ગ્રેજ્યુએશન પછી PhD, રિસર્ચ પેપર પબ્લિશ કરવાની જરૂર ખતમ ! નવા નિયમો ટૂંક સમયમાં કરવામાં આવશે જાહેર

PhD પ્રોગ્રામમાં એટમિશન લેવા માટે, વિદ્યાર્થીઓ પાસે માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. તેના વિના પ્રવેશ શક્ય નથી. કોઈ વિદ્યાર્થીએ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય અને પછી એક વર્ષનો માસ્ટર પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોય તો તેને પીએચડી પ્રોગ્રામમાં પણ પ્રવેશ મળી શકે છે.

ગ્રેજ્યુએશન પછી PhD, રિસર્ચ પેપર પબ્લિશ કરવાની જરૂર ખતમ ! નવા નિયમો ટૂંક સમયમાં કરવામાં આવશે જાહેર
Phd Admission
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 11:00 AM

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડિગ્રીના ચાર વર્ષ પૂર્ણ કર્યા પછી સીધા જ પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ લેવાની મંજૂરી આપવા જઈ રહ્યું છે. ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ સીધા જ પીએચડી પ્રોગ્રામમાં (PhD program) પ્રવેશ લઈ શકશે. જો કે, તેમની પાસે ચાર વર્ષના સ્નાતકમાં ઓછામાં ઓછા 75 % ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ. આ સિવાય જો કોઈ વિદ્યાર્થીએ ચાર વર્ષનું ગ્રેજ્યુએશન (Graduation) પૂરું કર્યું હોય અને પછી એક વર્ષનો માસ્ટર પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોય તો તેને પીએચડી પ્રોગ્રામમાં પણ પ્રવેશ મળી શકે છે.

વાસ્તવમાં, યુજીસી હાલમાં આ સંદર્ભમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. પીએચડી પ્રવેશ માટેના નવા નિયમો આવતા સપ્તાહ સુધીમાં જાહેર કરવામાં આવશે. તેવી અપેક્ષા છે. જો કે, યુજીસીએ સ્પષ્ટ કર્યું છે કે, પીએચડી પ્રોગ્રામ ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવશે નહીં.

હવે આ રીતે મેળવો એડમિશન

હાલમાં, પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે માસ્ટર ડિગ્રી હોવી ફરજિયાત છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) એવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકે છે કે, જેમણે ઇન્ટરવ્યુમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન સિવાય UGC-NET, UGC-CSIR NET, GATE અથવા CEED અને તેને સમાન નેશનલ લેવલ ટેસ્ટમાં શિષ્યવૃત્તિ માટે લાયકાત ધરાવતા હોય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હવે, રિસર્ચ પેપર પબ્લિશ કરવાની જરૂર નહીં રહે

અન્ય એક મહત્વપૂર્ણ પગલામાં, UGC એ થીસીસ સબમિટ કરતાં પહેલા રિસર્ચ પેપર્સ ફરજિયાતપણે પબ્લિશ કરવાની જરૂરિયાતને પણ દૂર કરી દીધી છે. વાસ્તવમાં, યુજીસીએ એક પ્રતિષ્ઠિત કેન્દ્રીય યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (IITs)ના 2,573 સંશોધન વિદ્વાનો સહિત એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાંથી બહાર આવ્યું છે કે, રિસર્ચ પેપરના ફરજિયાત પ્રકાશનને કારણે કેન્દ્રીય યુનિવર્સિટીઓના સ્કોપસ-ઇન્ડેક્સ્ડ જર્નલ્સની 75 ટકા ગુણવત્તામાં ઘટાડો થયો છે.

બીજી બાજુ, IIT ઘણા સંશોધન પત્રોને શ્રેષ્ઠ જર્નલ્સ તરીકે પબ્લિશ કરે છે. યુજીસીએ 2017થી 2019 સુધીના ત્રણ વર્ષના સમયગાળામાં તેનો સર્વે પૂર્ણ કર્યો. યુજીસીના વિશ્લેષણમાં જણાવાયું હતું કે, “યુનિવર્સિટીઓમાં, પીએચડી થીસીસ સબમિટ કરતાં પહેલાં પેપર પબ્લિશ કરવાની ફરજિયાત આવશ્યકતાએ લગભગ 75% વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન સંશોધન પેપરમાં તે જર્નલ પ્રકાશિત કરવાની ફરજ પાડી હતી. જે સ્કોપસ-ઇન્ડેક્સ્ડ જર્નલ્સ નથી.”

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">