AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ યથાવત, આ હાઈપ્રોફાઈલ બેઠકો પર વિરોધનો સૂર ઉઠ્યો

મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના કાર્યકરોએ સંભવિત ઉમેદવાર પી.એમ. પટેલનો વિરોધ કર્યો, તો અપક્ષ ઉમેદવારને ચૂંટણી લડાવીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી.

Gujarat Election 2022 : કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ યથાવત, આ હાઈપ્રોફાઈલ  બેઠકો પર વિરોધનો સૂર ઉઠ્યો
Gujarat Congress
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 8:44 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં ટિકિટને લઇ વિખવાદ સામે આવ્યો છે. સૌથી પહેલા વાત કરીએ તો મહીસાગરના લુણાવાડામાં કોંગ્રેસના કાર્યકરોએ સંભવિત ઉમેદવાર પી.એમ. પટેલનો વિરોધ કર્યો, તો અપક્ષ ઉમેદવારને ચૂંટણી લડાવીશુ તેવી ચીમકી પણ ઉચ્ચારી. તો મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર ઉમેદવારના નામને લઈ વિવાદ થયો. સેનમા સમાજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે વિરોધ નોંધાવ્યો.

કચ્છ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ પડ્યુ

જ્યારે વડોદરાની માંજલપુર બેઠક પર તસવીન સિંઘનું નામ જાહેર કરાતા વિવાદનો વંટોળ જોવા મળ્યો. તો આ તરફ કચ્છ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભંગાણ પડ્યું. ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજીનામું આપી દીધું છે. તો દાહોદના ઝાલોદમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. કોંગ્રેસે ઉમેદવાર ન બદલતા 2000થી વધુ કાર્યકરોએ રાજીનામું આપ્યું છે.

 નારાજગી પર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની પ્રતિક્રીયા

તો જાતિગત રાજકારણ પણ તેજ થયુ છે. કડીના અનુસૂચિત જનજાતિ સમાજની કોંગ્રેસ સામેના નારાજગી પર વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રીયા આપી છે. રાઠવાએ કહ્યુ કે, “ચૂંટણી આવે ત્યારે દરેક સમાજનો ટિકિટ માંગવાનો અધિકાર હોય છે, સમાજના લોકોને અપેક્ષા હોય કે ટિકિટ તેમના સમાજ ને મળે. પરંતુ આ વખતે કોંગ્રેસ આક્રમકતાથી ચૂંટણી લડવાની છે, જેથી ચૂંટણી જીતી શકાય તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવી છે.

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">