બંગાળમાં ખીલ્યું કમળ…! વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, PM મોદીનું પહેલું રિએક્શન આવ્યું સામે
BJP એ પશ્ચિમ બંગાળ અને અસમની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાને આ વિજયને જનતાની શક્તિ અને સુશાસનની રાજનીતિની જીત ગણાવીને બંને રાજ્યોના નાગરિકો તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.

પશ્ચિમ બંગાળ અને અસમમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત પર હવે પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ અસમ અને પશ્ચિમ બંગાળમાં જીત બદલ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. પોતાની એક્સ (X) પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે, પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ઉઠ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 2026ની ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. જનતાની શક્તિની જીત થઈ છે અને ભાજપની સુશાસનની રાજનીતિ વિજયી બની છે. હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને નમન કરું છું.
The Lotus blooms in West Bengal!
The 2026 West Bengal Assembly Elections will be remembered forever. People’s power has prevailed and BJP’s politics of good governance has triumphed. I bow to each and every person of West Bengal.
The people have given a spectacular mandate to…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
ભાજપને જનતાએ આપ્યો શાનદાર જનાદેશ
તેમણે આગળ લખ્યું કે, ‘જનતાએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને વિશ્વાસ અપાવું છું કે, અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના તેમજ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરશે. અમે એવી સરકાર આપીશું, જે સમાજના તમામ વર્ગો માટે તક અને સન્માન સુનિશ્ચિત કરે.’
BJP’s record win in West Bengal would not be possible without the efforts and struggles of countless Karyakartas over generations. I salute them all. For years, they have worked hard on the ground, overcome all sorts of adversities and spoken about our development agenda. They…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
બંગાળમાં જીત એ કાર્યકર્તાઓના સંઘર્ષનું પરિણામ: PM મોદી
પોતાની પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત કાર્યકર્તાઓના પ્રયાસો અને સંઘર્ષો વિના શક્ય ન હોત. હું તે તમામને સલામ કરું છું. વર્ષોથી તેમણે પાયાના સ્તરે સખત મહેનત કરી છે, તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને અમારા વિકાસના એજન્ડા વિશે વાત કરી છે. તેઓ અમારી પાર્ટીની તાકાત છે.’
વડાપ્રધાને આસામની જનતાનો આભાર માન્યો
બીજી તરફ, આસામ વિધાનસભા ચૂંટણીમાં જીત અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ‘અસમે ફરી એકવાર ભાજપ-એનડીએને આશીર્વાદ આપ્યા છે. અસમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએની જીત અમારા ગઠબંધનના વિકાસ અને જનજીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ પ્રત્યે અતૂટ સમર્થન દર્શાવે છે. હું અસમના મારા તમામ ભાઈઓ અને બહેનોને આ શાનદાર જનાદેશ બદલ આભાર માનું છું. હું તેમને એ પણ ખાતરી આપું છું કે, અમે રાજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશું.’
Assam blesses BJP-NDA once again!
The BJP-NDA’s win in the Assam Vidhan Sabha elections illustrates the unwavering support for our Alliance’s emphasis on development and bringing a positive difference in people’s lives. I thank my sisters and brothers of Assam for the…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
અમારા સકારાત્મક એજન્ડાએ જનતાના દિલમાં સ્થાન બનાવ્યું: PM મોદી
પીએમ મોદીએ અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, ‘હું અસમની જનતા વચ્ચે અથાગ પરિશ્રમ કરનારા તમામ ભાજપ-એનડીએ કાર્યકર્તાઓની પ્રશંસા કરું છું. છેલ્લા એક દાયકામાં અમારી પાર્ટી અને ગઠબંધનની પ્રગતિ પ્રશંસનીય છે. તેમના પ્રયાસોથી જ અમારો સકારાત્મક એજન્ડા જનતાના દિલમાં સ્થાન બનાવી શક્યો છે.’
I applaud all BJP-NDA Karyakartas for their round-the-clock efforts among the people of Assam. It is commendable how our Party and Alliance have grown over the last decade. Their efforts have ensured our positive agenda has struck a chord with the people.@BJP4Assam
— Narendra Modi (@narendramodi) May 4, 2026
પીએમ મોદીએ પુડુચેરીના કાર્યકર્તાઓના વખાણ કર્યા
સાથે જ, પુડુચેરીના એનડીએ કાર્યકર્તાઓના વખાણ કરતા પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, ‘મને પુડુચેરીના એનડીએ કાર્યકર્તાઓ પર ખૂબ ગર્વ છે, જેમણે પાયાના સ્તરે અસાધારણ પ્રયાસો કર્યા છે. તેઓ સતત જનતાની વચ્ચે રહ્યા છે અને અમારા વિઝન તથા સિદ્ધિઓ વિશે વિગતવાર જણાવ્યું છે. આ જ કારણ છે કે, જનતાએ અમને ફરી એકવાર આશીર્વાદ આપ્યા છે.’
