AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Election 2022: ગોવામાં TMC સાથે નહીં કરીએ ગઠબંધન, AAP તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે: કેજરીવાલ

AAPએ 2017 માં પણ ગોવા વિધાનસભાની ચૂંટણી લડી હતી. પરંતુ 40 સભ્યોના ગૃહમાં એક પણ બેઠક જીતી શકી ન હતી. ટીએમસીએ જાહેરાત કરી છે કે તે ગોવામાં આવનારી ચૂંટણીમાં તમામ 40 સીટો પર ચૂંટણી લડશે.

Goa Election 2022: ગોવામાં TMC સાથે નહીં કરીએ ગઠબંધન, AAP તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે: કેજરીવાલ
Goa Election 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:34 AM
Share

આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)  ગોવામાં (Goa) મમતા બેનર્જીની (Mamata Banerjee) આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (Tmc) સાથે ચૂંટણી પૂર્વ ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે. જો કે, તેમણે કહ્યું કે ખંડિત જનાદેશના કિસ્સામાં તેઓ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી બિન-ભાજપ પક્ષો સાથે ગઠબંધન પર વિચાર કરી શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે AAP ગોવા વિધાનસભાની તમામ 40 સીટો પર તેના ઉમેદવારો ઉભા કરશે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી પદ માટે પાર્ટીના ચહેરાની જાહેરાત કરશે.

કેજરીવાલે ભાજપના દિગ્ગજ નેતા મનોહર પર્રિકરની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાજ્યના શાસક પક્ષમાં “ગૂંગળામણ” અનુભવતી કોઈપણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પણજીની તેમની મુલાકાત દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશના કિસ્સામાં તેમની પાર્ટી બિન-ભાજપ પક્ષો સાથે “જો એકદમ જરૂરી હોય તો” ચૂંટણી પછીનું જોડાણ કરી શકે છે. તૃણમૂલ કોંગ્રેસ સાથે ચૂંટણી પૂર્વેના ગઠબંધનની શક્યતાને નકારી કાઢતા કેજરીવાલે કહ્યું, “આપણે ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન શા માટે કરવું જોઈએ? અમે તેમની સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.

જો ગોવામાં સત્તા પર આવશું તો તમે “ભ્રષ્ટાચાર મુક્ત” સરકાર આપીશું. કેજરીવાલે કહ્યું કે જો AAP આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગોવામાં સત્તા પર આવશે તો તે રાજ્યમાં “ભ્રષ્ટાચાર મુક્ત અને પ્રામાણિક” સરકાર આપશે. કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે આ ગેરંટી AAPની દિલ્હી સરકારના ભૂતકાળના પ્રદર્શનના રેકોર્ડના આધારે આપવામાં આવી છે જ્યાં દુકાનદાર પાસેથી લાંચ માંગવા બદલ તેના જ મંત્રીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે જો મંત્રીઓ કે ધારાસભ્યો લાંચની માંગણી કરતા જોવા મળશે તો તેઓ સજામાંથી બચી શકશે નહીં. તેમણે દાવો કર્યો કે, “અમે ગોવામાં પ્રથમ ભ્રષ્ટાચાર મુક્ત અને ઈમાનદાર સરકાર આપીશું.” “અમે પહેલાથી જ દિલ્હીમાં ડોરસ્ટેપ સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કરી દીધું છે. તમામ સરકારી સેવાઓ તમારા ઘરઆંગણે ઉપલબ્ધ થશે.

ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલ્યું ન હતું તેમણે કહ્યું કે દિલ્હીમાં સરકારી અધિકારીઓ દસ્તાવેજો એકત્ર કરવા માટે અરજદારના ઘરે જાય છે અને ગોવામાં પણ આવી જ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું, “તમારા પંચાયતના કામથી લઈને મુખ્યમંત્રીની મદદ સુધીબધું જ તમારા ઘરઆંગણે ઉપલબ્ધ થશે.” સરકારની અંદર કામ કરવાની રીતમાં મોટો ફેરફાર થશે.

તેમણે કહ્યું કે સરકાર રાજ્યના ઔદ્યોગિક ગૃહોને તેમનો વ્યવસાય ચલાવવા માટે પણ મદદ કરશે. કેજરીવાલે કહ્યું કે AAP સરકાર જે ઉદ્યોગો દરિયાકાંઠાના રાજ્ય છોડી ગયા છે તેમને રાજ્યમાં પાછા લાવવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડીને તેમને સુવિધા આપશે. AAP એ 2017 માં પણ ગોવા વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ 40 સભ્યોના ગૃહમાં એક પણ બેઠક જીતી શકી નહોતી. ટીએમસીએ જાહેરાત કરી છે કે તે ગોવામાં આવનારી ચૂંટણીમાં તમામ 40 સીટો પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો : Good News : અમેરિકાએ આપી મોટી રાહત, H-1B અને અન્ય વર્ક વિઝા અરજદારોને ઇન્ટરવ્યુમાંથી મળશે મુક્તિ

આ પણ વાંચો : ભારતના 5 શહેર જ્યાંની હવા છે સૌથી સ્વચ્છ અને હવામાન છે ખુશનુમા, રજાઓ માટે છે શ્રેષ્ઠ સ્થળ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">