AAP નેતાના ધર્માંતરણ વિવાદનો વંટોળ ગુજરાતમાં, જીતુ વાઘાણીએ કેજરીવાલને આડે હાથ લીધા

દિલ્હી સરકારના મંત્રીના ધર્માંતરણના વિવાદને પગલે હવે ગુજરાતની રાજનિતી પણ ગરમાઈ છે,ભાજપના નેતાઓ આપ પર આ મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યું છે.

AAP નેતાના ધર્માંતરણ વિવાદનો વંટોળ ગુજરાતમાં, જીતુ વાઘાણીએ કેજરીવાલને આડે હાથ લીધા
Jitu Vaghani Lashes out to Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 8:52 AM

દિલ્લીની AAP સરકારના પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમના ધર્માંતરણના વીડિયો મુદ્દે ગુજરાત ભાજપે (BJP) વિરોધ દર્શાવ્યો છે. ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી(Jitu VaghanI) AAP નેતા પર વાર કરતા કહ્યું કે, “AAPના ચાવવાના અને બતાવવા દાંત અલગ છે, કેજરીવાલની (Arvind kejriwal) નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, AAPએ હિન્દુ સમાજ પર થૂંકવાનું કામ કર્યું છે, તો બીજી તરફ જીતુ વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું કે, “જનતાની લાગણીઓ સાથે રમત કરવાનું બંધ કરો અને હિન્દુ સમાજની સહનશક્તિની પરીક્ષા ન લો, વધારે પરીક્ષા લેશો તો સહન નહીં કરી શકો”.

વિવાદ વણસતા રાજેન્દ્ર પાલ ગૌતમે યુ-ટર્ન લીધો

હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાવનારા દિલ્લી સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે (Rajendra Pal Gautam) હવે યુ-ટર્ન લીધો છે. ચારેબાજુથી ટીકાનો વરસાદ થતાં હવે તેમણે લોકોની માફી માગી છે અને ભાજપ પર ખોટી અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.. તેમણે કહ્યું કે- હું ખૂબ ધાર્મિક વ્યક્તિ છું. હું વ્યક્તિગત રીતે તમામ દેવી-દેવતાઓનું સન્માન કરું છું. અને ક્યારેય સપનામાં પણ ન વિચારી શકું કે કોઈ કર્મ કે વચનથી દેવી-દેવતાઓનું અપમાન કરું. મેં કોઈની પણ આસ્થા પ્રત્યે કોઈપણ શબ્દ નથી ઉચ્ચાર્યો. હું સૌની આસ્થાનું સન્માન કરું છું.. મેં તો માપા ભાષણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મોંઘવારી અને સામાજિક સમાનતા પર પોતાની વાત રજૂ કરી હતી. પરંતુ ભાજપવાળા મારા વિશે ખોટી અફવા ફેલાવે છે.. હું ભાજપવાળાની (BJP) આ હરકતથી ખૂબ હેરાન છું અને એ તમામ લોકોની હાથ જોડીને માફી માગું છું જેમને ભાજપના આ દુષ્પ્રચારના કારણે કોઈપણ પ્રકારની પીડા થઈ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો શું છે સમગ્ર મામલો ?

મહત્વનું છે કે 5 ઓક્ટોબરે દિલ્લીના સમાજ કલ્યાણ પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતા, ત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પ્રધાનની ઉપસ્થિતિમાં લોકોને શપથ અપાવાઈ કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહીં કરે અને ઈશ્વરને પણ નહીં માને. બૌદ્ધ ધર્મનો આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે કરોલબાગના આંબેડકર ભવનમાં યોજાયો હતો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">