PM Kisan Scheme: જાણો શા માટે 7.24 લાખ ખેડૂતોને અરજી કરવા છતા નાણાં નથી મળ્યા ?

પીએમ કિસાન નિધિના નાણાં કયા કારણોસર અટકે છે, તેને જાણો અને તેમાં સુધારો કરો. મોટાભાગના ખેડૂતોના નાણાં અમાન્ય ખાતાને કારણે અથવા આધાર ન હોવાને કારણે અટકી જાય છે.

PM Kisan Scheme: જાણો શા માટે 7.24 લાખ ખેડૂતોને અરજી કરવા છતા નાણાં નથી મળ્યા ?
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 4:30 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM kisan samman nidhi yojana) હેઠળ કેન્દ્ર સરકારે ઓગસ્ટથી નવેમ્બર સુધી 10,40,28,677 ખેડૂતોના બેંક ખાતામાં 2-2 હજાર રૂપિયા મોકલ્યા છે. હવે 10 મો હપ્તો મોકલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે આપવામાં આવશે.

દરમિયાન, 7,24,042 ખેડૂતોની ચુકવણી નિષ્ફળ ગઈ છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે શું થાય છે કે અરજી કરવા છતાં નાણાં આવતા નથી ? કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે સૌથી મોટી ખેડૂત યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરતી વખતે યોગ્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. નહિંતર અરજી કર્યા પછી પણ પૈસા આવશે નહીં. થોડી ભૂલ તમને આ લાભથી વંચિત કરી શકે છે.

33 મહિનામાં 1.58 લાખ કરોડ રૂપિયાનો ફાયદો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થયાને 33 મહિના થઈ ગયા છે. ડિસેમ્બર 2018 થી અત્યાર સુધીમાં લગભગ 12 કરોડ લાભાર્થીઓ છે. તેમના બેંક ખાતામાં સીધા 1.58 લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે, જેથી ખેતી કરવાનું સરળ બને. પરંતુ કેટલાક લોકો એવા છે જેમને અરજી કરવા છતાં પૈસા મળ્યા નથી. કારણ કે તેમના રેકોર્ડમાં કેટલીક ભૂલ છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારા દસ્તાવેજોમાં માહિતી અલગ અલગ છે અથવા તમે કાળજી પૂર્વક ફોર્મ ભર્યું નથી.

આ બાબતોનું ધ્યાન રાખો

યોજના હેઠળ ઓનલાઈન અરજી કરતી વખતે ફોર્મ સંપૂર્ણપણે ભરો અને તેમાં માહિતી સાચી છે તે ચકાસો. તેમાં, બેંક ખાતાની માહિતી ભરતી વખતે, IFSC કોડ યોગ્ય રીતે ભરો. તે જ એકાઉન્ટ નંબર દાખલ કરો જે વર્તમાન સ્થિતિમાં છે. જમીનની વિગતો, ખાસ કરીને ખાતા નંબર ખૂબ કાળજી પૂર્વક ભરવા જોઈએ.

વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ નથી ​​મળતો તે ખેડૂતોની મહિતીમાં કેટલીક ભૂલો સામાન્ય છે.

1. એકાઉન્ટ અમાન્ય થવાને કારણે કામચલાઉ હોલ્ડ. એટલે કે, એકાઉન્ટ એકટીવ નથી. 2. આપેલ એકાઉન્ટ નંબર બેંકના રોકોર્ડમાં નથી. તેનો અર્થ એ છે કે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવામાં આવ્યો છે. 3. પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા ખેડૂતનો રેકોર્ડ સ્વીકારવામાં આવ્યો નથી. 4. બેંક દ્વારા નકારવામાં આવેલ ખાતું એટલે કે ખાતું બંધ છે. 5. પીએફએમએસ/બેંક દ્વારા ખેડૂત રેકોર્ડ નકારવામાં આવ્યો છે. 6. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં આધાર સીડિંગ કરવામાં આવ્યું નથી. 7. રાજ્ય સરકાર તરફથી પેન્ડીંગ છે.

6,000 રૂપિયાની યોજનાનો લાભ કોને ન મળી શકે

1. એવા ખેડૂતો કે જેઓ ભૂતપૂર્વ અથવા હાલમાં બંધારણીય હોદ્દાઓ ધરાવે છે, વર્તમાન અથવા ભૂતપૂર્વ મંત્રીઓ. 2. મેયર અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, MLC, લોકસભા અને રાજ્યસભાના સાંસદ. 3. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકારીઓ. 4. જે ખેડૂતોએ છેલ્લા નાણાકીય વર્ષમાં આવકવેરો ભર્યો હતો તેમને લાભ મળશે નહીં. 5. રૂ.10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને પણ લાભ મળતો નથી. 6. પ્રોફેશનલ્સ, ડોકટર, એન્જિનિયર, સીએ, વકીલ અને આર્કિટેક્ટ્સને આ યોજનાનો લાભ મળશે નહી.

આ પણ વાંચો : સિંગાપોર પછી ભારતે નેપાળમાં ‘કાલા નમક ચોખા’ની નિકાસ કરી, જાણો તેની ખેતી અને ઉત્પાદન વિશે

આ પણ વાંચો : ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">