ખેડૂતો માટે ખુશ ખબર ! પીએમ કિસાન યોજના હેઠળની સહાય રકમ થઈ શકે છે બમણી

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતી રકમ બમણી થઈ શકે છે. એટલે કે હવે ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે.

ખેડૂતો માટે ખુશ ખબર ! પીએમ કિસાન યોજના હેઠળની સહાય રકમ થઈ શકે છે બમણી
PM Kisan Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 11:15 AM

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને (Farmers) રાહત આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan) શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતી રકમ બમણી થઈ શકે છે. એટલે કે હવે ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે. અહેવાલ છે કે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ રકમ બમણી કરવા પર વિચાર કરી રહી છે.

સરકાર રકમ બમણી કરવાની તૈયારી કરી રહી છે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મીડિયા અહેવાલો અનુસાર આ વાતનો ખુલાસો બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે કર્યો છે. રિપોર્ટ અનુસાર, તાજેતરમાં બિહારના કૃષિ મંત્રી દિલ્હી ગયા અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા. પટના પરત ફરતા તેમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ બમણી થવા જઈ રહી છે. રકમ વધારવા માટે કેન્દ્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. સરકારના આ પગલાને દેશના ખેડૂતોની આવક બમણી કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

ઘણા ખેડૂતોને લાભ મળી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાનો નવમો હપ્તો બહાર પાડ્યો હતો. નવમા હપ્તામાં, દેશભરમાં 9.75 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ રીતે અરજી કરો

PM-Kisan પોર્ટલ pmkisan.gov.in ની મુલાકાત લો. એક પેજ ખુલશે જેમાં તમને ફાર્મર કોર્નર્સનો (FARMER CORNERS) ઓપ્શન દેખાશે. નવી ખેડૂત નોંધણી (NEW FARMER REGISTRATION) તેના પર જોવા મળશે. આ પર ક્લિક કરો. તે પછી એક નવી વિન્ડો તમારી સામે ખુલશે.

આમાં તમને આધાર કાર્ડ અને કેપ્ચા દાખલ કરવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તમારે Click Here to Continue પર ક્લિક કરવાનું રહેશે. આને ક્લિક કરવા પર એક નવું પેજ ખુલશે જેમાં તમને ફોર્મ દેખાશે. આ ફોર્મ સંપૂર્ણ રીતે ભરો. આમાં બેંક ખાતાની માહિતી ભરતી વખતે IFSC કોડને યોગ્ય રીતે ભરો અને તેને સેવ કરો. પછી બીજું પેજ ખુલશે, જેમાં તમને તમારી જમીનની વિગતો પૂછવામાં આવશે. તેમાં વિગતો ભરો અને તેને સેવ કરો. તમારી નોંધણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો : PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : આ પાકોની ખેતીથી પશુપાલકોને નહીં થાય લીલા ઘાસચારાની અછત, દૂધ ઉત્પાદન ક્ષમતામાં થશે વધારો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">