AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

પ્રશાસને એક આદેશ જાહેર કરીને શાળાના શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આદેશ મુજબ, શિક્ષકોએ વર્ગોમાં પ્રવેશતા પહેલા તેમના ફોન આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે.

School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 3:58 PM
Share

School Teacher Mobile Ban: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લા પ્રશાસને એક આદેશ જાહેર કરીને શાળાના શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિનય શંકર પાંડેએ શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ “કડક પગલાં” લેવાની ચેતવણી આપી છે. શંકર પાંડેએ જણાવ્યું છે કે, તે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને (Haridwar school) લાગુ પડશે. આદેશ મુજબ, શિક્ષકોએ વર્ગોમાં પ્રવેશતા પહેલા તેમના ફોન આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે. તેમણે કહ્યું, અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે શિક્ષકો વર્ગોમાં પણ તેમના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે.

અમે તેમની પ્રવૃત્તિઓ જેવી કે ગેમ રમવી, ચેટિંગ કરવાની વાતોને ધ્યાનમાં લીધી છે. કારણ કે અમને ઘણા સમયથી વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી ફરિયાદો મળી રહી છે. અમે ફરિયાદોની ચકાસણી માટે અમારા મેજિસ્ટ્રેટને મોકલ્યા છે. અમે આદેશ જાહેર કર્યો છે કે શિક્ષકો તેમના મોબાઈલ ફોન શાળાઓમાં લઈ જઈ શકે છે પરંતુ તેઓએ તેને આચાર્યના રૂમમાં જમા કરાવવાના રહેશે. તેઓ તેમના મોબાઈલ ફોન વિના વર્ગમાં પ્રવેશ કરશે.

ઈમરજન્સીમાં ફોનનો ઉપયોગ કરી શકો છો

ડીએમએ કહ્યું કે, શિક્ષકના પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં છૂટ આપી શકાય છે. તેમણે કહ્યું, તેના અમલીકરણની ખાતરી કરવાની જવાબદારી આચાર્યની રહેશે. જો કે, કુટુંબમાં સ્વાસ્થ્ય સંબધીત જેવા વિશેષ સંજોગોમાં, શિક્ષક આચાર્ય પાસેથી પરવાનગી લઈ શકે છે અને તેનો/તેણીનો ફોન રાખી શકે છે.

તેમણે કહ્યું કે, અમારા ઓચિંતા નિરીક્ષણમાં જો કોઈ શિક્ષક વર્ગખંડની અંદર મોબાઈલ ફોન કે ફોન રાખતો જણાશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે અને તેની જવાબદારી પણ આચાર્યએ લેવાની રહેશે. આ આદેશનો અમલ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: NCHM JEE 2022 Exam: NTA NCHM JEE પરીક્ષાની તારીખ લંબાવાઈ, અહીં તપાસો તમામ વિગતો

આ પણ વાંચો: UPSC Exam: કોરોનાને કારણે UPSC પરીક્ષા આપી શક્યા નહોતા, આયોગે સુપ્રીમ કોર્ટને Re-exam અંગે આપી માહિતી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">