PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી

કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. ખેડૂતોને પાકની વાવણી પહેલા ઓછા વ્યાજ પર આ લોન મળે છે.

PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી
Farmers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 2:27 PM

દેશના ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તાજેતરમાં, નવમાં હપ્તાની રકમ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે, પીએમ કિસાન યોજના હેઠળ સરકાર તેના લાભાર્થીઓને પોષણક્ષમ દરે લોન પણ આપે છે.

નોંધનીય છે કે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ, પીએમ કિસાન સમ્માન યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બંને જોડાયેલી છે. આ કિસાન ક્રેડિટ કાર્ડથી સરકાર ખેડૂતોને સસ્તા દરે લોન આપી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ આનો લાભ લઈ શકે છે.

ઓછા વ્યાજ દરે મળે છે લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. ખેડૂતોને પાકની વાવણી પહેલા ઓછા વ્યાજ પર આ લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ સિવાય ખેડૂતોને ચાર ટકાના વ્યાજ પર ટૂંકા ગાળા માટે પાંચ અને ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

આ લોનની રકમ પર સરકાર દ્વારા બે ટકાની સબસિડી આપવામાં આવે છે. જો કે આ લોન ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે, પરંતુ જો તે સમયસર ચૂકવવામાં ન આવે તો ખેડૂતને ચાર ટકાના બદલે સાત ટકા વ્યાજ ચૂકવવું પડે છે.

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બનાવવું કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારા દસ્તાવેજો લઈ નજીકની બેંકમાં જાઓ અને મેનેજરને મળો અને તમારા માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની માંગ કરો. જો ખેડૂતો કોઈ પણ ગ્રામીણ બેંકમાં જાય છે અને તેમના કિસાન ક્રેડિટ કાર્ડ બનાવે છે, તો તેમાં સરકાર દ્વારા પ્રોત્સાહનો આપવામાં આવે છે. જેનો લાભ માત્ર ખેડૂતોને મળશે.

પછી તમને બેંક મેનેજર વકીલ પાસે મોકલશે અને તમારી પાસેથી કેટલીક મહત્વની માહિતી લેશે. તે પછી તમે બેંકમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરશો. અરજી સબમિટ કર્યા પછી કેટલાક કાગળ હશે, જે પછી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવશે. પછી તમે આ કાર્ડથી લોન લઈ શકો છો. જોકે, લોનની રકમ અરજદાર પાસે કેટલી જમીન છે તેના પર નિર્ભર છે. કારણ કે જમીન પ્રમાણે જ લોન આપવામાં આવશે.

આ પણ વાંચો : Afghanistan Crisis : અરાજકતા વચ્ચે કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ, મોતના આંકડામાં સતત વધારો

આ પણ વાંચો :એક એકરમાં આ વૃક્ષના 120 છોડનું વાવેતર કરો અને 12 વર્ષમાં કરોડપતિ બનો ! જાણો કેવી રીતે

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">