ભૂમિહીન ખેડૂતોને દિવાળી પર મોટી ભેટ, ખેતી કરવા માટે સરકારે ખેડૂતોને આપી જમીન
એક અભિયાન હેઠળ, સરકારે એવા લોકોને ખેતી માટે જમીન આપવાનું શરૂ કર્યું છે જેમની પાસે ખેતર નથી. હવે આવા લોકોના નામ રેવન્યુ રેકોર્ડમાં પણ નોંધવામાં આવશે. જેથી આવા પરિવારો ખેતી દ્વારા ટકી શકે.
રાજસ્થાન સરકારે મોટો નિર્ણય લઈને દિવાળી પર ભૂમિહીન ખેડૂતોને (Farmers) મોટી ભેટ આપી છે. તેના એક અભિયાન હેઠળ, સરકારે એવા લોકોને ખેતી માટે જમીન આપવાનું શરૂ કર્યું છે જેમની પાસે ખેતર નથી. હવે આવા લોકોના નામ રેવન્યુ રેકોર્ડમાં પણ નોંધવામાં આવશે. જેથી આવા પરિવારો ખેતી દ્વારા ટકી શકે. સરકારે 2363 ભૂમિહીન ખેડૂતોને 480 હેક્ટર ખેતીલાયક જમીન ફાળવી છે. આ ‘પ્રશાસન ગાવ સંગ’ અભિયાન હેઠળ કરવામાં આવ્યું છે. આ અભિયાન એવા ખેડૂતો માટે પણ આશાનું કિરણ બની ગયું છે જેમની પાસે ખેતી માટે પોતાની જમીન નથી.
સ્વામીનાથન પંચે જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાની ભલામણ કરી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી સરકાર પાસે આવા ખેડૂતોનો કોઈ ડેટા નથી. હાલમાં અશોક ગેહલોત સરકારે તેની શરૂઆત કરીને અન્ય રાજ્યોને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં જમીન મુદ્દે કામ કરતા લોકો માટે ભૂમિહીન ખેડૂતોની સ્થિતિ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
હવે ખેતીથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. રાજસ્થાનમાં, એવી વ્યક્તિને ખેડૂત માનવામાં આવે છે, જે સક્રિયપણે પાક ઉગાડે છે અને જેની આજીવિકા ખેતી પર આધારિત છે.
ભૂમિહીન ખેડૂતોની પીડા કેન્દ્ર સરકાર પાસે જમીન વિહોણા ખેડૂતોના કોઈ સચોટ આંકડા નથી. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા અનુસાર, ભૂમિહીન ખેડૂતોનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. જેના કારણે આવા ખેડૂતો માટે કોઈ રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી નથી. બીજી તરફ સત્ય એ છે કે દેશમાં લાખો ભૂમિહીન લોકો આજીવિકા માટે ભાડાપટ્ટે જમીન લે છે અને ખેતી કરે છે. જો કે જમીનના ભાડાને કારણે તેમની ખેતી મોંઘી બને છે.
ખેડૂત પંચે ભલામણ કરી હતી પ્રો. એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં નેશનલ કમિશન ઓન ફાર્મર્સે ભલામણ કરી હતી કે, જ્યાં શક્ય હોય ત્યાં ભૂમિહીન ખેડૂત પરિવારોને કુટુંબ દીઠ ઓછામાં ઓછી એક એકર જમીન પ્રદાન કરવી જોઈએ.
અન્ય રાજ્યો માટે ઉદાહરણ જમીન અને તેનું સંચાલન રાજ્યોના વૈધાનિક અને વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. તેમાં કેન્દ્ર સરકારની ભૂમિકા સલાહકાર જેવી છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારોને વિશેષ અભિયાન ચલાવીને પાત્ર ગરીબોને જમીનનું વિતરણ કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારો સામાન્ય રીતે ગરીબો માટે આવા નિર્ણયો લેવાનું ટાળે છે. આ કિસ્સામાં અશોક ગેહલોત સરકારે ચૂંટણીની મોસમ વિના જમીન વિહોણા ખેડૂતોને જમીન આપીને અન્ય રાજ્ય સરકારો પર દબાણ વધાર્યું છે.
આ પણ વાંચો : DAP ની અછતના કારણે સરકાર હવે SSP પર ફોકસ કરશે, ખેડૂતોને તેનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે
આ પણ વાંચો : સરકારે કહ્યું- ભારતીય ખાંડ મિલોએ સબસિડી વગર વધુને વધુ ખાંડની નિકાસ કરવી જોઈએ, આંતરરાષ્ટ્રીય ભાવનો લેવો જોઈએ લાભ