Karnataka Election: ‘કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે તો રમખાણો થશે’, સંજય રાઉતે કહ્યું- શું અમિત શાહ ધમકી આપી રહ્યા છે?

સંજય રાઉતે આજે 27 એપ્રિલ, ગુરુવાર દિલ્હીમાં તેમની મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જો પીએમ મોદી કર્ણાટકના પોશાક પહેરીને કર્ણાટકની આસપાસ ફરે તો પણ તેનાથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં.

Karnataka Election: 'કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે તો રમખાણો થશે', સંજય રાઉતે કહ્યું- શું અમિત શાહ ધમકી આપી રહ્યા છે?
Sanjay Raut said Is Amit Shah threatening
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 2:42 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો તરફથી જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ગઢ છે. અહીં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી રસ્તાઓ પર ઉતરી લોકોને મળી રહ્યા છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપની જીત માટે પ્રવાસો કરી રહ્યા છે.

અમિત શાહે અહીં પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું કે કોંગ્રેસ પરિવારવાદને પ્રોત્સાહન આપતી પાર્ટી છે, જો કોંગ્રેસ જીતશે તો રાજ્યમાં રમખાણો થશે. આ અંગે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા શાહના નિવેદન પર રાઉતે સવાલ ઉઠાવ્યો છે.

શાહના નિવેદન પર રાઉતે ઉઠાવ્યો સવાલ

સંજય રાઉતે આજે 27 એપ્રિલ, ગુરુવાર દિલ્હીમાં તેમની મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જો પીએમ મોદી કર્ણાટકના પોશાક પહેરીને કર્ણાટકની આસપાસ ફરે તો પણ તેનાથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં. દેશના ગૃહમંત્રી અમિત શાહ કહી રહ્યા છે કે જો કોંગ્રેસ જીતશે તો રમખાણો થશે. તેઓ દેશના ગૃહમંત્રી તરીકે આ વાત કહી રહ્યા છે. તો શું તે ધમકી આપી રહ્યા છે? સંજય રાઉતે આ અંગે શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે શું તમે કહો છો કે ભાજપને વોટ નહીં અપાય તો રમખાણો થશે?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: કર્ણાટકની પરીક્ષામાં ટોપ કરનાર તબસ્સુમ શેખની કહાની, કહ્યું – “હિજાબ કરતા શિક્ષણને પસંદ કર્યુ”

ભાજપ શાસિત રાજ્યોમાં રમખાણો, ત્યાં અમિત શાહ કેમ ચૂપ?

સંજય રાઉતે કહ્યું કે અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. તે કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર છે. તેઓ તોફાનોની અપેક્ષા રાખી રહ્યા છે. જો રમખાણો થશે તો તેઓ શું કરશે? તેમના ગૃહમંત્રી હોવાનો શો ફાયદો? તેઓ ભાજપ શાસિત રાજ્યોમાં શરૂ થયેલા રમખાણો પર કેમ બોલતા નથી? કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ હારી જશે તો રમખાણો થશે, કેન્દ્રીય ગૃહમંત્રીના મોઢેથી આ ધમકી શોભા નથી આપતી. આ એક સારા ગૃહમંત્રી બનવાની નિશાની નથી.

ભાજપનું રાજકારણ રમખાણોનું રાજકારણ છે- રાઉત

સંજય રાઉતે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રમખાણોની વાત કરવામાં આવી રહી છે. ભાજપનું રાજકારણ રમખાણોનું રાજકારણ છે. ભાજપનું રાજકારણ વિસ્ફોટક રાજકારણ છે. આ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દેશની જનતાએ નક્કી કરવાનું છે કે ભવિષ્ય માટે કોને પસંદ કરવો.

દેશના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">