AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT Books : હવે NCERT વિદ્યાર્થીઓને ભણવા નહીં મળે જાણીતા કવિઓની કવિતાઓ, અહીં વાંચો

CBSEએ ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓ માટે હિન્દી અભ્યાસક્રમમાં કેટલાક ફેરફારો કર્યા છે. કેટલાક મોટા કવિઓની કવિતાઓ હવે કોર્સમાંથી કાઢી નાખવામાં આવી છે. ક્યા કવિઓની રચનાઓ કાઢી નાખવામાં આવી, ચાલો જોઈએ અને તે કવિતાઓ વાંચીએ. જે હવે ધોરણ-11 અને 12 ના વિદ્યાર્થીઓ તેમની શાળાના પુસ્તકોમાં વાંચી શકાશે નહીં.

NCERT Books : હવે NCERT વિદ્યાર્થીઓને ભણવા નહીં મળે જાણીતા કવિઓની કવિતાઓ, અહીં વાંચો
CBSE News Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 8:37 AM
Share

CBSE News Update : સાહિત્ય એક એવો વિષય છે જે માણસમાં સરળતા, સમજણ અને સંવેદનશીલતાની ભાવના પેદા કરે છે. તેથી જ સરકારે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કવિતાઓ અને વાર્તાઓનો સમાવેશ કર્યો છે. NCERTએ હિન્દી ભાષાના ઘણા પ્રખ્યાત કવિઓની કવિતાઓનો સમાવેશ કર્યો છે. વાચકોને આ કવિતાઓ ખૂબ રસપૂર્વક વાંચવી ગમે છે, પરંતુ હવે 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક દુઃખદ સમાચાર છે.

આ પણ વાંચો : NCERT Revised Books : હવે વિદ્યાર્થીઓને નહી વાંચવો પડે મુઘલ સામ્રાજ્યનો ઈતિહાસ, જાણો કેમ

હકીકતમાં NCERTએ હવે 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાંથી ઘણી કવિતાઓ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે વાચકોને આ કવિતાઓ તેમના અભ્યાસક્રમમાં નહીં મળે. કેન્દ્રીય વિદ્યાલય અને ખાનગી શાળાઓ CBSE પેટર્ન પર ચાલે છે અને તેની માર્ગદર્શિકાને અનુસરે છે.

હવે 2023-24 માટે જે પણ અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો છે, તેમાં ઘણા ફેરફારો છે અને ઘણા કવિઓની કવિતાઓ ખૂટે છે. બહુમુખી કવિઓ અને સાહિત્યના કવિઓની શ્રેષ્ઠ રચનાઓ પહેલા સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને ભણાવવામાં નહીં આવે.

આટલા ચેપ્ટર કર્યા દૂર

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ અપડેટ કરેલ અભ્યાસક્રમમાં NCERTએ ‘થીમ્સ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી-પાર્ટ 2’માંથી Kings and Chronicles; the Mughal Courts (C. 16th and 17th centuries) સંબંધિત પ્રકરણો અને વિષયો દૂર કરવામાં આવ્યા છે. એ જ રીતે ધોરણ 11ના ‘થીમ્સ ઈન વર્લ્ડ હિસ્ટ્રી’ પુસ્તકમાંથી ‘સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ’, ‘કન્ફ્રન્ટેશન ઑફ કલ્ચર્સ’ અને ‘ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન’ સંબંધિત પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.

આ પ્રકરણો પણ દૂર કરવામાં આવ્યા હતા

ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તક ‘પોલિટિક્સ ઈન ઈન્ડિયન સિન્સ ઈન્ડિપેન્ડન્સ’માંથી ‘રાઈઝ ઑફ પોપ્યુલર મૂવમેન્ટ્સ’ અને ‘એરા ઑફ વન પાર્ટી ડોમિનેન્સ’ વિષયો પણ દૂર કરવામાં આવ્યા છે. આ પ્રકરણોમાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, ભારતીય સામ્યવાદી પક્ષ, ભારતીય જનસંઘ અને સ્વતંત્ર પક્ષનું વર્ચસ્વ શીખવવામાં આવ્યું હતું. 10મા ધોરણના પુસ્તક ‘ડેમોક્રેટિક પોલિટિક્સ-2’માંથી ‘લોકશાહી અને વિવિધતા’, ‘લોકપ્રિય સંઘર્ષ અને આંદોલન’, ‘લોકશાહીના પડકારો’ જેવા પ્રકરણો પણ દૂર કરવામાં આવ્યા છે.


(A- ધોરણ-11 માંથી હટાવવામાં આવી આ કવિતાઓ)

1-सुमित्रा नंदन पंत- वो आंखें

अंधकार की गुहा सरीखी उन आंखों से डरता है मन, भरा दूर तक उनमें दारुण दैन्य दुख का नीरव रोदन —————————————

2- મીરાબાઈ -પગ ઘુંઘરૂ બાંધ મીરા નાચી

पग घुंघरू बांध मीरा नाची रे, मैं तो अपने नारायण की आप ही होगी दासी रे, पग घुंघरू बांध मीरा नाची रे, ————————————–

3- કબીર-સંતો દેખત જગ બૌરાના

संतो देखत जग बौराना सांच कहौं तो मारन धावै, झूठे जग पतियाना

नेमी देखा धरमी देखा, प्रात करै असनाना आतम मारि पखानहि पूजै, उनमें कछु नहिं ज्ञाना —————————————-

4 – રામનરેશ ત્રિપાઠી – પથિક

प्रतिक्षण नूतन वेश बनाकर रंग-बिरंग निराला रवि के सम्मुख थिरक रही है नभ में वारिद-माला नीचे नील समुद्र मनोहर ऊपर नील गगन है घन पर बैठ, बीच में बिचरूँ यही चाहता मन है रत्नाकर गर्जन करता है, मलयानिल बहता है हरदम यह हौसला हृदय में प्रिये! भरा रहता है इस विशाल, विस्तृत, महिमामय रत्नाकर के घर के कोने-कोने में लहरों पर बैठ फिरूँ जी भर के —————————————

(B- ધોરણ-12 માંથી હટાવી આ કવિતાઓ )

1- ગજાનન માઘવ મુક્તિબોધ-સહર્ષ સ્વીકારા હૈ

ज़िंदगी में जो कुछ है,जो भी है सहर्ष स्वीकारा है इसलिए कि जो कुछ भी मेरा है वह तुम्हें प्यारा है गरबीली गरीबी यह, ये गंभीर अनुभव सब यह विचार-वैभव सब दृढ़ता यह, भीतर की सरिता यह अभिनव सब मौलिक है, मौलिक है इसलिए कि पल-पल में जो कुछ भी जागृत है अपलक है संवेदन तुम्हारा है! —————————————

એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">