Breaking News: પરિવર્તન નક્કી ! PM મોદીનો બંગાળની ધરતી પરથી જીતનો હુંકાર, હવે તૈયારી સીધી ‘શપથ ગ્રહણ’ની
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂરા આત્મવિશ્વાસમાં જોવા મળ્યા હતા. બેરકપુરની રેલીમાં જંગી જનમેદનીને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બંગાળમાં હવે પરિવર્તન નક્કી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે પૂરો થઈ રહ્યો છે. નોર્થ (ઉત્તર) 24 પરગણા જિલ્લાના બેરકપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિજય સંકલ્પ રેલી’ને સંબોધિત કરી હતી. આ રેલીમાં જંગી ભીડ ઉમટી પડી હતી. તેમણે પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, બેરકપુરની ધરતી ‘પરિવર્તન’ની લહેરને પ્રશસ્ત કરી રહી છે. બંગાળમાં હું જ્યાં-જ્યાં ગયો છું, ત્યાં આટલી ગરમીમાં પણ આવો જન ઉત્સાહ જોઈને મને ખાતરી થઈ ગઈ છે કે, 4 મેના પરિણામ બાદ ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે.
તમને જોઈને મારો ઉત્સાહ વધી ગયો: PM મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘ચૂંટણીમાં મારી આ છેલ્લી રેલી છે. હું એવા ભરોસા સાથે પાછો જઈ રહ્યો છું કે, 4 મેના પરિણામ પછી હું ચોક્કસપણે ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં જોડાઈ જઈશ. આનાથી મારો ઉત્સાહ વધુ વધી ગયો છે. હું જ્યારે હેલીપેડથી અહીં આવી રહ્યો હતો, ત્યારે લગભગ બે કિલોમીટરનો રસ્તો હતો. બંને તરફ એટલી મોટી ભીડ હતી કે, હું કલ્પના પણ નથી કરી શકતો. ટૂંકમાં, આટલી વહેલી સવારે હજારો લોકો મને આશીર્વાદ આપવા આવ્યા હશે.’
તમારી વચ્ચે રહીને શાંતિ મળી: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારથી મેં મારું ઘર છોડ્યું છે, મને તમારી વચ્ચે રહીને જ ખુશી અને શાંતિ મળી છે. તમે જ મારો પરિવાર છો. હું છેલ્લા ત્રણ-ચાર દાયકાથી દેશના ખૂણે ખૂણે પ્રવાસ કરી રહ્યો છું. રાજકારણમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા પછી એક ભાજપ કાર્યકર્તા તરીકે પાર્ટીએ જે પણ જવાબદારી આપી, મેં તે નિભાવી છે. ચૂંટણીની જવાબદારીઓ ઉપાડવી પણ તેનો જ એક ભાગ રહ્યો છે.”
#WATCH | Barrackpore, West Bengal: Prime Minister Narendra Modi says, “This is my last rally in this election. I’m going back with the confidence that I will definitely attend the BJP’s swearing-in ceremony after the May 4th results. And that only increases my enthusiasm.”
“I… pic.twitter.com/vE5xjLjKb1
— ANI (@ANI) April 27, 2026
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, “જ્યારે જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું, ત્યારે મેં 11 દિવસનું અનુષ્ઠાન કર્યું હતું. આ ચૂંટણીમાં મને એવી જ અનુભૂતિ થઈ છે, જેવી કોઈ દેવી મંદિરના દર્શન સમયે થાય છે. આની પાછળ બંગાળ પ્રત્યેનો મારો લગાવ છે.”
તેમણે ભૂતકાળની સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ભૂતકાળમાં જ્યારે ભારત સમૃદ્ધ હતું ત્યારે તેના ત્રણ મજબૂત સ્તંભ હતા. અંગ, બંગ અને કલિંગ… અંગ એટલે બિહાર, બંગ એટલે બંગાળ અને કલિંગ એટલે ઓડિશા. એવામાં જ્યારે આ ત્રણેય સ્તંભ નબળા પડ્યા ત્યારે ભારતની શક્તિને ઝટકો લાગ્યો હતો. આજે ભારત જ્યારે વિકસિત થવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે અંગ, બંગ અને કલિંગનું મજબૂત હોવું આવશ્યક છે. ભારતનો ભાગ્યોદય ‘પૂર્વોદય’ (પૂર્વ ભારતનો ઉદય) વગર અધૂરો છે.”
વંદે માતરમ્ ગુલામીમાંથી મુક્તિનો મંત્ર બન્યો
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, વંદે માતરમ્ ગુલામીમાંથી મુક્તિનો મંત્ર બન્યો હતો. 21મી સદીમાં આપણે વંદે માતરમ્ને બંગાળના નવનિર્માણનો મંત્ર બનાવવો છે. બંગાળની સેવા કરવી, બંગાળને સુરક્ષિત કરવું અને બંગાળ સામેના વિરાટ પડકારોથી તેને બચાવવું એ મારા ભાગ્યમાં છે અને મારી જવાબદારી પણ છે. જો કે, આ જવાબદારીમાંથી હું પાછળ નહીં હટું.
પીએમ મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, “એક તરફ તમને રોજગારી આપતી મિલો બંધ થઈ રહી છે અને બીજી તરફ ગુંડાઓને રોજગારી આપતી કાચા બોમ્બની ફેક્ટરીઓ ફૂલીફાલી રહી છે. TMCની સિન્ડિકેટ દુકાનોનો વિસ્તાર થઈ રહ્યો છે. આ TMCનું ‘મહા-જંગલરાજ’ છે. TMC પાસે બંગાળના ભવિષ્યનો કોઈ રોડમેપ નથી. ભાજપ અહીં જનતા જનાર્દનનું શાસન લાવશે.”
