SURAT : શહેરની 800 જેટલી સ્કૂલોમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, દર 15 દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation - SMC) દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં દર 15 દિવસે ધન્વંતરિ રથ દ્વારા વિદ્યર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
SURAT :ગુજરાત સરકાર દ્વારા કોરોનાકાળમાં તમામ શૈક્ષણિક સેત્રો બંધ કરવામાં આવ્યા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા ધરોણ 9 થી 11 ના તમામ વર્ગો શરૂ કરવામાં આવે તેવા આદેશ કર્યા હતા. જે આધારે સુરત શહેરમાં 800થી વધુ સ્કૂલોમાં વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે.
સરકારની ગાઈડલાઈનના આધારે પણ ફરી બાળકોમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation – SMC) દ્વારા શહેરની તમામ સ્કૂલોમાં દર 15 દિવસે ધન્વંતરિ રથ દ્વારા વિદ્યર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જેથી વિદ્યર્થીઓ પર કોઈ સંકટ ઉભું ન થાય અને સાથે વર્ગો પણ શરૂ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation – SMC) દ્વારા કુલ 8 ઝોનોમાં જેટલી સ્કૂલો છે તેમાં 15 દિવસના અંતરે ધન્વંતરિ રથ જશે અને એક એક વર્ગોના વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે. કોઈ વિદ્યર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવશે તો તેને સારવાર માટે લઈ જવામાં આવશે. સાથે જે વર્ગમાં વિધાર્થી અભ્યાસ કરતો હશે તે વર્ગને 10 કે 15 દિવસ માટે બંધ કરવામાં આવશે. જેથી બીજા વર્ગોને કોઈ અસર ન થાય અને બાળકોનો અભ્યાસ શરૂ રહે.
સુરત શહેરની વાત કરવામાં આવે તો અંદાજીત 800 જેટલી સ્કૂલોમાં 2 લાખ થી વધુ વિદ્યર્થીઓએ હાલમા અભ્યાસ શરુ કર્યો છે. વિદ્યાર્થીઓ પણ એવું જ કહી રહ્યા છે કે સ્કુલ શરૂ રહેવી જોઈએ. ઓનલાઇન અભ્યાસમાં કરતા ઓફલાઈન અભ્યાસ કરવામાં સરળતા રહે છે, જેથી સ્કૂલ સંચાલકો પણ તમામ તકેદારી રાખી રહ્યા છે. જો કોરોનાની સ્થિતિ આવી રહી તો બીજા ધોરણના વર્ગો પણ શરૂ થાય તેવી શકયતા લાગી રહી છે અને માંગ પણ ઉઠી રહી છે.
આ પણ વાંચો : Youngest Umpire : ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર જામનગરના જય શુક્લ