AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture Subsidy: ફળ અને મસાલા પાકોની ખેતી પર મળશે સબસિડી, ખર્ચ ઘટવાથી ખેડૂતોની આવક વધશે

સરકાર માને છે કે રાજ્યના ખેડૂતો ઘઉં, સરસવ અને મકાઈ જેવા પરંપરાગત પાકોની ખેતીથી સારી કમાણી થઈ રહી નથી. ખેડૂતો આધુનિક પદ્ધતિથી બાગાયત અને મસાલાની ખેતી કરે તો તેમની આવકમાં વધારો થઈ શકે છે.

Agriculture Subsidy: ફળ અને મસાલા પાકોની ખેતી પર મળશે સબસિડી, ખર્ચ ઘટવાથી ખેડૂતોની આવક વધશે
Agriculture Subsidy
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 4:08 PM
Share

ખેડૂતો પરંપરાગત પાકોની ખેતી સાથે હવે બાગાયત (Horticulture) અને મસાલા પાકની ખેતી કરશે. આ માટે રાજસ્થાનમાં સરકાર તરફથી ખેડૂતોને સબસિડી (Subsidy) આપવામાં આવશે. ગેહલોત સરકારે સબસિડીની રકમ માટે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે. જો ખેડૂતો ફળ અને મસાલાની ખેતી કરે છે તો તેમને 40% સુધીની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે. તેના માટે ખેડૂતોએ રાજકિસાન સાથી પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે.

બાગાયત અને મસાલા પાક માટે 23.79 કરોડ રૂપિયા મંજૂર કર્યા

રાજસ્થાન સરકાર રાષ્ટ્રીય બાગાયત મિશન અને કૃષિ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી આપશે. રાજ્ય સરકાર માને છે કે રાજ્યના ખેડૂતો ઘઉં, સરસવ અને મકાઈ જેવા પરંપરાગત પાકોની ખેતીથી સારી કમાણી થઈ રહી નથી. ખેડૂતો આધુનિક પદ્ધતિથી બાગાયત અને મસાલાની ખેતી કરે તો તેમની આવકમાં વધારો થઈ શકે છે. તેથી અશોક ગેહલોતે બાગાયત અને મસાલા હેઠળના વિસ્તારને વિસ્તારવા માટે 23.79 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાંથી 6.55 કરોડ રૂપિયા ખર્ચ થશે

રાજ્ય સરકારે વર્ષ 2023-24માં 7609 હેક્ટરમાં ફળોના બગીચા વિકસાવવાની યોજના બનાવી છે. તેના પર સરકાર 22.40 કરોડ રૂપિયા સબસિડી તરીકે ખર્ચ કરશે. મસાલાના વિસ્તાર માટે ગ્રાન્ટની રકમ તરીકે રૂ. 1.39 કરોડ ખર્ચવામાં આવશે. CM કાર્યાલયના જણાવ્યા અનુસાર, અશોક ગેહલોત દ્વારા મંજૂર કરાયેલા 23.79 કરોડ રૂપિયામાંથી 17.24 કરોડ રૂપિયા રાજસ્થાન ખેડૂત કલ્યાણ ફંડમાંથી આપવામાં આવશે. રાષ્ટ્રીય બાગાયત મિશન અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાંથી 6.55 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

ખેડૂતોને 40% સબસિડી આપવામાં આવશે

રાજસ્થાનમાં મસાલાની ખેતી પર સરકાર પહેલાથી જ સબસિડી આપી રહી છે. આ સાથે ખેડૂતોને આધુનિક પદ્ધતિથી મસાલાની ખેતી કરવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ, મહત્તમ 4 હેક્ટર અને ઓછામાં ઓછા 0.50 હેક્ટરમાં મસાલાની ખેતી કરતા ખેડૂતો સબસિડીનો લાભ લઈ શકે છે. ખેડૂતોને 40% સબસિડીની રકમ આપવામાં આવશે. એટલે કે 5500 રૂપિયા પ્રતિ હેક્ટર ગ્રાન્ટ તરીકે મળશે.

આ પણ વાંચો : Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો

ખેડૂતો સબસિડીનો લાભ લેવા માંગતા હોય તો નજીકના ઈ-મિત્ર કેન્દ્ર અથવા રાજકિસાન સાથી પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. અરજી કરતી વખતે, ખેડૂત પાસે ખેતરની વિગતો, આધાર કાર્ડ, ખેતીલાયક જમીન, વીજળીનું બિલ, બેંક પાસબુકની નકલ અને સ્થાનિક રહેણાંકનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">