AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના 5 શહેર જ્યાંની હવા છે સૌથી સ્વચ્છ અને હવામાન છે ખુશનુમા, રજાઓ માટે છે શ્રેષ્ઠ સ્થળ

ભારતમાં ઘણા શહેરો પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યારે ઘણા શહેરો એવા છે જ્યાંના લોકો પ્રદૂષણથી મુક્ત જ છે. આવી સ્થિતિમાં જાણો તે શહેરો વિશે જ્યાં તમે વેકેશનમાં થોડા દિવસો ગાળવા જઈ શકો છો.

ભારતના 5 શહેર જ્યાંની હવા છે સૌથી સ્વચ્છ અને હવામાન છે ખુશનુમા, રજાઓ માટે છે શ્રેષ્ઠ સ્થળ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:49 AM
Share

દેશભરમાં પ્રદૂષણ (pollution) એક મોટી સમસ્યા બની રહ્યું છે. રાજધાની દિલ્હી (Delhi) અને તેની આસપાસના વિસ્તાર સહિત ઘણા શહેરોમાં હવા તદ્દન ઝેરી બની ગઈ છે. અત્યારે પણ ગામડાઓમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. જે લોકો લાંબા સમયથી પ્રદૂષણમાં જીવી રહ્યા છે તેઓ તેનાથી છુટકારો મેળવવા માંગે છે. જો દિલ્હીની વાત કરીએ તો તે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક છે અને આ યાદીમાં અન્ય ઘણા શહેરોના નામ પણ સામેલ છે. પ્રદૂષણના આ વાતાવરણમાં શુદ્ધ હવા મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

પરંતુ, ભારતમાં એવા ઘણા શહેરો છે. જ્યાંની હવા અન્ય શહેરો કરતા ઘણી શુદ્ધ છે. જો તમે પણ થોડા દિવસો માટે શુદ્ધ હવા લેવા માંગો છો તો તમે આવનારી રજાઓમાં આ શહેરોમાં રહી શકો છો. જ્યાં હવા એકદમ શુદ્ધ છે. એટલા માટે આજે અમે તમને એવા શહેરો વિશે જણાવી રહ્યા છીએ. જે ભારતમાં સૌથી સ્વચ્છ હવાવાળા શહેરોમાં કરવામાં આવે છે. આ યાદીના આધારે, તમે તમારા શહેરની નજીકના શહેરમાં જઈને થોડા દિવસો પસાર કરી શકો છો.

તો જાણી લો કે એવા કયા શહેરો છે, જ્યાં તમે શુદ્ધ હવામાં થોડા દિવસો સરળતાથી વિતાવી શકો છો.

1. આઈઝોલ મિઝોરમની રાજધાની આઈઝોલ એ ભારતના સૌથી સ્વચ્છ હવાવાળા શહેરો પૈકી એક છે. તમે અહીં ઓછા ખર્ચે થોડા દિવસો રોકાઈ શકો છો અને તમને અહીં ફરવા માટે તળાવ, ધોધ જેવી ઘણી જગ્યાઓ મળે છે, જ્યાં તમે મોજ-મસ્તી સાથે ફરવા જઈ શકો છો અને થોડા દિવસો પસાર કરી શકો છો.

2. કોઈમ્બતુર તમિલનાડુના કોઈમ્બતુર શહેરને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અને અહીંની હવા એકદમ સ્વચ્છ છે. કોઈમ્બતુરમાં અને તેની આસપાસ ફરવા માટે ઘણા સ્થળો છે. જ્યાં તમે તમારા શિયાળાના વેકેશનનો આનંદ માણી શકો છો. આ સિવાય જો તમને વધારે શિયાળો ન ગમતો હોય તો પણ આ શહેર તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

3. અમરાવતી આંધ્ર પ્રદેશમાં અમરાવતી પણ તમારા માટે એક એવી જગ્યા બની શકે છે. જ્યાં પ્રદૂષણ ઘણું ઓછું છે. અહીં પણ તમે ઓછા ખર્ચે ઘણી જગ્યાઓ પર ફરી શકો છો અને ફરવા માટે નજીકની જગ્યાઓ પર જઈ શકો છો. ખરેખર, તેઓ પ્રકૃતિ અને ધાર્મિક સ્થળોનો આનંદ માણી શકે છે.

4.દાવળગેર તે કર્ણાટકનું એક શહેર છે, જે કર્ણાટકની રાજધાની બેંગલુરુથી 250 કિમી દૂર છે. આ સ્થળ હેરિટેજ સાઈટ, પ્રકૃતિ સાથે સંબંધિત મનોહર સ્થળ માટે પણ પ્રખ્યાત છે અને દક્ષિણ ભારતના ઘણા લોકો અહીં આવવાનું પસંદ કરે છે.

5. વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ એવું જ એક શહેર છે. જે ઘણું પ્રખ્યાત છે. પરંતુ, દરિયા કિનારે આવેલ આ શહેર એકદમ શાંત અને પ્રદુષણથી દૂર છે. અહીં તમે સમુદ્રના બીચની મજા પણ માણી શકો છો.

તમે રજાઓમાં ઘણા હિલ સ્ટેશનો વગેરે પર જઈ શકો છો. જ્યાં તમને શહેરની વધુ સ્વચ્છ હવા મળશે. આ માટે તમે પ્રકૃતિ સંબંધિત કોઈપણ સાઈટ પર જઈ શકો છો અને તમારી રજાઓ માણી શકો છો.

આ પણ વાંચો : Omicron: ઓમિક્રોનથી બચવા દુનિયા ઉતરી મેદાનમા, એસ્ટ્રાજેનેકાનાં બુસ્ટર ડોઝ પર આશ, લાદવામાં આવ્યા સખત નિયમો

આ પણ વાંચો : Ludhiana Court Blast: NSG ફોરેન્સિક ટીમની તપાસ શરૂ, પ્રાથમિક રિપોર્ટમાં પોલીસે કહ્યું મૃતક જ બ્લાસ્ટ કેસમાં સંદિગ્ધ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">