કપાસના પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ માટે આ બાબતો જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

બદલાતા વાતાવરણ અને વરસાદને કારણે હવે પાક પર ગુલાબી ઈયળ (Pink Bollworm)નો હુમલો થયો છે. ગુલાબી ઈયળ કપાસના પાક માટે દુશ્મન છે. તેનાથી કપાસના ઉત્પાદન પર ચોક્કસપણે અસર થશે.

કપાસના પાકમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ માટે આ બાબતો જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન
CottonImage Credit source: Tv9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 8:13 AM

ભાવમાં થયેલા વિક્રમી વધારાને કારણે આ વર્ષે કપાસ (Cotton)ના વાવેતર વિસ્તારમાં વધારો થવાનો અંદાજ હતો તે વાત પણ સાચી સાબિત થઈ છે. રાજ્યમાં ખેડૂતોએ કપાસનું મોટા પાયે વાવેતર કર્યું છે, પરંતુ બદલાતા વાતાવરણ અને વરસાદને કારણે હવે પાક પર ગુલાબી ઈયળ (Pink Bollworm)નો હુમલો થયો છે. ગુલાબી ઈયળ કપાસના પાક માટે દુશ્મન છે. તેનાથી કપાસના ઉત્પાદન પર ચોક્કસપણે અસર થશે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કપાસના પાકને જીવાતોના ઉપદ્રવને કારણે નુકસાન થઈ રહ્યું છે. ગુલાબી ઈયળએ માત્ર કપાસ જ નહીં પરંતુ અન્ય પાકો પણ જોખમમાં મૂક્યા છે. તેને પિંક બોલવોર્મ પણ કહેવામાં આવે છે. જેના કારણે કપાસના વાવેતરમાં ઘટાડો થયો હતો. પરંતુ, બે વર્ષથી મળતા સારા ભાવે ખેડૂતોનો તેના પ્રત્યેનો મોહ વધાર્યો હતો.

આ વર્ષે દેશમાં વિક્રમજનક 126 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થવાની સંભાવના છે. જેમાંથી 15 જુલાઈ સુધી 102.8 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે. ગયા વર્ષે, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન જેવા કપાસ ઉત્પાદક રાજ્યોમાં ગુલાબી ઈયળનો હુમલો થયો હતો. બે વર્ષથી ગુલાબી ઈયળના કારણે ખેડૂતો કપાસ સિવાયના અન્ય પાક તરફ વધુ વળ્યા હતા. ઓછી વાવણીના કારણે ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. પરંતુ આ વિક્રમી કિંમતે તેમને તેની ખેતીને આવરી લેવાની જગ્યા વધારવાની ફરજ પાડી છે.

ગુલાબી ઈયળનો ઉપદ્રવ અને ફેલાવાના કારણો

પાક લઈ લીધા બાદ જ્યારે નુકસાન પામેલા જીંડવાની અંદર આ ઈયળો સુષુપ્ત અવસ્થામાં જમીનની અંદર પડી રહે છે અને બીજા વર્ષ જ્યારે તેને અનૂકુળ વાતાવરણ મળતા તે કોશેટામાં ફેરવાય છે અને તેમાંથી પુખ્ત ફુદીઓ બહાર આવે છે જે નવા ઈંડા મુકવાનું કામ કરે છે. તેમજ જ્યારે કપાસના પાકની સાંઠીઓને ખેતરના ફરતે અથવા આજુબાજુ શેઢા પાળા પર ઢગલા કરવામાં આવે છે તેમાં સુષુપ્ત અવસ્થામાં ઈયળો પડી રહે છે જ્યારે વાતાવરણ અનુકુળ બને ત્યારે તે ફરી પોતાનું જીવનચક્ર શરૂ કરી દે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અહીં મનમાં સવાલ એ થાય કે જ્યારે કપાસનો પાક ન હોય ત્યારે ? ત્યારે આ ઈયળ જંગલી ભીંડો કહેવાતા છોડ પર પોતાનું જીવનચક્ર યથાવત રાખે છે. તેમજ વહેલા વાવેલા કપાસ એટલે કે આગોતરા કપાસના વાવેતરમાંથી પાછતરા એટલે કે મોડા વાવેતરમાં પણ ઘણીવાર આ જીવાત ફેલાય છે. આ ઈયળ નુકસાનગ્રસ્ત જીંડવા અને બીજમાં પણ જોવા મળે છે ત્યારે આ જીંડવા ખેતરના શેઢા પાળીએ ફેંકવામાં આવે છે ત્યારે તેમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ ઈયળોને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે કોશેટામાં ફેરવાય છે તેમજ તેમાંથી નીકળતા ફુદાઓ તેમનું જીવનચક્ર શરુ રાખે છે.

કપાસની પાછલી અવસ્થાએ ખેડૂતો ખાસ બહું દવા છાંટતા નથી તેથી એ સમયગાળા દરમિયાન આ ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ત્યારે અહીં સૌથી મુશ્કેલ બાબત એ છે કે આ જીવાતનો ઉપદ્રવ જીંડવાની અંદર થતો હોય છે જેની ખેડૂતોને ખબર સુધા હોતી નથી અને જ્યારે ખબર પડે ત્યારે ઘણું મોડુ થઈ જતું હોય છે. પિયત વિસ્તારમાં લાંબા સમય સુધી ખેતરોમાં કપાસનો પાક ઉભો રહેતો હોય છે જેથી આ ઈયળ પોતાનું જીવનચક્ર ચાલુ રહે છે.

ગુલાબી ઈયળનું નિયંત્રણ

કૃષિ નિષ્ણાંતો અનુસાર ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આ ઉપાય કરી શકાય છે જેમાં જ્યારે કપાસની છેલ્લી વીણી કરી લેવામાં આવે ત્યારે ખેતરમાં ઘેટા-બકરા ચરાવવા તથા કપાસનો પાક પુરો થઈ જાય ત્યાર બાદ તેની સાંઠીઓને ખેતરની આસપાસ અથવા શેઢા પાળીઓ ઉપર ઢગલા અથવા વાડ ન કરતા તેનો બાળીને નાશ કરવો. જ્યારે કપાસનો પાક ઉભો હોય ત્યારે ફુદાને અટકાવવા ફેરોમેન ટ્રેપ લગાવવા. તેમજ કપાસનો જે પાછોતરો ફાલ આવે છે તે લેવાનું ટાળવું જોઈએ.

ખેતરના આસપાસ જો ક્યાંક જંગલી ભીંડો દેખાય તો તેનો પણ નાશ કરવો તેમજ વધારે પડતું વહેલું વાવેતર ન કરવું જોઈએ. સમયસર વાવેતર કરવું તેમજ વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું હિતાવહ છે તેમજ ખોટું બિન જરૂરી પિયત ન આપવું જોઈએ. અહીં નિષ્ણાંતો દ્વારા ફેરોમેન ટ્રેપ લગાવાની ભલામણ કરવામાં આવે છે જેમાં ટ્રેપમાં 8 થી 10 ફુંદા પકડાય ત્યાર બાદ રાસાયણિક દવાનો છંટકાવ ભલામણ મુજબ કરવો જોઈએ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">