AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulses Rate: 40 રૂપિયા મોંઘી થઈ તુવેર દાળ, હવે તમારે 1 કિલો માટે આપવા પડશે આટલા પૈસા

કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં તુવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં તુવેર દાળના સ્થાનિક ઉત્પાદનમાં 7.90 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. 2022-23 માટેના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, દેશમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 34.30 લાખ ટન થઈ ગયું છે, જ્યારે તેનો લક્ષ્યાંક 45.50 લાખ ટન રાખવામાં આવ્યો હતો.

Pulses Rate: 40 રૂપિયા મોંઘી થઈ તુવેર દાળ, હવે તમારે 1 કિલો માટે આપવા પડશે આટલા પૈસા
Pulses price
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 3:41 PM
Share

કેન્દ્ર સરકાર દાળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ તેમ છતાં તુવેર દાળ સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે. છેલ્લા બે મહિનામાં તુવેર દાળના ભાવમાં રૂ.30 થી રૂ.40નો વધારો થયો છે. હવે એક કિલો તુવેર દાળનો ભાવ રૂ.160થી વધીને રૂ.170 થયો છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોની થાળીમાંથી દાળ ગાયબ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Ashes 2023: ઉસ્માન ખ્વાજાએ કર્યો કમાલ, ટેસ્ટ મેચના તમામ ‘પાંચ દિવસ’ બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ, રેકોર્ડ લિસ્ટમાં ત્રણ ભારતીયો સામેલ

કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં તુવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં તુવેર દાળના સ્થાનિક ઉત્પાદનમાં 7.90 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે. 2022-23 માટેના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, દેશમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 34.30 લાખ ટન થઈ ગયું છે, જ્યારે તેનો લક્ષ્યાંક 45.50 લાખ ટન રાખવામાં આવ્યો હતો.

વર્ષ 2021-22માં તુવેરનું ઉત્પાદન 42.20 લાખ ટન નોંધાયું હતું. આવી સ્થિતિમાં, સરકારે પાક સીઝન 2022-23 માટે તુવેર દાળના ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ મૂક્યો હતો. પરંતુ આવું ન થયું.

10 લાખ ટન તુવેર દાળની આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

જો કે, કેન્દ્ર સરકારે કઠોળની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે ઘણા મોટા પગલા લીધા છે. કેન્દ્ર સરકારે કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે 10 લાખ ટન તુવેર દાળની આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકારે આયાત ડ્યૂટી પણ હટાવી દીધી છે. ત્યારે કઠોળના સ્ટોક પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

ભારત આ દેશોમાંથી સૌથી વધુ દાળ ખરીદે છે

આપને જણાવી દઈએ કે દાળના મામલે ભારત આત્મનિર્ભર નથી. તેની માગને પહોંચી વળવા ભારત દર વર્ષે અન્ય દેશોમાંથી હજારો કરોડ રૂપિયાની કઠોળની આયાત કરે છે. વર્ષ 2020-21માં ભારતે વિદેશમાંથી 24.66 લાખ ટન કઠોળની આયાત કરી હતી.

વર્ષ 2021-22 માં, આયાતના આંકડામાં 9.44 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. ભારતે વર્ષ 2021-22માં અન્ય દેશો પાસેથી 26.99 લાખ ટન કઠોળની ખરીદી કરી હતી. આ સાથે ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ આયાતકાર બની ગયો છે. ખાસ વાત એ છે કે ભારત સૌથી વધુ દાળ આફ્રિકન દેશો, મ્યાનમાર અને કેનેડામાંથી ખરીદે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
g clip-path="url(#clip0_868_265)">