AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: નિરંજન પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને આપી શકે છે સાથ, પેટલાદ બેઠક પર કદાવર નેતાઓ વચ્ચે ખેલાશે જંગ !

કોંગ્રેસના (Congress) સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પેટલાદ બેઠક પર નિરંજન પટેલને બદલે ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા માગતા હોવાની શક્યતા છે. જે વાતથી નારાજ થઇ નિરંજન પટેલ કેસરિયો ધારણ કરે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

Gujarat Election 2022: નિરંજન પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને આપી શકે છે સાથ, પેટલાદ બેઠક પર કદાવર નેતાઓ વચ્ચે ખેલાશે જંગ !
કોંગ્રેસ નેતા નિરંજન પટેલImage Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 1:56 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોમાં મધ્ય ગુજરાત ઝોનમાં ભારે રસાકસી જોવા મળે તેવી શક્યતા છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે ભાજપની જાહેર થયેલ યાદીમાં આણંદની સાત વિધાનસભામાંથી પેટલાદ સીટના ઉમેદવારનું નામ બાકી છે. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પેટલાદ બેઠક પર નિરંજન પટેલને બદલે ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા માગતા હોવાની શક્યતા છે. જે વાતથી નારાજ થઇ નિરંજન પટેલ કેસરિયો ધારણ કરે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભરતસિંહ સોલંકી પેટલાદ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા

ગઇકાલે ભાજપ દ્વારા આણંદ જિલ્લાના ઉમેદવારોની જે યાદી જાહેર કરવામાં આવી છે. તેને લઇને ભાજપમાં જ નારાજગી જોવા મળી રહી છે. કારણકે ભાજપે સોજીત્રાના વિપુલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જે અગાઉ બે વખત હારી ચુક્યા છે. જેથી આગામી દિવસોમાં તે હારશે કે જીતશે તે અંગે હજુ અસ્પષ્ટતા જોવા મળી રહી છે. જો કે આણંદ જિલ્લાની પેટલાદ બેઠક એક એવી બેઠક છે જે પરંપરાગત રહી છે.

અહીં કોંગ્રેસના નિરંજન પટેલ દ્વારા ચૂંટણી જાહેર થાય તે પહેલાથી જ પ્રચાર અભિયાન શરુ કરી દીધુ હતુ. રાત્રે 12 વાગે પણ પેટલાદ વિધાનસભાના ગામડાઓમાં જઇને લોકો સાથે ચર્ચાઓ પણ કરી છે. કોગ્રેસમાં તેમને જ ઉમેદવાર બનાવવાના છે તેવી વાત હતી. જો કે અચાનક આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પેટલાદ બેઠક પર ચૂંટણી લડાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત ઇલેકશન 2022 : નગરપાલિકામાં નિરંજન પટેલને મળી હતી હાર

ભરતસિંહ સોલંકીને પેટલાદ બેઠક પર ચૂંટણી લડાવવાનું કારણ એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે નિરંજન પટેલની ઊંમર વધુ છે. નિરંજન પટેલે જો કોંગ્રેસ ટિકિટ ન આપે તો તેમના દીકરા સૌરભ પટેલને ટિકિટ આપવામાં આવે તેવી પણ માગણી કરેલી છે. જો કે થોડા સમય પહેલા જે નગરપાલિકાના ચૂંટણીઓ યોજાઇ હતી. તેમાં તેમનો પરાજય થયો હતો. તેથી કોંગ્રેસ હવે ત્યાં ભરતસિંહ જેવા મોટા કદના નેતાને મેદાનમાં ઉતારે તેવુ લાગી રહ્યુ છે.

બીજી તરફ આ જ બેઠક પર ભાજપમાંથી પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. કારણકે જો નિરંજન પટેલ કોંગ્રેસમાં નારાજગીના પગલે જો ભાજપમાં સામેલ થાય તો તેમને ભાજપમાંથી ઉમેદવાર તરીકે ઊભા રખાય તેવી શક્યતા છે. નિરંજન પટેલનું પણ પેટલાદ બેઠકમાં સારુ એવુ વર્ચસ્વ રહેલુ છે. ત્યારે જો નિરંજન પટેલ ભાજપમાં સામેલ થાય અને તેમને ટિકિટ મળે તો પેટલાદ બેઠક પર નિરંજન પટેલ અને ભરતસિંહ સોલંકી એમ બંને કદાવર નેતાઓ વચ્ચે રસીકસીનો જંગ જામશે.

(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી,આણંદ)

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">