AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 11:32 PM
Share

કેનેડા (Canada)ના મોન્ટ્રિયાલ શહેરમાં આવેલી ત્રણ કોલેજો અચાનક બંધ થઇ જતા લગભગ 2,000 ભારતીય વિદ્યાર્થી (Student)ઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ લોકો ભારતના પંજાબ (Punjab) અને ગુજરાત (Gujarat)ના છે. લાખો રૂપિયાનો કરજો કરી એક સારા ભવિષ્ય માટે આ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા આવેલા છે. આ ત્રણ કોલેજો (Colleges)માં સીસીએસક્યૂ, સીડીઈ અને એમ કોલેજો છે. કોલેજોનું કહેવું છે કે કોરોનાના કારણે એમની આવકમાં ધરખમ ઘટાડો થઇ જવાથી એમને આ પગલાં લેવા પડ્યા છે.

આ કોલેજોએ એક સ્ટુડન્ટ પાસેથી 15,000 થી 29,500 ડોલરની ફી વસુલ કરી છે, જે ભારતના લગભગ 9 લાખથી લઇ 18 લાખ રૂપિયા થાય છે. આ સ્ટુડન્ટોએ કેનેડાના એજ્યુકેશન મંત્રી, ભારતના એમ્બેસેડર (India Ambassador) અને લોકલ એમપીને એક પિટિશન આપી છે. આ આખું પ્રકરણ હાલ કોર્ટમાં છે, તેથી પ્રકરણનો નિવેડો જલ્દી આવવાની શક્યતા નહીંવત છે.

ગુજરાતી ઈન કેનેડા નામનું ગ્રુપ સમય સમય પર ભારતમાં રહેતા સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓને સચેત રહેવાની સલાહ આપતું રહે છે. કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

ભારતથી કેનેડા ભણવા આવવા માગતા સ્ટુડન્ટ અને તેમના વાલીઓને જણાવવાનું કે કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં જો તમારા કોઈ ઓળખીતા કેનેડામાં રહેતા હોય તો એમની પાસેથી શક્ય હોય એટલી માહિતી મેળવવી જોઈએ. કોલેજ અંગેની તમામ માહિતી મેળવી અને ત્યારબાદ જ પ્રવેેેશ પ્રક્રિયા, ફી વગેરે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો : Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

આ પણ વાંચો : રક્ષા મંત્રી રાજનાથ સિંહે રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમાં ભાગ લીધો, કહ્યું દેશની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે

Follow Us
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">