AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
Students - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 11:32 PM
Share

કેનેડા (Canada)ના મોન્ટ્રિયાલ શહેરમાં આવેલી ત્રણ કોલેજો અચાનક બંધ થઇ જતા લગભગ 2,000 ભારતીય વિદ્યાર્થી (Student)ઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ લોકો ભારતના પંજાબ (Punjab) અને ગુજરાત (Gujarat)ના છે. લાખો રૂપિયાનો કરજો કરી એક સારા ભવિષ્ય માટે આ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા આવેલા છે. આ ત્રણ કોલેજો (Colleges)માં સીસીએસક્યૂ, સીડીઈ અને એમ કોલેજો છે. કોલેજોનું કહેવું છે કે કોરોનાના કારણે એમની આવકમાં ધરખમ ઘટાડો થઇ જવાથી એમને આ પગલાં લેવા પડ્યા છે.

આ કોલેજોએ એક સ્ટુડન્ટ પાસેથી 15,000 થી 29,500 ડોલરની ફી વસુલ કરી છે, જે ભારતના લગભગ 9 લાખથી લઇ 18 લાખ રૂપિયા થાય છે. આ સ્ટુડન્ટોએ કેનેડાના એજ્યુકેશન મંત્રી, ભારતના એમ્બેસેડર (India Ambassador) અને લોકલ એમપીને એક પિટિશન આપી છે. આ આખું પ્રકરણ હાલ કોર્ટમાં છે, તેથી પ્રકરણનો નિવેડો જલ્દી આવવાની શક્યતા નહીંવત છે.

ગુજરાતી ઈન કેનેડા નામનું ગ્રુપ સમય સમય પર ભારતમાં રહેતા સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓને સચેત રહેવાની સલાહ આપતું રહે છે. કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

ભારતથી કેનેડા ભણવા આવવા માગતા સ્ટુડન્ટ અને તેમના વાલીઓને જણાવવાનું કે કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં જો તમારા કોઈ ઓળખીતા કેનેડામાં રહેતા હોય તો એમની પાસેથી શક્ય હોય એટલી માહિતી મેળવવી જોઈએ. કોલેજ અંગેની તમામ માહિતી મેળવી અને ત્યારબાદ જ પ્રવેેેશ પ્રક્રિયા, ફી વગેરે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો : Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

આ પણ વાંચો : રક્ષા મંત્રી રાજનાથ સિંહે રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમાં ભાગ લીધો, કહ્યું દેશની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">