AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: ભારતના નાગરિક હોવા છતા કેટલાક લોકો નથી કરી શકતા મતદાન, જાણો કોણ છે આ લોકો

આગામી વિધાનસભા ચૂંટણી (assembly elections) 2022માં કેટલાક લોકો એવા છે કે જેઓ તેમના મતાધિકારનો ઉપયોગ ભારતીય નાગરિક હોવા છતાં મતદાન કરી શકશે નહીં. જેઓ બીજા કોઈ નહિ પણ જેલમાં બંધ કેદીઓ છે. જેમાં હાલમાં રાજ્યની 32 જેલમાં બંધ અંદાજે 17000 જેટલા કેદીઓ છે જેઓ મતદાન કરી શકશે નહીં.

Gujarat Election: ભારતના નાગરિક હોવા છતા કેટલાક લોકો નથી કરી શકતા મતદાન, જાણો કોણ છે આ લોકો
ભારતના આ નાગરિકો નથી કરી શકતા મતદાન
Darshal Raval
| Edited By: | Updated on: Nov 08, 2022 | 3:34 PM
Share

લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય નેતા ચૂંટી લાવવાનો અધિકાર દરેક નાગરિકને છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી 2022માં કેટલાક લોકો એવા છે કે જેઓ તેમના મતાધિકારનો ઉપયોગ ભારતીય નાગરિક હોવા છતાં મતદાન કરી શકશે નહીં. જેઓ બીજા કોઈ નહિ પણ જેલમાં બંધ કેદીઓ છે. જેમાં હાલમાં રાજ્યની 32 જેલમાં બંધ અંદાજે 17000 જેટલા કેદીઓ છે જેઓ મતદાન કરી શકશે નહીં. કેમ કે નિયમ પ્રમાણે જેલમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેના કારણે જેલમાં બંધ કેદીઓ તેમના મતનો ઉપયોગ કરી શકતા નથી. તે પછી પાકા કામના કેદી હોય કાચા કામના કેદી હોય કે પછી અંડરટ્રાયલમાં રહેલા કેદીઓની વાત હોય.

શા માટે જેલમાં બંધ કેદી નથી કરી શકતા મતદાન ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 17 હજાર કેદીઓ મતદાન નહીં કરી શકે. કાયદાકીય પ્રાવધાનને લઈને કેદીઓ મતદાનથી વંચિત રહેશે. પાકા કામના કેદી ચૂંટણીમાં ન તો લડી શકે કે ન મતદાન કરી શકે છે. તો કાચા કામના કેદી ચૂંટણીમાં લડી શકે છે પણ મતદાન નહીં કરી શકે.\

કેદીઓને નથી મળી શકતા પેરોલ

ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા લાગુ પડી જતી હોય છે. જે આચારસંહિતા લાગુ પડતાની સાથે જેલમાં બંધ કેદીઓને પેરોલ આપવા પર પ્રતિબંધ લાગી જાય છે. જેના કારણે તેઓ આચાર સંહિતા લાગુ થવાથી લઈને ચૂંટણી પૂર્ણ થયા સુધી બહાર આવી શકતા નથી. જેથી તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. તેમજ જેલમાં સુરક્ષા અને અન્ય બાબતોને ધ્યાને રાખીને અને કાયદાકીય નિયમ પ્રમાણે મતદાનની વ્યવસ્થા થતી નથી. જેના કારણે જેલમાં બંધ કેદીઓ પોતાના મતાધિકારથી વંચિત રહે છે. એટલું જ નહીં પરંતુ આ સમય દરમિયાન જો કોઈ કેદીએ પેરોલ લેવી હોય તો કોર્ટમાં અરજી કરવી પડતી હોય છે. જેમાં બીમારી કે અન્ય ગંભીર કોઈ બાબત હોય તો કોર્ટ તેને ધ્યાને રાખીને જ કેદીને જરૂર લાગે તો જ પેરોલ આપતા હોય છે.

રાજ્યની 32 જેલમાં કેદીઓના આંકડા

  • અમદાવાદ સેન્ટ્રલ જેલ અંદાજે 3400 જેટલા કેદીઓ
  • વડોદરા સેન્ટ્રલ જેલ અંદાજે 1500 જેટલા કેદીઓ
  • રાજકોટ સેન્ટ્રલ જેલ અંદાજે 1800 જેટલા કેદીઓ
  • સુરત લાજપોર સેન્ટ્રલ જેલ અંદાજે 2800 જેટલા કેદીઓ
  • જામનગર ડિસ્ટ્રિક્ટ જેલ અંદાજે 600 જેટલા કેદીઓ

આમ અમદાવાદ શહેર સહિત રાજયની 32 જેલમાં અંદાજે 17 હજાર જેટલા કેદીઓ જેલમાં બંધ છે. જેમાં પાકા કામના કેદી 4500 ઉપર જ્યારે કાચા કામના કેદી અંદાજે 12 હજાર જેટલા છે. જેમાં પુરુષ કેદીઓની સંખ્યા સૌથી વધુ છે. જે તમામ જેલોમાં હાલમાં કેપેસિટી કરતા 20 ટકા વધુ કેદી બંધ છે.

સાબરમતી જેલમાં 3400 જેટલા કેદીઓ

એક આંકડા પ્રમાણે સાબરમતી જેલમાં 3400 જેટલા કેદીઓ હાલમાં બંધ છે. જેમાં 1200 જેટલા પાકા કામના કેદી જ્યારે અન્ય કાચા કામના કેદી બંધ છે. તો રાજયની 32 જેલમાં 17 હજાર જેટલા કેદી માંથી 4700 જેટલા પાકા કામના કેદી અને અન્ય કાચા કામના કેદી બંધ છે. જેમાં પાસા વાળા અંદાજે 300 જેટલા કેદી છે. જોકે તેમાં પેરોલ પર કેટલા કેદી બહાર છે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. પરંતુ આના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે જેઓ ભારતના નાગરિક છે છતાં પણ તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આવા લોકો માટે પણ ચૂંટણી કમિશનને કંઈક વિચારણા કરવાની જરૂરિયાત હોય તેવું લાગી રહ્યું છે. જેથી કરીને સામાન્ય માનવી હોય કે કેદી હોય તે તમામ લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">