજપ સતત બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: IND vs NZ, Women’s World Cup 2022: ભારતીય ટીમમાં ડેબ્યૂ બાદ પ્રથમ વાર બહાર થઇ શેફાલી વર્મા, કંગાળ ફોર્મ જવાબદાર

આ પણ વાંચો: 5 State Election 2022 LIVE: પરિણામ પહેલા ભગવાન પાસે દંડવત થયા નેતાઓ, ટૂંક સમયમાં પરિણામ આવવાની શરૂઆત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">