વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા, જ્યા સંબોધન દરમ્યાન તેમને કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 4:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના પ્રવાસે છે. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે તેમની રાજ્યની છઠ્ઠી મુલાકાત છે. રવિવારે કર્ણાટક પહોંચ્યા બાદ તેમણે મંડ્યામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા. આ પછી જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, વિકાસ દ્વારા તમારા પ્રેમનું ઋણ ચૂકવવાના પ્રયાસમાં અહીં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે દરમિયાન તેઓએ ગરીબને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબોના વિકાસના નામે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. કોંગ્રેસને ગરીબોની પીડા અને વેદનાથી ક્યારેય ફરક પડ્યો નથી.

આ પણ વાચો: Karnataka: : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંડ્યામાં ભવ્ય રોડ શો, લોકોએ ફૂલોની વર્ષા કરી

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પીએમ મોદીએ કહ્યું કે, જે કોંગ્રેસીઓ મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓ નથી જાણતા કે દેશની કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ મોદીની સૌથી મોટી સુરક્ષા કવચ છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાના સપના જોઈ રહ્યા છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસ વે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબોનું જીવન સરળ બનાવવામાં વ્યસ્ત છે.

તેમણે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનો પ્રયાસ છે કે અમે તમારા પ્રેમનું વળતર વ્યાજ સાથે અને ઝડપથી વિકાસ કરીને આપીએ. આ પ્રોજેક્ટનો એક ભાગ છે જેનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે કર્ણાટકમાં લોંચ કરવામાં આવી રહેલા અત્યાધુનિક રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીને વેગ આપશે અને આર્થિક વિકાસને મજબૂત કરશે.

પીએમ મોદીએ બે મહાપુરુષોને કર્યા યાદ

પીએમ મોદીએ કહ્યું, આજે મૈસૂર-કુશલનગર 4 લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો, આ તમામ પ્રોજેક્ટ વિકાસના માર્ગને નવી દિશા આપશે. આ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને લગતી ચર્ચા થાય છે ત્યારે હંમેશા બે મહાન વ્યક્તિઓના નામ સામે આવે છે. કૃષ્ણ રાજા વાડિયાર અને સર એમ. વિશ્વેશ્વરાય. આ પ્રદેશે આ બંને મહાપુરુષો ભારતને આપ્યા છે.

કર્ણાટક ભારતમાલા અને સાગરમાલા પ્રોજેક્ટથી બદલાઈ રહ્યું છે

પીએમ મોદીએ કહ્યું, આવી મહાન હસ્તીઓથી પ્રેરિત થઈને આજે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થઈ રહ્યું છે. આજે કર્ણાટક ભારતમાલા અને સાગરમાલા પ્રોજેક્ટથી બદલાઈ રહ્યું છે. દેશ બદલાઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સુવિધા જ નથી લાવતુ, પરંતુ રોજગાર, રોકાણ અને કમાણીનું સાધન પણ લાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે, બેંગ્લોર અને મૈસૂર બંને કર્ણાટકના મહત્વપૂર્ણ શહેરો છે, એકને ટેક્નોલોજી અને બીજાને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, બંને આધુનિક ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાંબા સમયથી મુસાફરો બે શહેરો વચ્ચે ભારે ટ્રાફિકની ફરિયાદ કરતા હતા, પરંતુ હવે આ એક્સપ્રેસ વે માત્ર એક કલાકમાં આ બન્ને શહેર વચ્ચેનું અંતર કાપશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">