CBSE ટર્મ -1ની પરીક્ષા વિદ્યાર્થી જયાં હોય ત્યાં આપી શકશે, વિદ્યાર્થીઓેને સ્થળ પસંદ કરવા બોર્ડે આપી મંજુરી

16 નવેમ્બરથી CBSEની ટર્મ-1ની પરીક્ષા શરુ થવા જઇ રહી છે ત્યારે CBSEએ કેટલાક વિદ્યાર્થી માટે જ સ્થળ અને દેશ બદલવાની સુવિધા આપી છે. કોરોનાને કારણે અન્ય શહેર કે સ્થળે જવુ પડ્યુ હોય તેવા વિદ્યાર્થીઓને જ આ સુવિધા આપવામાં આવી છે.

CBSE ટર્મ -1ની પરીક્ષા વિદ્યાર્થી જયાં હોય ત્યાં આપી શકશે, વિદ્યાર્થીઓેને સ્થળ પસંદ કરવા બોર્ડે આપી મંજુરી
cbse-allows-students-to-take-term-1-exams-wherever-they-are-board-allows-students-to-choose-a-place
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 1:22 PM

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા(Exam)ઓ 16 અને 17 નવેમ્બરથી શરુ થઇ રહી છે ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ બદલવાની સુવિધા આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ પરીક્ષા 2022 માટે નોંધણી કરાવી હતી તેઓ પરીક્ષા શહેર બદલવા માટે તેમની શાળામાંથી મંજુરી લઈ શકશે. પરીક્ષા શહેર બદલવાની તક 10 નવેમ્બર 11:59 વાગ્યા સુધી છે.

પરીક્ષા શહેર અથવા દેશ બદલવાની વિનંતી કરવા માટે ઉમેદવારોએ 10 નવેમ્બર, મધ્યરાત્રિ સુધીમાં શાળાને વિનંતી કરવાની રહેશે. આ પછી, શાળાઓ 12 નવેમ્બર, મધ્યરાત્રિ સુધીમાં બોર્ડની વેબસાઇટ પર CBSEને વિનંતીઓ મોકલશે.

કોરોના મહામારીને કારણે (CBSE)બોર્ડે વિદ્યાર્થીઓને ટર્મ-1ની પરીક્ષા ‘જ્યાં હોય ત્યાં’ આપવાની સુવિધા આપી છે. બોર્ડે cbse.gov.in પર પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર અંગે મહત્વની સૂચના જાહેર કરી છે. CBSE દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, જો કોઈ વિદ્યાર્થી કોવિડને કારણે અન્ય શહેરમાં રહેતો હોય, તો તેઓ તેમની શાળાને પરીક્ષાનું શહેર બદલવાની વિનંતી કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

થિયરી અને પ્રેક્ટિકલના સ્થળ એક રહેશે આ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ થિયરી, પ્રેક્ટિકલ અથવા બંને થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે પરીક્ષા શહેર બદલવાની વિનંતી કરી શકે છે. જો કે CBSEએ જણાવ્યુ છે કે, ઉમેદવારોએ થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષા માટે એક કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. બે અલગ-અલગ કેન્દ્રો, એક થિયરી અને એક પ્રેક્ટિકલ માટે, મંજૂરી આપવામાં આવશે નહીં.

એકવાર પસંદગી બાદ ફેરફાર થઇ શકશે નહીં CBSE એ જણાવ્યું છે કે, ”જ્યાંથી વિદ્યાર્થી પરીક્ષામાં બેસવા માંગે છે તે શહેરની પસંદગી કાળજીપૂર્વક સબમિટ કરવી જોઈએ. કારણ કે, એકવાર શાળા દ્વારા વિનંતી સબમિટ કર્યા બાદ તેમાં કોઈ ફેરફારને મંજૂરી આપવામાં આવશે નહીં. શાળાઓ તેમના શાળાના લોગ-ઈન એકાઉન્ટમાંથી પરીક્ષાના બદલાયેલા કેન્દ્ર સાથેના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

ઈમેલ પર પસંદગીનું સ્થળ સૂચવવુ વિદ્યાર્થીઓએ તેમની પસંદગી સ્થળ માટેની અરજીમાં ઇમેઇલ કરીને શહેરનું નામ સૂચવવાની સલાહ આપવામાં આવી છે. અરજી પ્રાપ્ત કર્યા પછી, શાળાઓને વિગતો સબમિટ કરવા માટે અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ‘સ્કૂલ પોર્ટલ’ પર લૉગિન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. શાળાઓ 12 નવેમ્બરે બપોરે 11.59 વાગ્યા સુધીમાં CBSE વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પાસેથી મળેલી વિનંતીઓની વિગતો અપલોડ કરશે.

આ પણ વાંચોઃ ‘નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદી હતી, નવાબ મલિકનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન’ દેવેન્દ્ર ફડણવીસનો સ્ફોટક ખુલાસો

આ પણ વાંચોઃ ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આગ, અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">