AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં થતાં ફેરફારની અસર પાકના ઉત્પાદન પર પડી શકે છે. આવી સ્થિતિમાં પાકમાં રોગ (Disease And Pest Outbreaks In Crops) અને જીવાતનો ઉપદ્રવ થવાથી ઉત્પાદન ક્ષમતા ઘટી શકે છે, તેથી પાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો
Lady Finger Crop (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 8:52 AM
Share

એક તરફ ફેબ્રુઆરી મહિનો શાકભાજીની વાવણી માટે સારો માનવામાં આવે છે તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં બદલાવના કારણે અનેક રોગો અને જીવાતની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનના વૈજ્ઞાનિકો (ICAR-Indian Agricultural Research Institute)એ ખેડૂતોને તેમના પાકને રોગો અને જીવાતોના ભયથી બચાવવા માટે જરૂરી સલાહ આપી છે.

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં થતા ફેરફારની અસર પાકના ઉત્પાદન પર પડી શકે છે. આવી સ્થિતિમાં પાકમાં રોગ (Disease And Pest Outbreaks In Crops) અને જીવાતનો ઉપદ્રવ થવાથી ઉત્પાદન ક્ષમતા ઘટી શકે છે, તેથી પાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

પાકમાં રોગો અને જીવાતો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી સમયમાં વરસાદની સંભાવના વધી શકે છે, તેથી આવી સ્થિતિમાં જે ખેડૂતોનો પાક ખેતરમાં ઉભો છે, તેઓએ કોઈપણ રીતનો છંટકાવ કરવો જોઈએ નહીં. તેમજ પિયત ન આપવું જોઈએ.

ઘઉંમાં પીળી રસ્ટ રોગનું જોખમ

આ સિઝનમાં ઘઉંના પાકમાં પીળી રસ્ટ (Yellow Rust Disease) રોગનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં પાક પર ખાસ દેખરેખ રાખો, તેમજ પીળી રસ્ટના રોગના કિસ્સામાં ડાયથેન M-45 2.5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં છંટકાવ કરો.

ચણામાં પોડ બોરર રોગ

આ સિઝનમાં ચણાના પાકમાં પોડ બોરર (Pod Borer Disease in Gram) જીવાતનો પ્રકોપ વધવાની સંભાવના છે. આ જીવાતો સામે રક્ષણ મેળવવા માટે જ્યાં છોડમાં 40-45% ફૂલો ખીલ્યા હોય તેવા ખેતરોમાં એકર દીઠ 3-4 ફેરોમોન ટ્રેપ લગાવો. આ સિવાય ખેતરમાં અલગ-અલગ જગ્યાએ પક્ષીઓ માટે “T” આકારના ઘર મુકવા જોઈએ.

બટાકામાં લેટ ઝુલસા રોગ

આ દિવસોમાં બટાકામાં લેટ ઝુલસા (Late Jhulsa Disease In Potato) રોગનું જોખમ પણ રહેલું છે. આવી સ્થિતિમાં જો શરૂઆતના લક્ષણો દેખાય તો કેપ્ટાન 2 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ભેળવીને પાકમાં છંટકાવ કરવો જોઈએ.

વાવણીની સલાહ

ભીંડાની જાતોની પસંદગી

શાકભાજી વાવવા માટે ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ મહિનો છે, તેથી આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે ખેડૂતો આ દિવસોમાં વહેલી તકે ભીંડાની વાવણી કરી શકે છે. A-4, પરબની ક્રાંતિ, અરકા અનામિકા વગેરે જેવી જાતો ભીંડાની વહેલી વાવણી માટે શ્રેષ્ઠ છે. તેમની વાવણી માટે દેશી ખાતર ઉમેરીને તૈયાર કરીને ખેતરો તૈયાર કરો.

આ શાકભાજી વાવી શકાય

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે મરચા, ટામેટાં, રીંગણ વગેરે શાકભાજી વાવી શકાય છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: જીપને ધક્કો મારી રહેલા લોકો પર શખ્સે કરી જોરદાર દેશી કોમેન્ટ્રી, જુઓ વીડિયો

આ પણ વાંચો: Laptop Tips and Tricks: જૂના લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન તો આ રીતે કરો તેને ફાસ્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">