Punjab Assembly Election 2022 : પંજાબ કોંગ્રેસના સાંસદો સોનિયા ગાંધીને મળ્યા, લુધિયાણા બોમ્બ બ્લાસ્ટ અને ચૂંટણીની વ્યૂહરચના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી

બેઠકમાં હાજર એક સાંસદે જણાવ્યું હતું કે નેતાઓએ સૂચવ્યું હતું કે સરકાર અને પક્ષ વચ્ચે સંકલન સુધારવાની જરૂર છે કારણ કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ (નવજોત સિંહ સિદ્ધુ)ના નિવેદનોને કારણે સરકારને ઘણી વખત નુકસાન થયું છે.

Punjab Assembly Election 2022 : પંજાબ કોંગ્રેસના સાંસદો સોનિયા ગાંધીને મળ્યા,  લુધિયાણા બોમ્બ બ્લાસ્ટ અને ચૂંટણીની વ્યૂહરચના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી
Congress President Sonia Gandhi (file photo-PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 11:02 AM

Punjab Assembly Election 2022 પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, રાજ્યના પક્ષના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress  Sonia Gandhi) સાથે બેઠક કરી અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી. આ બેઠક દરમિયાન, સાંસદોએ લુધિયાણા જિલ્લા અદાલતમાં બોમ્બ વિસ્ફોટ અને મોબ લિંચિંગ (Mob lynching)ની તાજેતરની ઘટનાઓ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરી હતી. સોનિયા ગાંધીએ પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022)માં પાર્ટીની સંભાવનાઓ અંગે સાંસદોને તેમના મંતવ્યો પૂછ્યા.

સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. સાંસદોએ રાજ્યમાં આતંકવાદના ઇતિહાસને ટાંકીને સાંપ્રદાયિક શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Former Chief Minister Amarinder Singh)ની પત્ની અને પટિયાલાથી કોંગ્રેસ સાંસદ પ્રનીત કૌર બેઠકમાં હાજર રહી ન હતી.

આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, ઉપરાંત સરકારના પડકારો અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિઝન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા એક સાંસદે કહ્યું, “નેતાઓએ સૂચન કર્યું કે સરકાર અને પક્ષ વચ્ચે સંકલન સુધારવાની જરૂર છે કારણ કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ (નવજોત સિંહ સિદ્ધુ)ના નિવેદનોને કારણે સરકારને ઘણી વખત નુકસાન થયું છે. ”

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ બેઠક ત્યારે થઈ છે જ્યારે તાજેતરમાં પાર્ટી સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પરિવારમાંથી માત્ર એક જ સભ્યને ટિકિટ આપશે. બુધવારે આ બેઠક બાદ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરીએ કહ્યું હતું કે, “સ્ક્રિનિંગ કમિટીએ રાજ્યની 117 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી અંગે ચર્ચા કરી હતી અને રણનીતિ બનાવવામાં આવી હતી. જેમાં એક પરિવારના એક જ સભ્યને પાર્ટીની ટિકિટ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પંજાબમાં બેઠક થઈ

અમૃતસરના સુવર્ણ મંદિર અને કપૂરથલાના ગુરુદ્વારામાં તાજેતરના કથિત તોડફોડના પ્રયાસો અને ત્યારબાદ પંજાબમાં બે આરોપીઓની લિંચિંગને પગલે આ બેઠક મહત્ત્વપૂર્ણ છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ ઘટનાઓને કાવતરું ગણાવ્યું છે અને કહ્યું છે કે ચૂંટણી પહેલા રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે એટલે કે બહુમતીનો આંકડો 59 છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે 77 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેણે હવે પોતાની પાર્ટી ‘પંજાબ લોક કોંગ્રેસ’ બનાવીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Uttar Pradesh: કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ ક્રિસમસ અને નવા વર્ષ માટે આપી કડક સૂચના, પાર્ટીઓ પર લાગી શકે છે પ્રતિબંધ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">