AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇ મોટા સમાચાર, ભાજપ સાથે જોડાય તેવી અટકળો તેજ

નરેશ પટેલ ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઈ છે. એવું જાણવા મળી રહ્યું છે કે નરેશ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે.

પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇ મોટા સમાચાર, ભાજપ સાથે જોડાય તેવી અટકળો તેજ
Naresh Patel (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 6:40 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે તેમ તેમ રોજ ગુજરાત (Gujarat)ની રાજકારણમાં પણ હલચલ થતી જઇ રહી છે. એક તરફ પક્ષ પલટાના અનેક સમાચાર સામે આવે છે. તો બીજી તરફ ગુજરાતના સમાજ સેવા કરનારા મોટા ચહેરાઓ પણ હવે જુદા જુદા ચહેરાઓ રાજકીય પક્ષોમાં જોડાઇ શકે છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) કેસરિયા કરે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર એક સપ્તાહ બાદ નરેશ પટેલ ભાજપમાં જોડાઇ શકે છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નરેશ પટેલ ભાજપના કેન્દ્રીય અને પ્રાદેશિક નેતૃત્વના સીધા સંપર્કમાં છે. સૂત્ર મુજબ ટૂંક સમય પહેલા જ નરેશ પટેલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. સાથે જ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ નરેશ પટેલે બેઠક કરી હતી. જોકે નરેશ પટેલે આ અંગે હજુ સુધી કોઇ ખુલાસો કે સ્પષ્ટતા નથી કરી. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પર નરેશ પટેલ સંમતિની ક્યારે મહોર મારે છે તે જોવું રહ્યું.

મહત્વનું છે કે છેલ્લા દોઢ-બે મહિનામાં નરેશ પટેલે અવારનવાર મીડિયા સમક્ષ પોતે રાજકારણમાં આવવા માગતા હોવાનું કહી ચૂક્યા છે. જોકે, સમાજના લોકો કહેશે તેમ કરીશ તેવી વાતો પણ તેમણે અનેક વાર કરી છે. આ પહેલા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે તેવી અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં, કોંગ્રેસે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાના પણ દાવા કરવામાં આવ્યા હતા. જોકે, તે પછી તેના વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ સિવાય આમ આદમી પાર્ટી તરફથી પણ તેમને તેમના પક્ષમાં જોડાવાનું આમંત્રણ અપાયુ હતુ. જો કે તેની અટકળો પણ ધીમે ધીમે શાંત થઇ. જો કે હવે તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઈ છે. એવું જાણવા મળી રહ્યું છે કે નરેશ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે. માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં નરેશ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ એપ્રિલના મધ્ય સુધીમાં પોતાનો નિર્ણય જાહેર કરશે. ત્યારે હવે નરેશ પટેલ ભાજપમાં જોડાશે તે વાત તો તેમની સત્તાવાર જાહેરાત પછી જ જાણવા મળી શકે.

આ્ પણ વાંચોઃ Jamnagar: યુવાનની છરી મારીને હત્યા, સમાધાન માટે બોલાવી રહેંશી નાખ્યો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">