Good News For Farmer: કૃષિ સાથે સંબંધિત Project BOLD શું છે, જે લદ્દાખની શકલ બદલી નાખશે, આ સાથે જ ખેડૂતોને ફાયદો થશે

|

Aug 19, 2021 | 7:38 PM

લેહમાં વાંસના છોડનો આ વિસ્તાર સ્થાનિક ગ્રામીણ અને વાંસ આધારિત ઉદ્યોગોને મદદ કરીને વિકાસનું ટકાઉ મોડેલ બનાવશે. મઠોમાં મોટી માત્રામાં અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. જે મોટાભાગે અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવે છે.

Good News For Farmer: કૃષિ સાથે સંબંધિત Project BOLD શું છે, જે લદ્દાખની શકલ બદલી નાખશે, આ સાથે જ ખેડૂતોને ફાયદો થશે
Project BOLD

Follow us on

Good News For Farmer: એક ઐતિહાસિક પગલામાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ બુધવારે લેહ-લદ્દાખના (Leh-ladakh) હિમાલય પ્રદેશોમાં (Himachal pradesh) ઉજ્જડ જમીનો પર વાંસના (bamboo)રોપાઓ વાવીને હરિયાળા વિસ્તારો વિકસાવવાની પ્રથમ પહેલ શરૂ કરી છે. KVIC અને લેહ-લદ્દાખ વન વિભાગે ITBP ના સહયોગથી સંયુક્ત કવાયતમાં લેહના ચુચોટ ગામમાં 2.50 લાખ ચોરસ ફૂટથી વધુ ઉજ્જડ જંગલ જમીનમાં 1000 વાંસના રોપા રોપ્યા હતા.

આ જમીન અત્યાર સુધી ખાલી પડી હતી. KVIC ના પ્રમુખ શ્રી વિનય કુમાર સક્સેનાએ સ્થાનિક કાઉન્સિલરો, ગામના સરપંચો અને ITBP ના અધિકારીઓની હાજરીમાં આ વાંસનો વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કર્યો હતો.

ખાસ વાંસના વૃક્ષો વાવવામાં આવશે
ભારતીય સેનાએ લેહમાં તેના પરિસરમાં 20 ખાસ વાંસના રોપા રોપ્યાના ત્રણ દિવસ બાદ આ ઘટના સામે આવી છે. આ છોડ KVIC દ્વારા ભારતીય સેનાને ભેટમાં આપવામાં આવ્યા હતા. KVIC ના પ્રોજેક્ટ BOLD (Bamboo Oasis on Land in Drought) અંતર્ગત વાંસના રોપાઓ વાવવામાં આવ્યા છે.  જમીન અને પર્યાવરણની સુરક્ષા અને ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. પ્રોજેક્ટ બોલ્ડ ‘ખાદી વાંસ ફેસ્ટિવલ’ નો એક ભાગ છે જે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવવા માટે શરૂ કરવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તે કેવી રીતે મદદરૂપ સાબિત થશે?
લેહમાં વાંસના છોડનો આ વિસ્તાર સ્થાનિક ગ્રામીણ અને વાંસ આધારિત ઉદ્યોગોને મદદ કરીને વિકાસનું ટકાઉ મોડેલ બનાવશે. મઠોમાં મોટી માત્રામાં અગરબત્તી વપરાય છે જે મોટાભાગે અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવે છે. આ વાંસના વૃક્ષોનો ઉપયોગ લેહમાં સ્થાનિક અગરબતી ઉદ્યોગના વિકાસ માટે થઈ શકે છે. તે વાંસ આધારિત અન્ય ઉદ્યોગો જેમ કે ફર્નિચર, હસ્તકલા, સંગીતનાં સાધનો અને કાગળના પલ્પને મદદ કરશે અને સ્થાનિક લોકો માટે સ્થાયી રોજગાર પેદા કરશે.

વાંસનો કચરો ચારકોલ અને બળતણની બ્રીકેટ બનાવવા માટે વાપરી શકાય છે. જે લેહમાં કઠોર શિયાળા દરમિયાન બળતણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. વધુમાં, વાંસ અન્ય છોડ કરતાં 30% વધુ ઓક્સિજન બહાર કાઢે છે જે ઊંચાઈવાળા વિસ્તારોમાં વધારાનો ફાયદો છે જ્યાં હંમેશા ઓક્સિજનનો અભાવ હોય છે.

વાંસના વૃક્ષો કેવી રીતે રોપવા
KVIC ના ચેરમેનએ જણાવ્યું હતું કે લેહમાં વાંસ વાવેતરનો આ પ્રયોગ પ્રદેશની મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એક પડકારજનક કાર્ય હતું. લેહમાં જમીનનો વિશાળ વિસ્તાર સેંકડો વર્ષોથી બિનઉપયોગી પડ્યો છે. પરિણામે, આ પ્રદેશની કાળી માટી પણ મોટાભાગના સ્થળોએ ખડકોમાં ફેરવાઈ ગઈ હતી.

આ કારણે વાંસના વાવેતર માટે ખાડા ખોદવાનું KVIC માટે ખૂબ જ પડકારજનક કાર્ય હતું. ખાડા ખોદતી વખતે, આ કઠણ ગાંઠોને તોડીને ખાડામાં ભરી દેવામાં આવી હતી જેથી વાંસના મૂળને ઉગાડવા માટે નરમ જમીન મળી શકે.

જેમાં અન્ય ગામોમાં પ્રોજેક્ટ છે
સક્સેનાએ કહ્યું, “આ ઉપરાંત, KVIC એ લેહમાં વાંસ વાવવા માટે ચોમાસાની ઋતુ પસંદ કરી છે. જેથી છોડને રુટ સિસ્ટમ વિકસાવવા માટે પૂરતો સમય મળે અને આગામી મહિનાઓમાં બરફવર્ષા અને ઠંડા પવનનો સામનો કરવા માટે પૂરતો મજબૂત બને. તેમણે કહ્યું કે જો 50 થી આ વાંસના છોડમાંથી 60 ટકા જીવંત રહે છે.

પછી KVIC આગામી વર્ષે લેહ-લદ્દાખ ક્ષેત્રમાં મોટા પાયે વાંસનું વાવેતર કરશે. KVIC એ પ્રોજેક્ટ બોલ્ડ હેઠળ ચાર સ્થળોએ 17.37 લાખ ચોરસ ફૂટ સૂકી જમીનમાં અત્યાર સુધીમાં 12,000 વાંસ છોડ લેહમાં 1,000 સહિત વાવ્યા છે. આ સ્થળોમાં શામેલ છે – ઉદયપુરના નીચલા માંડવા ગામ, અમદાવાદનું ધોલેરા ગામ, જેસલમેર જિલ્લાનું તનોટ ગામ અને લેહનું ચુચોટ ગામ.

આ પણ વાંચો : શું વિદેશ યાત્રા માટે જરૂરી પડશે Booster Dose ? યાત્રીઓ માટે આ દેશોએ નક્કી કરી છે કોરોના વેક્સિનની ‘Expiry Date’

આ પણ વાંચો :India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી સંપૂર્ણ રોક

Next Article