Global Millets Conference: ખેડૂતો માટે વરદાન છે મિલેટ્સ, સરકારે આ માટે દિવસ-રાત કામ કર્યું: PM મોદી

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 1:03 PM

પીએમ મોદીએ કહ્યું કે આવી ઘટનાઓ માત્ર ગ્લોબલ ગુડ માટે જ જરૂરી નથી, પરંતુ ગ્લોબલ ગુડમાં ભારતની વધતી જવાબદારીનું પ્રતીક પણ છે. તેમણે કહ્યું કે, “યુનાઈટેડ નેશન્સે ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી જ 2023ને મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. વિશ્વ જ્યારે મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારત ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Global Millets Conference: ખેડૂતો માટે વરદાન છે મિલેટ્સ, સરકારે આ માટે દિવસ-રાત કામ કર્યું: PM મોદી
PM Modi said, Millets are a boon for farmers
Image Credit source: Google

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં મોટા અનાજ પર બે દિવસીય વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું, સાથે તેમણે આ વર્ષે ઉજવવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય મોટી અનાજ વર્ષ નિમિત્તે એક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો હતો. સરકારે બરછટ અનાજને ‘શ્રી અન્ન’ નામ આપ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને છ દેશોના તેમના સમકક્ષોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, મને ગર્વ છે કે ભારત ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’નું નેતૃત્વ કરી રહ્યું છે. મિલેટ્સ ખેડૂતો માટે વરદાન સમાન છે.

આ પણ વાચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે

પીએમ મોદીએ કહ્યું કે, ઘણા દેશો મિલેટ કોન્ફરન્સ સાથે જોડાયેલા છે. મિલેટ્સને લઈને દેશમાં ઘણા સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થયા છે. તે ઘણા રાજ્યોમાં આગવી રીતે ઉગાડવામાં આવે છે. તેમણે કહ્યું કે, “યુનાઈટેડ નેશન્સે ભારતના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી જ 2023ને મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. વિશ્વ જ્યારે મિલેટ્સના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારત ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “સરકારે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેંટ બનાવવા માટે સરકારે દિવસ રાત કામ કર્યું

કાર્યક્રમ દરમિયાન મોટા અનાજ પરનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો હતો. અગાઉ, કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આજે મિલેટ્સનું લોન્ચિંગ છે. જ્યારે પણ મિલેટ્સ અંગે કોઈ પ્રશ્ન આવ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમને બધાને ખૂબ જ ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપ્યું અને પરિણામે આ કાર્યક્રમ ઊંચાઈએ પહોંચી રહ્યો છે.

બરછટ અનાજ શું છે અને તેના ફાયદા શું છે?

દેશમાં ફરી બરછટ અનાજની માંગ વધી છે. તેનું એક મોટું કારણ સ્વાસ્થ્ય છે. તેના ઘણા ફાયદા છે. ન્યુટ્રિશનિસ્ટના મતે મિલેટ્સ ખાવાથી એનર્જી મળે છે. મિલેટ્સ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. મિલેટ્સ ડાયાબિટીસને રોકવામાં પણ ઉપયોગી છે. મિલેટ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને પણ સુધારે છે. જવનું પાણી પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. જવને કિડનીના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

જુવારનો વ્યાપકપણે પશુ આહારમાં ઉપયોગ થાય છે, પરંતુ તેની વિવિધ જાતોમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. રોગોથી દૂર રહેવા માટે લોહી વધારવા અથવા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે  ખૂબ જ ઉપયોગી છે.

ખેડૂતોને પણ આનો ઘણો ફાયદો થશે

જર્નલ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ચેન્જના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘઉં અને ડાંગર એટલે કે ચોખાની સરખામણીમાં બરછટ અનાજમાં પાણીનો વપરાશ ઘણો ઓછો છે. આ સિવાય તેની ખેતી માટે યુરિયા અને અન્ય રસાયણોની જરૂર નથી. આ કિસ્સામાં, તેઓ પર્યાવરણ માટે વધુ સારી છે. એટલે કે, જો તમે બરછટ અનાજનો ઉપયોગ કરો છો, તો માત્ર તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે નહીં. ઉલટાનું ખેડૂતોને પણ આનો ઘણો ફાયદો થશે. તેમને તેમની મહેનતની યોગ્ય કિંમત મળશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati