AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulses Rate: 40 રૂપિયા મોંઘી થઈ તુવેર દાળ, હવે તમારે 1 કિલો માટે આપવા પડશે આટલા પૈસા

કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં તુવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં તુવેર દાળના સ્થાનિક ઉત્પાદનમાં 7.90 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. 2022-23 માટેના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, દેશમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 34.30 લાખ ટન થઈ ગયું છે, જ્યારે તેનો લક્ષ્યાંક 45.50 લાખ ટન રાખવામાં આવ્યો હતો.

Pulses Rate: 40 રૂપિયા મોંઘી થઈ તુવેર દાળ, હવે તમારે 1 કિલો માટે આપવા પડશે આટલા પૈસા
Pulses price
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 3:41 PM
Share

કેન્દ્ર સરકાર દાળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ તેમ છતાં તુવેર દાળ સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે. છેલ્લા બે મહિનામાં તુવેર દાળના ભાવમાં રૂ.30 થી રૂ.40નો વધારો થયો છે. હવે એક કિલો તુવેર દાળનો ભાવ રૂ.160થી વધીને રૂ.170 થયો છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોની થાળીમાંથી દાળ ગાયબ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Ashes 2023: ઉસ્માન ખ્વાજાએ કર્યો કમાલ, ટેસ્ટ મેચના તમામ ‘પાંચ દિવસ’ બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ, રેકોર્ડ લિસ્ટમાં ત્રણ ભારતીયો સામેલ

કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં તુવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં તુવેર દાળના સ્થાનિક ઉત્પાદનમાં 7.90 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. 2022-23 માટેના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, દેશમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 34.30 લાખ ટન થઈ ગયું છે, જ્યારે તેનો લક્ષ્યાંક 45.50 લાખ ટન રાખવામાં આવ્યો હતો.

વર્ષ 2021-22માં તુવેરનું ઉત્પાદન 42.20 લાખ ટન નોંધાયું હતું. આવી સ્થિતિમાં, સરકારે પાક સીઝન 2022-23 માટે તુવેર દાળના ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ મૂક્યો હતો. પરંતુ આવું ન થયું.

10 લાખ ટન તુવેર દાળની આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

જો કે, કેન્દ્ર સરકારે કઠોળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે ઘણા મોટા પગલા લીધા છે. કેન્દ્ર સરકારે કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે 10 લાખ ટન તુવેર દાળની આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકારે આયાત ડ્યૂટી પણ હટાવી દીધી છે. ત્યારે કઠોળના સ્ટોક પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

ભારત આ દેશોમાંથી સૌથી વધુ દાળ ખરીદે છે

આપને જણાવી દઈએ કે દાળના મામલે ભારત આત્મનિર્ભર નથી. તેની માગને પહોંચી વળવા ભારત દર વર્ષે અન્ય દેશોમાંથી હજારો કરોડ રૂપિયાની કઠોળની આયાત કરે છે. વર્ષ 2020-21માં ભારતે વિદેશમાંથી 24.66 લાખ ટન કઠોળની આયાત કરી હતી.

વર્ષ 2021-22 માં, આયાતના આંકડામાં 9.44 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. ભારતે વર્ષ 2021-22માં અન્ય દેશો પાસેથી 26.99 લાખ ટન કઠોળની ખરીદી કરી હતી. આ સાથે ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ આયાતકાર બની ગયો છે. ખાસ વાત એ છે કે ભારત સૌથી વધુ દાળ આફ્રિકન દેશો, મ્યાનમાર અને કેનેડામાંથી ખરીદે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
g clip-path="url(#clip0_868_265)">